SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જણાતા નથી. સર્વપ્રથમ એ વિષયને ઉલેખ વેતાશ્વતર [૧૨]માં થયેલ મળે છે અને તેમાં કાલે સ્વભાવ, નિયતિ, યદચ્છ, ભૂત અને પુરુષ એમાંથી કોઈ એક માનવાં અગર એ બધાંના સમુદાયને માનવ એવા વાદાને ઉલેખ છે. એ ઉપરથી જણાય છે કે ચિંતકે એ કાળમાં કારણની ખાજમાં પડી ગયા હતા અને વિશ્વચિને વિવિધ રૂપે ખુલાસો કરતા હતા. આ વાદમાં કાલવાદનાં મૂળ પ્રાચીન જણાય છે. ઠ અથર્વવેદમાં કાલસૂક્ત આવે છે. તેમાં જણાવ્યું છે કે– કાલે પૃવીને ઉત્પન્ન કરી, કાલના આધારે સૂર્ય તપે છે, કાલના આધારે જ સમસ્ત ભૂતે રહેલાં છે, કાલને કારણે જ આંખે દેખે છે, કાલ જ ઈશ્વર છે, પ્રજાપતિને પણ પિતા છે, ઈત્યાદિ.' આમાં કાલને સૃષ્ટિનું મૂળ કારણ માનવાનું વલણ છે. પણ મહાભારતમાં તો મનુષ્યનાં તો શું સમસ્ત જીવસૃષ્ટિનાં સુખ-દુઃખે, જીવન-મરણ એ બધાંને આધાર પણ કાલને કહ્યો છે. અને એ રીતે વિવવૈચિયનું મૂળ કારણ કાલ છે એ એક પક્ષ મહાભારતમાં પણ ઉલિખિત મળે છે. તેમાં તો ત્યાં સુધી કહ્યું છે કે કર્મ કે યજ્ઞયાગાદિ કે કોઈ પુરુષ દ્વારા મનુષ્યને સુખ-દુ:ખ નથી મળતાં, પણ મનુષ્ય કાલ દ્વારા જ બધું મેળવે છે. બધાં કાર્યોમાં સમાનભાવે કાલ જ કારણ છે, ઇત્યાદિ કાલની પ્રાચીન કાળમાં આવી મહત્તા હોવાથી જ દાર્શનિક કાળમાં પણ અન્ય ઈવરાદિ કાર સાથે કાલને પણ સાધારણ કારણ માનવા તૈયાયિકાદિ પ્રેરાયા છે૩ સ્વભાવવાદ ઉપનિષદમાં ભાવવાદને ઉલ્લેખ છે : જે કાંઈ થાય છે તે સ્વભાવથી જ થાય છે. સ્વભાવ સિવાય કમ કે ઈશ્વર જેવું કારણ નથી, એમ સ્વભાવવાદીઓનું કહેવું હતું. બુદ્ધચરિતમાં સ્વભાવવાદને ઉલેખ આ પ્રમાણે છે-- કાંટાને તીણ કોણ કરે છે અથવા તે પશુ-પક્ષીઓનું વેચિય શાથી છે? એ બધું સ્વભાવથી જ પ્રવૃત્ત છે; એમાં કોઈની ઈચ્છા કે પ્રયનને અવકાશ જ નથી.ગીતા અને મહાભારતમાં પણ સ્વભાવવાદને ઉલ્લેખ છે. માઠર અને ન્યાયકુસુમાંજલિકારે સ્વભાવવાદને નિરાસ કર્યો છે અને બીજા અનેક દાર્શનિકાએ પણ સ્વભાવવાદનેટ નિષેધ કર્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ અનેક વાર સ્વભાવવાદને નિરાસ કરવામાં આવ્યે છે. યદુછવાદ કતવતરમાં યદચ્છાને કારણે માનનારને પણ ઉલ્લેખ છે. એથી જણાય છે કે પ્રાચીન કાળથી ૧.અથર્વવેદ. ૧૯, ૫૩-૫૪. ૨, મહાભારત શાતિપર્વ અધ્યાય ૨૫, ૨૮, ૩૨, ૩૩ ઇત્યાદિ ૩ રન્યાના કનેર નાતામાશ્રયો મ7 -ન્યાયસિદ્ધાન્ત-મુક્તાવલી કા) ૪૫. કાલવાદના નિરાકરણ માટે જુઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨૫૨-૫૯; માઠરવૃત્તિ કાળ ૬૧, ૪. તા. ૧,૨, ૫.બુદ્ધયરિત ૫ર. ૬.ગીતા ૫. ૧૪, મહાભારત શાંતિપર્વ ૨૫, ૧૬, ૩. માઠરવૃત્તિ કા૦ ૬૧; ન્યાયકુસુમાંજલિ ૧. ૫. ૮, સ્વભાવ વાદના બેધક આ લે કે સર્વત્ર પ્રસિદ્ધ છે नित्यसत्त्वा भवन्त्यन्ये नित्यासत्त्वाश्च केचन । विचित्राः केचिदित्यत्र तत्स्वभावो नियामकः ॥ अग्निरुष्णा जल शीत' समस्पर्श स्तथानिलः। केनेदं चित्रित तस्मात् स्वभावात तद व्यवस्थितिः॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy