SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જાતને; અને ત્રીજા આચાર્ય ત્રીજી જાતને, ઈત્યાદિ. પણ એ બધા ખુલાસાઓમાં શંકરનું મુખ્ય અભિપ્રેત તત્ત્વ પૂરેપૂરું સચવાઈ રહ્યું છે. તે તત્ત્વ એટલે કેવલાદ્વૈતવાદ." જ્યારે બ્રહ્મને જ ઈશ્વર કહે હોય ત્યારે એ ખુલાસો કરવા પડે છે કે એકમાત્ર બ્રહ્મ એ ઈશ્વર અને એ જ જીવ યા છ –એ કેવી રીતે ઘટે? તેથી શાંકર વિચારકે એ એની ઉપપત્તિ કરવામાં માયા અને અવિદ્યાનું દ્વિતય પણ સ્વીકાર્યું. માયાપાધિક બ્રહ્મ તે ઈશ્વર અને અવિદ્યાધિક બ્રહ્મ તે જીવ. માયા એ સમષ્ટિગત અવિદ્યા જ છે; જ્યારે વૈયક્તિક અવિદ્યા તે જીવની ઉપાધિ. બ્રહ્મને ઈશ્વરરૂપે વર્ણવ્યા અને સ્થાપ્યા પછી પણ અનેક પ્રશ્નો ઊભા થાય જ છે. તેમાંના મુખ્ય આ રહ્યાઃ બ્રહ્મ જે માયાના આશ્રયથી સૃષ્ટિ સર્જે છે તે માયાનું સ્વરૂપ શું? વળી, એ સર્જન પ્રાણીઓના કર્મસાપેક્ષ છે કે નિરપેક્ષ, અને ઈશ્વરનું સ્થાપન મુખ્યપણે તર્કથી કરવું કે આગમથી? ઈત્યાદિ. આ પ્રશ્નોનો જવાબ પણ શાંકર વિચારે આપે છે. એને એકંદર ધ્વનિ એ છે કે સૃષ્ટિ અનાદિ છે, પ્રાણીઓના કર્મને અનુસરી નવનવા કલ્પમાં ઈશ્વર સર્જન કરે છે, અને મુખ્યપણે એ આગમને–ખાસ કરી ઉપનિષદોને-આધારે સિદ્ધ છે. તર્ક બહુ તે એનું અનુકૂળ સમર્થન કરવામાં ઉપગી છે. આ રીતે ઉપલબ્ધ ભાળે પૈકી સૌથી પ્રાચીન શાંકરભાવે સચ્ચિદાનંદ બ્રહ્મને જ ઈશ્વરતત્ત્વરૂપે સ્વીકારીને તેને જ ચરાચર જગતના ઉપાદાન તથા નિમિત્તકારણરૂપે સ્થાપ્યું, અને જે ન્યાય-વૈશેષિક આદિનો સ્વતંત્ર ઈશ્વરનિમિત્તવાદ હતું તેનું નિરાકરણ કર્યું, અને સાથે જ સાંખ્યસંમત સ્વતંત્ર પ્રકૃતિના કતૃત્વવાદનું પણ નિરાકરણ કર્યું. તેમ જ જેઓ અનીશ્વરવાદી હતા તેમના મતને પણ અવૈદિક કહી નિષેધ્યા. આ રીતે બ્રહ્મવાદીઓમાં બ્રહ્મના પૂર્ણ કર્તવની અને ઈશ્વરત્વની સ્થાપના સિદ્ધ થઈ. પરંતુ શંકરની પહેલાં પણ બ્રહ્મસૂત્રના વ્યાખ્યાકારે અનેક થઈ ગયાનાં પ્રમાણે મળે છે તે બધા જ વ્યાખ્યાકારે એક જ પ્રકારે વ્યાખ્યા કરતા એમ પણ ન હતું, છતાં એ બધા વ્યાખ્યાકારમાં એકસમાનતા એ રહેલી લાગે છે કે તેમાંથી કેઈ શંકરની જેમ કેવલાતી યા માયાવાદી ન હતે. અને કેઈ હોય તેય તેને કઈ સ્પષ્ટ આધાર મળતું નથી. તે બધા જ મુખ્યપણે બ્રહ્મતત્ત્વને પ્રકૃતિથી ભિન્ન એવું સ્વીકારતા; છતાં તેઓ બ્રહ્મને પરિણામી માનતા. સાંપે પણ પ્રકૃતિને પરિણામી. માને અને બ્રહ્મવાદીઓ બ્રહ્મને પરિણામી માને છે, બનેમાં અન્તર શું રહ્યું?–એ પ્રશ્ન તેમની સામે પણ હવે જોઈએ. તેથી લગભગ તે બધા વ્યાખ્યાકારે એ બહાને પરિણમી માની તેમાંથી જ અચેતન અને ચેતનની સૃષ્ટિ ઘટાવી; છતાં બ્રહ્મના ૧. જુઓ, દાસગુપ્તા–હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન ફિલોસોફી, ભા. ૩, પૃ. ૧૯૭, ૧૯૮ની પાદટીપ નં. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy