SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રધાનતત્ત્વ છેવટે તે અચેતન જ છે; અને અચેતન એ આવા બહુવિધ અને અચિન્ય રચનાવાળા વિશ્વનું સર્જન કે નિયમન કેવી રીતે કરી શકે એ માટે તે અચિત્યશક્તિસંપન્ન કઈ ચેતનતત્ત્વ જ જોઈએ. આ વિચાર જેમ જેમ પ્રબળ થતો ગયો તેમ તેમ તે અનેક આકાર પણ લેતે ગયે. બ્રહ્મસૂત્રની રચના એ આ વિચારને જ આભારી છે. એમાં સ્વતંત્ર પ્રધાનમ્તવવાદને આગમ અને તકને આધારે નિરાસ કરવામાં આવ્યો છે અને એકમાત્ર બ્રહ્મતત્ત્વનું મુખ્ય કર્તૃત્વ સ્થાપવામાં આવ્યું છે. બ્રહ્મસૂત્રનાં ઉપલબ્ધ બધાં જ ભાગે એ બાબતમાં એકમત છે કે બ્રહ્મતત્ત્વ એ જ વિશ્વનું મુખ્ય અને સ્વતંત્ર કારણ છે. પણ અહીં માત્ર કારણુતાના વિચારમાં જ ભાષ્યની વ્યાખ્યા સમાપ્ત નથી થતી. તેમને એ મૂળ કારણને ખુલાસે ઈશ્વરત્વની પરિભાષામાં પણ કરે પડે છે. તેથી બધા જ ભાષ્યકાર, પરસ્પર ગમે તેટલે મતભેદ હોય છતાં, જ્યારે બ્રહ્મતત્વમાં ઈશ્વરત્વ ઘટાવે છે, ત્યારે તેમને તેમની સામેના અવૈદિક ઈશ્વરવાદીઓની કેટલીક માન્યતાઓ અને ઉપપત્તિઓને પણ સ્વાભિમત ઈશ્વરત્વની વ્યાખ્યામાં ઘટાવવી પડે છે. બ્રહ્મસૂત્રનાં ઉપલબ્ધ ભાળે મુખ્ય બે વર્ગમાં વહેંચાઈ જાય છેઃ એક વર્ગમાં માત્ર શંકર આવે છે અને બીજા વર્ગમાં ભાસ્કરથી માંડી ચૈતન્ય સુધીના બધા. શંકર એ કેવલાદ્વૈતી છે. એને બ્રહ્મ સિવાય બીજા કેઈ તત્ત્વનું પારમાર્થિકત્વ ઈષ્ટ નથી; અને સાથે સાથે એને એ પણ મુકેલી છે કે કેવળ કૂટનિત્ય બ્રહ્મ જ હોય તે બહુત્વ ક્યાંથી આવે અને કેમ અનુભવાય ? એવું કૂટનિત્ય બ્રહ્મ પરિણામી તે હોઈ શકે નહિ. વળી બંધ-મેલ અને જીવભેદની પણ વ્યવસ્થા ઘટાવવી રહી. આવી બધી મુશ્કેલીઓને અંત શંકરે માયાવાદ સ્વીકારીને કર્યો. માયાને સ્વતંત્ર તત્વ માને તેય કેવલાદ્વૈત ન ટકે. એટલે તેણે એને સદસદનિર્વચનીય આદિ રૂપે વર્ણવી બ્રહ્મતત્ત્વથી ભિન્ન પણ ન માની અને સર્વથા અભિન્ન પણ ન માની, અને છતાંય માયાનું અસ્તિત્વ સ્વીકારી કેવલાદ્વૈતવાદની ઉપપત્તિ કરી અને દશ્યમાન વ્યાવહારિક પ્રપંચનું અસ્તિત્વ માયિક છે એમ સ્થાપ્યું. ખરી રીતે સ્વતંત્રપ્રધાનવાદી સાંખ્યને જે એકમાંથી બહત્વ ઘટાવવાની મુશ્કેલી હતી, તે જ મુશ્કેલી શંકરને પણ હતી. પણ સાંખ્ય માર્ગ પરિણામિનિત્યતાવાદને લીધે સરલ હતે. શંકરને માગે તે સરલ ન હતું. તેય તેણે પિતાને માર્ગ બહુ કુશળતાથી સરલ બનાવ્યું. જોકે શંકરે માયાના આશયથી બ્રહ્મતત્ત્વનું કૂટનિત્યત્વ અને પિતાને કેવલાદ્વૈતવાદ અને સ્થાપ્યાં, પણ એણે તત્કાળ કે કેમે કરી ઉપસ્થિત થનારા પ્રશ્નો વિષે કઈ સર્વાગીણ ખુલાસે ન કર્યો. એ ખુલાસે તેના સમકાલીન અને ઉત્તરકાલીન ધુરન્ધર વિદ્વાન શિષ્યએ કર્યો. તેથી એ ખુલાસાના અનેક પ્રકારે મળી આવે છે. સર્વજ્ઞાત્મમુનિ એક જાતનો ખુલાસો કરે, તે વાચસ્પતિ મિશ્ર બીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy