SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ઇશ્વર વિષે પૂર્વમીમાંસક દષ્ટિ પ્રથમ આપણે પૂર્વમીમાંસક પરંપરા લઈએ. તેને મોક્ષ વિષે વિચાર કરે નથી; માત્ર વર્તમાન લેક અને સ્વર્ગાદિ પરલેક એ બે વિષે વિચાર કરે છે. બન્ને લોકોમાં જે કાંઈ પ્રાપ્તવ્ય સિદ્ધ કરવું હોય તેના સાધન તરીકે તે પરંપરા યજ્ઞાદિ કર્મકાંડ ઉપર આધાર રાખે છે. એવા કર્મકાંડમાં વૈદિક મંત્ર અને સમુચિત વિધિપ્રકિયા તેમજ હોતા આદિ પુરોહિતેનું જ મુખ્ય સ્થાન છે. તેથી જે યથાવિધિ યજ્ઞ આદિ કર્મ કરે તે ઈષ્ટફળ પામે. એટલે આ માન્યતામાં ફલેષ્ણુ પુરુષના કત્વને જ સ્થાન છે. અને તેવું કર્તુત્વ જેમાં છે જ. તેથી ઈશ્વરની કૃપા યા અનુગ્રહને એ પરંપરામાં પ્રશ્ન જ ઊભે નથી થતું. એટલે એમાં ઈશ્વરકતૃત્વને વિચાર પણ અપ્રસ્તુત છે. એ પરંપરામાં જે કાંઈ મુખ્ય કત્વ છે તે છેવટે વેદજ્ઞામાં સમાવેશ પામે છે. એટલે કે વૈદિક આજ્ઞા પ્રમાણે કરાયેલું કર્મ એવું શક્તિસંપન્ન હોય છે કે તે પિતે જ પુરુષના ઈષ્ટ ફળનું જનક બને છે. એટલે આ પરંપરામાં મન્ચ, દેવતા, વિધિવત્ કર્મ અને સામગ્રીજન્ય શક્તિ એ જ ઈશ્વરના કર્તુત્વનું સ્થાન લે છે.' ઈશ્વર વિષે સાંખ્ય, જૈન અને બૌદ્ધ દષ્ટિએ પરંતુ પચીસતત્વવાદી સાંખ્ય અને જૈન-બૌદ્ધ પરંપરાની સ્થિતિ એથી સાવ જુદી છે. આ ત્રણે પરંપરાઓ તે સ્વર્ગાદિ પલક ઉપરાંત મેક્ષ પણ માને છે, અને તેને જ મુખ્ય પુરુષાર્થ તરીકે લેખે છે. તેમ છતાં તે મોક્ષની સિદ્ધિમાં કે બીજા કઈ પણ પ્રકારના ફળની સિદ્ધિમાં સ્વતંત્ર ઈશ્વરનું સ્થાન નથી જ ક૫તી. આ ત્રણે પરંપરાઓ પુરુષાર્થવાદી છે. તે શ્રદ્ધા, નિયતિ અને અદષ્ટ જેવાં તને માને છે અવશ્ય, પણ એ તો સાધક જીવને પુરુષાર્થને અધીન રહી ઉપયોગી બને છે. આ પરંપરાઓ એમ માને છે કે આત્મા, જીવ યા પુરુષ પિતે એવી સહજ શક્તિ ધરાવે છે કે જેને લીધે તે ધારે તેવું ભાવી નિર્માણ કરી શકે. તે જેમ અજ્ઞાન અને ક્લેશની વાસનાને વશ વર્તે છે, તેમ પુરુષાર્થને બળે જ તે જ્ઞાન અને નિર્મોહત્વની પરાકાષ્ઠા પણ સિદ્ધ કરે છે. તેના પુરુષાર્થની દિશા ઊર્ધ્વગામી બનતાં જ તેમાં રહેલ શ્રદ્ધા, નિયતિ અને અદષ્ટ આદિ તત્વે તેને એ જ દિશામાં ઉપકારક બને છે. એટલે આ પરંપરાઓમાં જીવમાં એટલું બધું સ્વાતંત્ર્ય કપાયેલું છે કે તેમને પિતા સિવાય કર્તા તરીકે બીજા કેઈના અનુગ્રહની આવશ્યક્તા નથી રહેતી. આ ત્રણ પરંપરાઓમાં પણ એક મહત્ત્વનો ભેદ છે, જે ધ્યાનમાં લેવો જોઈએ. સાંખ્ય-પરંપરા પુરુષાર્થવાદી છે ખરી, પણ એમાં પુરુષ, ચેતન યા જીવના પુરુષાર્થનું ૧. શબરભાષ્ય, ૨.૧.૫ આદિ. બીજાં કુમારિકનાં અવતરણ માટે જુઓ, ન્યાયાવતારવાતિક વૃત્તિ, ટિ૫ણ ૫. ૧૭૮ (સિઘી જૈન સિરીઝ) અને તેમાં આપેલ નીચેની ટિપ્પણીઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy