SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નથી કહ્યું કે એ પુરુષવિશે ઈશ્વર કર્તા યા સંહર્તા પણ છે; છતાં એ તે સ્પષ્ટ જ કહ્યું છે કે તે પ્રાણીઓને ઉદ્ધારક છે જ. આ રીતે ભાષ્યમાં ઈશ્વરનું ઉદ્ધારકપણું દાખલ થતાં જ તેના વ્યાખ્યાકારેને–ખાસ કરી વાચસ્પતિ મિશ્ર અને વિજ્ઞાનભિક્ષુ જેવાને –પિત પિતાનાં મંતવ્ય સ્પષ્ટ કરવાની અનુકૂળ તક મળી, તેથી તેમણે ભાષ્યનું વ્યાખ્યાન કરતાં પોતપોતાની રીતે પણ સમર્થપણે સ્થાપ્યું છે કે એ યોગસંમત ઈશ્વર સૃષ્ટિને કર્તા પણ છે. એમની સ્થાપના મુખ્યપણે આગમપ્રમાણને અવલંબી છે. ઈશ્વર વિષે મધ્યદષ્ટિ મધ્યપરંપરા જેકે વેદાન્તી તરીકે જાણીતી છે અને બ્રહ્મસૂત્ર જેવા ઔપનિષદ ગ્રન્થને આધારે પિતાનાં મંતવ્ય સ્થાપે છે, છતાં તે બીજી બધી વેદાન્તી યા ઔપનિષદ પરંપરાઓથી સાવ જુદી પડે છે. એનું તત્ત્વજ્ઞાન જતાં તે એમ જ લાગે છે કે તેના ઉપર મુખ્યપણે પ્રભાવ ન્યાય-વૈશેષિક તત્ત્વજ્ઞાનને છે. પણ જાણે કે ઉપનિષદની વધેલી અને વધતી જતી પ્રતિષ્ઠાને લઈ તેણે એને ઉપગ પિતાની રીતે કર્યો છે અને તે રીત એટલે ન્યાય-વૈશેષિક પરંપરા પ્રમાણે અચેતન પરમાણુ અને ચેતન જીવના વાસ્તવિક બહત્વ ઉપરાંત તદ્દન સ્વતંત્ર ઈશ્વરનું એક વ્યક્તિરૂપે સ્થાપન કરવું તે. જોકે એ પરંપરાએ ઈશ્વરને બ્રા યા વિષણુ જેવા પદથી નિદેશેલ છે, છતાં સ્વરૂપ દષ્ટિએ એ પરંપરાસંમત ઈશ્વર ન્યાય-વૈશેષિક યા સાંખ્ય-ગસંમત કર્તા ઇશ્વર જે જ દેખાય છે. મધ્યપરંપરા ઈશ્વરને સૃષ્ટિના કર્તા, સંહર્તા તરીકે વર્ણવે છે અને પ્રાણીઓના ધર્માધર્મને અનુસરી સૃષ્ટિ નિર્માણ કરે છે એમ પણ કહે છે. આ રીતે જોતાં, જેમ ન્યાય-વૈશેષિક પરંપરા ઈશ્વરને પ્રાણિકર્મ સાપેક્ષ કર્તા માને છે, તેમ મધ્યપરંપરા પણ માને છે. એટલે ફેર અવશ્ય છે કે મધ્વ સ્વાભિમત ઈશ્વરને બ્રહ્મ કહી તેનું વર્ણન બ્રહ્મસૂત્રમાંથી પણ તારવે છે, જ્યારે ન્યાય-વૈશેષિક પરંપરા ઈશ્વરસ્થાપનામાં કેઈ બ્રહ્મસૂત્ર કે ઉપનિષદને આધાર લેતી જ નથી. તેથી એમ પણ કહી શકાય કે મધ્યપરંપરાના ઈશ્વરકર્તવવાદને મુખ્ય આધાર ઉપનિષદેને હેઈતે આગમાવલંબી છે. જીવબહત્વવાદી પરંપરાને ઈશ્વર પર વિચાર ચાલે છે એટલે તેવી જ બીજી પરંપરાઓ, જે ઈશ્વરવાદી નથી, તેને વિચાર અત્રે કરી લે એ પ્રાપ્ત છે. પૂર્વમીમાંસક, સાંખ્ય અને જેન-બૌદ્ધ એ પરંપરાઓ પણ સ્વતંત્રજીવબહુત્વવાદી છે. પણ પરંપરાઓ પુનર્જન્મ અને પરલકવાદી હોવા છતાં જીવના ભાવમાં ઈશ્વરનું કઈ સ્થાન નથી માનતી. તેનું શું રહસ્ય છે એ જાણવાથી ઈશ્વરકતૃત્વવાદી પરંપરાઓ સાથે તેના વિચારભેદનું મૂળ યથાવત્ સમજી શકાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy