SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં ચાલતા સમગ્ર પ્રાણીઓના જીવનવ્યવહારને સાંખ્ય સંમત પ્રકૃતિવાદને આશ્રય લઈને જ અને લગભગ એ જ વાદની પરિભાષામાં ઘટાવે છે. આ રીતે જગતની વ્યાવહારિક વ્યવસ્થામાં એકને આધાર વિભાષિક દર્શન છે, જ્યારે બીજાને આધાર સાંખ્યદર્શન છે. ઉપસંહાર અચેતન જગતના સ્વરૂપ પર જે પ્રથમ જુદા જુદા મતે સંક્ષેપમાં વર્ણવ્યા તેને ટૂંકમાં સાર એ છે કે જેઓ મૂળકારણુબહત્વવાદી છે, તેઓ મૂળ કારણોનું વ્યક્તિત્વ કાયમ રાખી પોતપોતાની રીતે તેમાંથી કાર્યસૃષ્ટિ ઘટાવે છે; અને તે કાર્યસૃષ્ટિને મૂળ કારણ જેટલી જ વાસ્તવિક માને છે. અલબત્ત, એ મૂળકારણબહુવવાદીઓમાં પરસ્પર મૂળ કારણના સ્વરૂપ પર અને તેમાંથી નીપજતી સૃષ્ટિના કાર્ય કારણભાવની પ્રક્રિયા પરત્વે મોટો મતભેદ છે જ. જેઓ એકમૂળકારણવાદી છે તેઓ તે એકમાંથી જ નાનાવિધ વાસ્તવિક સૃષ્ટિની ઉપપત્તિ પરિણામ- મશક્તિને સ્વીકારીને કરે છે. તેથી તેમને મતે સમગ્ર કાર્યપ્રપંચમાં મૂળ કારણ ઓતપ્રોત છે અને મૂળ કારણમાં બીજરૂપે વ્યક્ત પ્રપંચ અસ્તિત્વ ધરાવે છે, એટલે તેઓ પણ જગતના સ્વરૂપ પર વાસ્તવવાદી છે. આથી ઊલટું, જેઓ અનેક મૂળતત્ત્વવાદી કે એકમૂળતત્ત્વવાદી હોવા છતાં જગતને એ મૂળતત્ત્વરૂપ નહિ પણ અવિદ્યાકલ્પિત યા માયિક માને છે તે અવાસ્તવવાદી કેટીમાં આવે. ૧. ઉદાહરણાર્થ, પંચીકરણ (પંચદશી) અને ત્રિવૃત્કરણપ્રક્રિયા-છાંદેગ્ય, અ. ૬,૩,૨-૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy