SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવચને વડોદરા યુનિવર્સિટીના આશ્રયે ચાલતી સર સયાજીરાવ ગાયકવાડ ઍનરિયમ લેકચર સિરીઝમાં વ્યાખ્યાન આપવાનું મને આમંત્રણ મળ્યું અને જેને લીધે હું પ્રસ્તુત વ્યાખ્યાને આપી શકો, તે બદલ ઉક્ત લેકચર સિરીઝના વ્યવસ્થાપક અને ખાસ કરી વડોદરા યુનિવર્સિટીના તત્કાલીન ઉપકુલપતિ વિદૂષી શ્રીમતી હંસાબહેન મહેતાને સર્વ પ્રથમ મારે હાર્દિક આભાર માને જોઈએ. એમના તરફથી આ સમ્માનપ્રદ સિરીઝમાં વ્યાખ્યાન આપવાનું આમંત્રણ મળ્યું ન હેત તે જે રીતે આ વ્યાખ્યાનો તૈયાર થયાં છે તે રીતે મારા જીવનકાળ દરમિયાન લખવાને પ્રસંગ ભાગ્યે જ આવત. આ વ્યાખ્યામાં ચર્ચાયેલ વિષયે મનમાં તે સંસકારરૂપે પડ્યા હતા. પણ એને સુગ્રથિત રૂપે વ્યક્ત કરવાનું કામ એકાગ્રતા અને પરિશ્રમ, બનેની અપેક્ષા રાખતું હતું. વડોદરા યુનિવર્સિટીએ આ કામ કરવાની તક આપી એ મારા જીવનને એક વિશેષ લહાવે જ છે, એમ હું સમજુ છું. નક્કી કર્યું હતું તે હું આ વ્યાખ્યાને રાષ્ટ્રભાષા હિન્દીમાં લખી શકત. અને હિન્દીમાં લખ્યાં હેત તે સહેજે એનું વાચકવર્તુલ બહુ મોટું પ્રાપ્ત થાત. હું રાષ્ટ્રભાષાને પૂરે હિમાયતી પણ છું. આ બધું છતાં મેં માતૃભાષા ગુજરાતીને પસંદ કરી, તેનું એક અને મુખ્ય કારણ તો એ છે કે હું માતૃભાષાના માધ્યમ દ્વારા અનેક વિષયનાં શિક્ષણને જ નહીં, પણ તે તે વિષેના ઉચ્ચ અને ઉચ્ચતર શિક્ષણને પણ સમર્થક રહ્યો છું. તેથી મારા વિષયને માતૃભાષામાં જ નિરૂપવાને ધર્મ મને પ્રાપ્ત થાય છે. આ ધર્મ બજાવતાં મને ગુજરાતી ભાષાનું વિશિષ્ટ શક્તિનું પહેલાં કરતાં વધારે ભાન થયું. કઈ પણ સાચે અભ્યાસી પિતાના વિષયની રજૂઆત માતૃભાષામાં કરવા પ્રામાણિક પ્રયત્ન કરે, તે તે વિષયને વિશેષ ન્યાય આપી શકે છે, અને માતૃભાષાનું કાંડું વિકસાવવા સાથે તેનું આંતરિક બળ પણ પ્રગટ કરી શકે છે. એ રીતે જુદી જુદી પ્રાંતીય ભાષાઓમાં રચાયેલું વિશિષ્ટ સાહિત્ય છેવટે તો રાષ્ટ્રભાષાનું ખમીર જ પિોષે છે અને એના સાહિત્યમાં વિરલ ઉમેરે પણ કરે છે. ગુજરાતીમાં હોવા છતાં જો એ વિચારોમાં કાંઈક સવ જેવું હશે, તે તે રાષ્ટ્રભાષામાં અવતાર પામે તેને કાઈક દીપાવશે. જે કાંઈ પણ એવું સ્થાયી સત્વ ન હોય તે તે પ્રથમથી રાષ્ટ્રભાષામાં લખાયું હોય તો તે એક ખૂણામાં પડયું જ રહે. આ વિચારથી મેં પિતાની જાતને એક રીતે આકરી કસોટીએ ચઢાવી છે. હવે પરીક્ષા કરવાનું કામ તત્તે નિષ્ણાતોનું છે. કાંઈ પણ લખવું હોય, ત્યારે સામે પ્રશ્ન આવે છે કે તે લેકચ્ય બને એ રીતે લખવું કે વિદગ્ય બને એ રીતે ? શિક્ષણને વધતા જતા ફેલાવે, વાચકવર્ગની વધતી જતી સંખ્યા અને સાહિત્યને વધતા જતા પ્રચાર, આ બધું જોતાં લેકભોગ્ય રીતે લખવું જોઈએ એમ મન કહે છે. પણ હું બીજી દિશાએ ચાલ્યો. તેનું એક કારણ તે એ છે કે જે સિરીઝના આશ્રય તળે મારે વ્યાખ્યાન આપવાનાં હતાં તેની કક્ષા સાધારણ કટિની નથી. બીજું કારણ મારી સામે એ પણ રહ્યું છે કે તત્ત્વજ્ઞાનને લગતા જુદા જુદા પ્રશ્નો તેમ જ તેની સાથે સંબંધ ધરાવતી પરંપરાઓ, એ બધાંને સાચે ખ્યાલ મેળવવો હોય તે તે વિચારની ઉપરછલ્લી સપાટીએ રહેવાથી મળી શકતો નથી. જો કે એના ઊંડાણમાં ઊતરવા પ્રયત્ન ન કરે તે છેવટે તત્ત્વજ્ઞાનના વિષયો માત્ર સ્થળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy