SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન (પ્રથમ આવૃત્તિ) ભૂતપૂર્વ વડોદરા સરકાર તરફથી “મહારાજા સયાજીરાવ ગાયકવાડ પારિતોષિક વ્યાખ્યાન માલા”ની યોજના કરવામાં આવી હતી. આ યોજના અનુસાર, પ્રસિદ્ધ વિદ્વાનોને દર વર્ષે વડોદરામાં વ્યાખ્યાન આપવા આમંત્રણ આપવામાં આવતું હતું, અને વ્યાખ્યાને આયો બદલ તેઓને રૂા. ૫૦૦/-નું પારિતોષિક અપાતું. વડોદરા રાજ્યનાં વિલીનીકરણ પછી, આ વ્યાખ્યાનમાલાના નિયમાનુસાર, પ્રતિવર્ષ વ્યાખ્યાન યોજવાનું કાર્ય મુંબઈ સરકારે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયને સુપ્રત કર્યું અને આ વ્યાખ્યાને માટે વિશ્વવિદ્યાલયને વાર્ષિક રૂ. ૫૦૦૦/- પાંચ હજારની ખાસ મદદ આપવા ઠરાવ્યું, તદનુસાર, વિશ્વવિદ્યાલય પ્રતિવર્ષ આ વ્યાખ્યાનમાળાની રોજના કરે છે. નીચે જણાવેલા આઠમાંથી ગમે તે એક વિષય ઉપર આ વ્યાખ્યાનમાલામાં વ્યાખ્યાને આપવા ઠરાવેલું છે. ૧. કવિતા, ૨ સાહિત્ય, ૩. ઇતિહાસ, ૪. તત્વજ્ઞાન, ૫. અર્થશાસ્ત્ર, ૬. વિજ્ઞાનિક સંશોધન, ૭. લલિત કલાઓ, ૮. સમાજસેવા અને સમાજસુધારા. આજ સુધીમાં આ વ્યાખ્યાનમાલાના ઉપક્રમે, ડો. રાધાકુમુદ મુકરજી, ડે. રવીન્દ્રનાથ ટાગોર, શ્રી. સી. વી. વૈદ્ય, શ્રી. કે. નટરાજન, દીવાન બહાદુર કેશવલાલ ધ્રુવ, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખડે, ડે. સુરેન્દ્રનાથ દાસગુપ્તા, ડે. શફાત અહમદખાન, ડો. (શ્રીમતી) સરોજિની નાયડૂ, ડે. આર. કે. દાસ, ડૅ. ટી. ઈ. ગ્રેગરી, ડે. સી. વી. રામન, શ્રી. કે. વી. રંગસ્વામી આયંગર, ડે. બિરબલ સહાની, ડો. જે. સી. ઘેષ, પ્રોફેસર કે. ટી. શાહ, ડે. કે. એસ. કૃષ્ણન, 3. ડી. એન. વાડિયા, ડે. આર. સી. મજમુદાર અને ડે. સી. પી. રામસ્વામી આયર જેવા સમર્થ વિદ્વાનોએ વ્યાખ્યાને આપ્યાં છે. આ વ્યાખ્યાનમાલાનાં ૧૯૫૬-૫ ની સાલનાં વ્યાખ્યાન આપવા સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સંધવીને વિનંતી કરવામાં આવતાં, તેઓએ વિશ્વવિદ્યાલયની વિનંતીને સ્વીકાર કરી, વડોદરા કૉલેજ-બિલ્ડીંગના સેન્ટ્રલ હોલમાં, ઈ. સ. ૧૯૫૭ના ફેબ્રુઆરી માસમાં, તા. ૨૧ થી તા. ૨૩ સુધીમાં ભારતીય તત્ત્વવિદ્યા' એ વિષય પર વ્યાખ્યાને આપ્યાં હતાં. પંડિતજીએ વ્યાખ્યાનની હસ્તપ્રત ફરી એક વાર તપાસી લઈ, તે મુદ્રણકાર્ય માટે તૈયાર કરી આપી તે માટે અમે તેઓના આભારી છીએ. આશા છે કે તત્ત્વવિદ્યા-ફિલસફીમાં રસ ધરાવનાર સર્વ વિદ્વાને અને વિદ્યાર્થીઓ આ વ્યાખ્યાનેને આવકારશે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, ) વડોદરા, તા. ૨૦ નવેમ્બર, ૧૯૫૮ ઈ બ્રજ કૃષ્ણ સુન્શી રજિસ્ટ્રાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy