SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ આ મંત્ર કહે છે કે સ્વતઃસિદ્ધ એવા જીવાત્માની ચૈત્ર વગેરે ઇન્દ્રિયા બહિર્મુખ પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળી રચાયેલી છે. તેથી એ જીવાત્મા ઇન્દ્રિયા દ્વારા પ્રથમ બાહ્ય રૂપાદિ વિષયાને જ જાણે છે; પણ અન્તરાત્માને—પેાતાના આંતરિક સ્વરૂપને—તે જીવાત્મા જાણતા નથી. આમ છતાં કાઈ કાઈ ધીરજધારી વ્યક્તિ એવી હોય છે કે જે અમૃતત્વ અર્થાત્ પોતાના આંતિરક અને પારમાર્થિક સ્વરૂપને જાણવા અને પામવા ઇચ્છતી હોય છે. તેથી તે એ મહિમુ ખ ઇન્દ્રિયદ્વારાને આવૃત્ત કરે છે અર્થાત્ એ દ્વારાને અંતમુ ખ બનાવી પેાતાના સ્વરૂપદર્શન તરફ વાળે છે. જ્યારે આમ કરે છે ત્યારે તે વ્યક્તિને અંતરાત્માનુ ઈક્ષણ એટલે દર્શન સિદ્ધ થવા પામે છે. દનવિદ્યાનું પ્રભવસ્થાન માનવ છે, પણ મનુષ્યને પેાતાના ખરા સ્વરૂપનું દર્શન એકાએક ન થતાં ક્રમે જ થાય છે. જેમ શિશુ ઉંમર વધવા સાથે જ ક્રમે ક્રમે જ્ઞાન અને અનુભવની વૃદ્ધિ કરતું જાય છે તેમ માનવજાતિનું છે. ઇન્દ્રિયાની સહજ રચના જ એવી છે કે તે મનુષ્યને પણ ઇતર પ્રાણીઓની જેમ પ્રથમ બાહ્ય વિશ્વના અવલેાકનની તરફ જ પ્રેરે છે; પણ માહ્ય વિશ્વના અવલેાકનની યાત્રા કરવામાં ગમે તેટલે રસ કે આનંદ સધાતા હોય છતાં માનવબુદ્ધિ એમાં અંતિમ સંતાષ અનુભવતી નથી. આમ થાય છે ત્યારે એ જ માનવ ઇન્દ્રિયાને તેના અહિર્ગામી વ્યાપારથી મુક્ત કરવા પ્રયત્ન કરે છે અને એને અતર્મુખ બનાવે છે. જ્યારે તે ઇન્દ્રિયા અંતમુ ખ થઈ શક્તિ વિકસાવે છે ત્યારે તેની સામે અગાઉ નહિ દેખેલ એવું અતર્જગત યા આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. આ અંતર્જગતનું દર્શન અંતે અમૃતદર્શન યા પરમાત્મદર્શનમાં પરિણમે છે. આ રીતે દવિદ્યા પણું પ્રથમ આહ્ય જગતના નિરૂપણમાં પ્રવૃત્ત થાય છે. ત્યાર બાદ તે ઊંડાણુ કેળવતાં કેળવતાં આંતરજગત યા આનિરૂપણ ભણી વળે છે. અને એના પરિપાકરૂપે એમાં પરમાત્માનું નિરૂપણ પણ આવે છે. એડવર્ડ કેડે ધર્મવિકાસની ત્રણ ભૂમિકાએ સૂચવી છે; જેમ કે, "We look out before we look in; and we look in before we look up. '' આ કથન કઠોપનિષદના મંત્રના જ પ્રતિઘોષ છે. આ જ ક્રમને ઉપનિષદોમાં અધિભૂત, અધિદેવ અને અધ્યાત્મપદથી સૂચવવામાં આવેલ છે. ઉપનિષદોમાં અને અન્યત્ર, જ્યાં જ્યાં અપરા અને પરા વિદ્યાના અથવા લૌકિક અને લેાકેાત્તર વિદ્યાને નિર્દેશ છે ત્યાં, આ જ વસ્તુ સૂચવાયેલી છે. મનુષ્ય પ્રથમ અપરા વિદ્યા યા લૌકિક વિદ્યા તરીકે ઓળખાતી દુન્યવી અનેક વિદ્યાઓને ખેડે છે, પણ માત્ર એ વિદ્યાઓમાં જ તે વિશ્રામ નથી લેતા. તેથી આગળ વધી તે પરા વિદ્યા ભણી પ્રસ્થાન કરે છે. એ પરા વિદ્યા તે જ આત્મવિદ્યા અને પરમાત્મવિદ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy