SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પરમાણુવાદીઓમાં મુખ્ય બે પરંપરા છે. જૈન અને બૌદ્ધ એ પરમાણુ વાદી છતાં ઈશ્વરને સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્થાન આપતી જ નથી; જ્યારે મધ્ય અને ન્યાય-વૈશેષિક આદિ પરંપરાઓ ઈશ્વરને સ્વતંત્ર વ્યકિત માને છે ખરી, પણ તેને કેવળ નિમિત્તકારણરૂપે સ્થાપે છે. ૨. મૂળએકતત્ત્વવાદી સાંખ્ય પરંપરામાં જે ૨૦ કે ૨૫ તત્ત્વવાદી છે તે તે ઈશ્વરને સ્થાન આપતી જ નથી પણ ૨૬ તત્ત્વવાદી સાંખ્ય-પરંપરા સ્વતંત્ર ઈશ્વરતત્વ માની તેને માત્ર નિમિત્તકારણ કપે છે. ૩. મૂળતત્ત્વવાદી છતાં પ્રધાનવાદી નહીં, પણ બ્રહ્મવાદી એવી બધી જ વેદાન્તપરંપરાઓ બ્રહ્મને જ વિશ્વનું ઉપાદાન અને નિમિત્ત કારણ કહી તેને જ ઈશ્વર તરીકે ઘટાવે છે. કોઈ વેદાન્તી એવા બ્રહ્મને માત્ર ઈશ્વર, પરમેશ્વર જેવું સાધારણ વિશેષણ આપી વર્ણવે છે; તે બીજા કોઈ નારાયણ, વાસુદેવ, કૃષ્ણ. શિવ જેવાં સાંપ્રદાયિક નામથી પણ વર્ણવે છે. પણ બધા જ એક યા બીજી રીતે પોતાના વિચારનું મંડાણ બ્રહ્મતત્ત્વ ઉપર જે છે. ૪. શંકરથી માંડી બધા જ બ્રહ્મસૂત્રના ભાષ્યકારેનું એક વલણ સમાન રહ્યું છે કે તેઓ મૂળતત્ત્વ તરીકે બ્રહ્માની પ્રતિષ્ઠા કરવા છતાં અને તેમાં જ વિશ્વનું ઉપાદાનાભિન્ન-નિમિત્તકારણત્વ સ્થાપવા છતાં, સાંખ્યસંમત પ્રકૃતિ અને પ્રાકૃત કાર્યોને આશ્રય લીધા વિના, પિતાનું કઈ મન્તવ્ય વ્યવસ્થિતપણે ગોઠવી શકતા નથી. બીજી રીતે એમ કહી શકાય કે આ બધા જ બ્રહ્મવાદીઓની અદ્વૈત ભૂમિકાનું સમર્થન છેવટે સાંખ્ય સંમત પ્રકૃતિતત્ત્વના આશયથી જ સુઘટિત કરવામાં આવે છે. જે દરેક બ્રહ્મવાદીના સમર્થનમાંથી સાંખ્ય પ્રક્રિયાને સેરવી લેવામાં આવે તો કઈ પણ બ્રહ્મવાદ ઊભે જ થઈ શકતું નથી. તેથી એમ કહી શકાય કે પ્રધાનતત્વવાદી સાંખ્ય વિચારકે એ પ્રધાનમાં જે સ્વતંત્ર કર્તુત્વ તેમજ ઉપાદાનાભિન્ન-નિમિત્તકારણત્વ કપ્યું અને માન્યું હતું તે જ બ્રહ્મવાદીઓએ પ્રધાનમાંથી ખેસવી બ્રહ્મમાં ઘટાવ્યું છે; અને સાંખ્યસંમત પ્રકૃતિને એક યા બીજી રીતે એક યા બીજે નામે સ્વીકારીને પણ, તેના સ્વતંત્ર કર્તુત્વને ઉપનિષદને આધારે તેમજ તકને આધારે નિષેધ કર્યો છે. દર્શન અને જીવન જીવન સાથે દર્શનનો શું સંબંધ છે અને તેને વિકાસક્રમ કેવો છે એ ભાવને દર્શાવતો કઠે પનિષદમાં એક મંત્ર છેઃ परांचि खानि व्यतृणत्स्वयंभूस्तस्मात्पराट् पश्यति नान्तरात्मन् । कश्चिद्वीरः प्रत्यगात्मानमैक्षदावृत्तचक्षुरमृतत्वमिच्छन् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy