SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સમજતા થશે? કયારે તેઓ એ મહાન પાઠને હૃદયંગમ કરી પ્રજાના ઉકળાટ પર શાન્ત-સુધાની રસધાર વરસાવશે ? જગતને શાન્તિને મન્ન સુણાવતાં મહાવીર સ્પષ્ટ વદે છે: પુરિસા ! સમેવ સમભિજાણહિ! સચ્ચસ્સ આણાએ સે ઉદ્રિએ મહાવી માર તરઈ. ” અર્થાત્ હે મનુ ! સત્યને બરાબર સમજે ! સત્યની આજ્ઞા પર ખડે થનાર મેધાવી મૃત્યુને તરી જાય છે. (આચારાંગ) કોઇની સાથે પણ વિરોધભાવ ન કરવા માટે ભગવાન ફરમાવે છે કે – પભૂદેસે નિરાકિસ્યા ન વિરુજજ કેણઈ, મણુસા વયસા ચેવ કાયસ ચેવ અંત. * અર્થાત–મનથી, વાણીથી, કાયથી કદી કઈ ઉપર દ્વેષ કરીશ માં, વિરોધ કરીશ માં. (સૂત્રકુનાંગ.) ભગવાનનું અનેકાન્તવાદી શાસન એકલા એવામાં જ મુક્તિ બતાવતું નથી. પણ “પન્નવણુ” વગેરે પ્રવચનોમાં ભગવાનની આજ્ઞાનું પ્રવચન એટલું વિશાળ ઝળકે છે કે કઈ પણ દશનકાર જે નિષ્પક્ષભાવથી જુએ તે ભગવાનના શાસનની નિપક્ષતા અને વિશાળતા ઉપર મુગ્ધ થયા વગર રહેજ નહિ. ભગવાનનું પ્રવચન પન્દર ભેદે મુક્તિ બતાવે છે. ભગવાન બું ભાખે છે કે, ગમે તે અવસ્થામાં, ચાહે સાધુને વેબ હોય કે ન હોય, ચાહે એ હોય કે ન હોય, ચાહે દિગમ્બર હોય, તામ્બર હોય, પીતામ્બર હોય, રક્તામ્બર હેય યા કોઈ અખરવાળો હોય, અને તે ચાહે સી હોય કે પુરૂષ હોય, કેઈ પણ માનવ હોય અને કોઈ પણ સ્થિતિને હાય, પણ રાગ-દ્વેષથી મુક્ત થતાં કૈવલ્ય-સ્થિતિને જરૂર પ્રાપ્ત થાય એમાં શક નથી. મતલબ કે કષાયથી મુક્ત થવામાંજ મુક્તિ છે. અને કષાએથી મુક્ત થવાના વ્યાપારમાં “એ એકાતે જોઈએ જ, ઓલ્યા વગર કષાયનાશ થાય જ નહિ” એ માન્યતા એકદમ ભૂવમરેલી છે. એ તે એક બાહ્ય ઉપકરણ છે. ચારિત્ર કંઈ ઓઘામાં નથી, પણ ચારિત્ર આત્મામાં છે. જીવનમાં જો ચારિત્ર નથી તે કેરા આઘામાં કંઈ નથી. એવા એક નહિ પણ એકવીશ ઓઘા બગલમાં મારી ફયા કરે તોયે કંઈ ન વળે. એ ધારણ કરવા છતાં પણ ફરજથી ચુકેલા-લાઈનથી ખસી ગયેલા અનેક મરીને દુર્ગતિના મહેમાન બન્યા છે, ત્યારે એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy