SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠege at ફિઝિશિકા આડે માગે પૈસાને ધુમાડે કરાય છે! પ્રજાને ભરખી રહેલી બેકારી, ગરીબાઈ અને અજ્ઞાન દશા તરફ આંખ મીચામણાં કરવાં બહુ મુખઈભરેલું છે. એમાં ધમ નથી, પણ ધમહ છે, શાસનની અગતિ છે. ફરીને કહું છું કે દાનની દિશા સમજે ! અને ઉપગી દિશામાં દાનને પ્રવાહ વહેવડાવી ધમ, સમાજ અને રાષ્ટ્રનું ભલું થાય અને એ રીતે શાસનને જયજયકાર થાય તેમ પ્રયત્ન કરે. ખશે દાનધમ સમજે અને વિશાળ દષ્ટિએ ઉદાર દયાનાં ઉપયુક્ત ઝરણું વહેવડાવી હજાર--લાખે દુઃખી હૃદયેના શુભ આશીર્વાદ મેળવે. એમાં જીવનનું કલ્યાણ છે. છે કમં પૂરાં થયાં. હવે વત્તમાન પરિસ્થિતિ પર પણ જરા કહી લઉં. આજે આપણું રાષ્ટ્રીય જીવન ગભીર સ્થિતિમાં છે. રાધમ તરીકે દરેક હિન્દીની ફરજ છે કે તેણે સ્વદેશી ભાવના પિષવી જોઈએ અને પિતાની જરૂરી યાત ઓછી કરી ચાલે ત્યાં સુધી દરેકે દરેક ચીજ સ્વદેશીજ વાપરવી જોઈએ. ખાસ કરી પરદેશી કાપડને સંપૂર્ણ ત્યાગ કરી શુદ્ધ ખાદીના પહેરવેશમાં પિતાને પવિત્ર દેશપ્રેમ પ્રકાશ જોઇએ. અહિંસાની દૃષ્ટિએ પણ પરદેશી કાપડ વાપરવાં ન ઘટે. જેની પાછળ લાખ જાનવરે કતલ થતાં હોય અને લાખ મણ ચરબીના વપરાશથી જે બનતું હોય તેવું નાપાક કપડું અહિંસાધમ કેમ વાપરી શકે. ડુંગળી ખાવામાં જે દેષ છે તેના કરતાં હજારગણું–લાખાણું-કરોડગણું-અનન્તગણું પાપ ચરબીવાળાં નાપાક કપડાં વાપરવામાં છે એ તમારે સમજી લેવું જોઈએ. પરદેશી કાપડે દેશના ધંધાનો નાશ કર્યો છે. પરદેશી કાપડ પાછળ દેશનું કરડેનું ધન પરદેશ ઘસડી જવામાં આવે છે. પરદેશી કાપડે દેશમાં બેકારી અને ભુખમરે વધા છે. એટલે જો તમે તમારા દેશનું હિત ચાહતા હે અને કરોડો દરિદ્રનારાયણનું ભલું ઈચ્છતા હો તે તમારા ઘરમાં કે તમારા અંગ પર પરદેશી કાપડનું એક ચીથરું પણ ન હોવું જોઈએ. એ દેશની ઘોર બીમારી છે. અતિવિશ્વમના રંગે દેશની દુર્દશા થઈ છે. અને એનું નિદાન વિદેશી દુષિત હવા છે. ભાન લાવનાર મહાત્મા પ્રગટ થયો છે. તેને સાંભળો ! જાગે! અને કર્તવ્યપરાયણ થાઓ ! સમગ્ર જગતમાં જીવનકલહ વ્યાપી રહ્યો છે. આ સંક્રાન્તિ-કાળ છે. સ્વાતન્ય મેળવવું હેય, કડે પાણીએ ખસ કાઢવી હોય તે ખાદીના પૂજારી બની જાઓ ! ખાદીમાં અનેક લાભ છે. ખાદીમાં સાદાઈ છે, સંયમ છે. ખાદીથી જરૂરીઆત ઓછી થઈ જાય, ખર્ચા ઘટી જાય, પૈસાને બચાવ થાય. ખાદીથી દેશના ગરીબેને રેજી મળે, તેમના ધંધા સજીવન થાય. ખાદીના ઉદ્યોગથી ભુખે રીબાતા દેશના કરોડો દુખિયા માણસે કેટલા ભેગા થઈ શકે. ખાદીની વપરાશ અને ભાવના વધતાં જીવન એની મેળે સાદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy