SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ peaksegeseseosesceneseses secas, cesesende Rose કેઈની સાથે વૈર બાંધવું એ ઓછી હિંસા નથી. કેઈને અન્યાય કરી તેની આન્તરડી કકળાવવી એ ઓછી હિંસા નથી. વિશ્વાસઘાત એ ઓછી હિંસા નથી. અશક્ત ગરબે પર અત્યાચાર ચલાવી તેમનું બચ્ચું-ખુણ્યે તૂટી તેમને રેતાં-રડવડતાં કરી મૂકવાં એ ઓછી હિંસા નથી. એવી હિંસા પિષનાર હજાર દેરાસરે બંધાવવા છતાં, હજાર પૂજા--પ્રભાવનાઓ અને હાર સધ્યા-વન્દન કે પિષધ--પ્રતિક્રમણ કરવા છતાં પિતાને ઉદ્ધાર કરી શકતા નથી. ગમે તેવા આકરા તપ કે પ્રચંડ અનુષ્ઠાન કરવા છતાં ઇબ્દ- દ્વેષ, વૈર--વિરોધ કે પરદ્રોહના માનસિક રોગ ખસે નહિ તે તે તપ અને અનુષ્ઠાન નિસાર છે. સંયમી હૃદય દરેકનું હિતેચ્છુ હોય, પાપી-અધમી પર પણ તેને દયાનીજ લાગણી હોય. તે દરેકનું ભલુંજ ચાહે. કેઈનું બુરું કરવાનો વિચાર સરખે તેને ન આવે. પ્રાણી માત્ર સાથે તે મૈત્રીભાવ અનુભવે. સંયમેવળ હદય વિશ્વપ્રેમને દરિયે હેય. પપકાર એ એના જીવનને મન્ન હેય. આ અહિંસક જીવન. જે આત્મામાં અહિંસાની પ્રતિષ્ઠા થાય છે તેની પ્રશમેવલ જીવન-પ્રભા આગળ વૈરીઓનાં વૈર ઠડાં પડી થઈ જાય છે. આજે મુઠ્ઠીભર હાડકાંને માણસ આખા દેશને ડેલાવી રહ્યા છે. એ એની અહિંસાને પ્રતાપ છે. એના ઉજવળ ચારિત્રને આખું જગત્ નમી રહ્યું છે. ચારિત્ર કંઈ ભગવા કપડામાં નથી. એ તો જીવનમાં જોઈએ. જીવનમાં નથી તે બહારનાં ઉપકરણ વિડમ્બના માત્ર છે. બ્રાદાણુ હોય પણ તેનામાં સદાચાર ન હોય તે તે શુદ્ર છે. અને શદ્ર પણ સદાચરણસિમ્પન્ન હોય તે બ્રાહ્મણ છે. એજ વાત મહાભારત કહે છેઃ “शूद्रे चैव भवेद् वृत्तं ब्राह्मणेऽपि न विद्यते । शूद्रोपि ब्राह्मणो ज्ञेयो ब्राह्मणः शूद्र एव च" ॥ જે ગુણમાં ઉો તે ઉચ અને નીચે તે નીચ. મનુષ્યમાત્ર જ્ઞાન અને ચારિત્રને અધિકારી છે. મનુષ્યમાત્ર જ્ઞાન અને ચારિત્રમાં ઉત્કર્ષ પ્રાપ્ત કરી મોક્ષ મેળવી શકે છે. અન્ય અને ચાંડાળો પણ ઉજવળ જ્ઞાન-સમ્પત્તિ અને ચારિત્રના ચગે કષિ-મહષિ બન્યા છે અને સાધનાના શિખરે પહોંચી પરમાત્મપદને પ્રાપ્ત થયા છે. જાતિમાં કે કુલમદ કી દૃષ્ટિનું પરિણામ છે. એ અગતિમાં પાડનાર છે, ભવાન્તરમાં દુર્ગતિના ગતમાં નાંખનાર છે. માણસ અસ્પૃશ્ય નથી પણ પાપ અસ્પૃશ્ય છે, નિન્દિત આચરણ અસ્પૃશ્ય છે. માણસને અસ્પૃશ્ય સમજી ધિક્કારી કાઢ અને દૂર ફેકી દે એ હિંસા છે. એ બ્રાતૃહનું મહાપાપ છે. એ મનુષ્ય-વિરાધના છે. જીવનવ્યવહારમાં માણસ માત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બનવું જોઈએ. એ ચારે તના સમ્મિશ્રણમાં જ પૂર્ણ મનુષ્ય થવાય. બ્રહ્મતત્વનું, આત્મતત્વનું જ્ઞાન–સાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy