SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ખરી રીતે ધમ એ હૃદયની અથવા જીવનની વસ્તુ છે. કોઈ પણ માણસને એક ધમમાંથી બીજા ધર્મમાં ફેરવે એ એક વાત છે અને એના જ ધમમાં એને રહેવા દઈ એને ધમનાં શુદ્ધ તને અનુગામી બનાવે એ એક વાત છે. કઈ પણ માણસ પિતાના ધમમાં રહી બુરાઈ અને પાપને છેડે અને સદાચારના પંથે ચાલે તે જરૂર પિતાનું આત્મકલ્યાણ સાધી શકે છે. સામ્પ્રદાયિક મેહને વશ થઈ, બીજાઓને પોતપોતાના સમ્પ્રદાયના ઝઓ પહેરાવવાનું જયારે વધી પડે છે ત્યારે જગતના શાન્તિમય જીવન પર અશાન્તિનાં વાદળ ઘેરાવા માંડે છે. સાચી વાત તે એ સમજવાની છે કે, સમ્પ્રદાયના ઝખ પહેરાવ્યા વગર કોઈને સાચા પુણ્ય પથ પર શું નથી લાવી શકાતે ? દાખલા તરીકે, કઈ પારસી કે મુસલમાન ભાઈ પોતાના મજહબમાં રહીને માં પાહારાદિ બદીઓને છેડે અને અહિંસા, સત્ય, સંયમ, પરોપકાર અને સેવાભાવના પવિત્ર પંથે ચાલે છે તે પિતાનું આત્મકલ્યાણ શું ન સાધી શકે? જરૂર સાધી શકે. આત્માની સગતિ અને ઉન્નતિ આત્મજીવનને પવિત્ર બનાવવામાં છે. એટલી એક મુદ્દાની વાત બરાબર સમજી જવાય તે મજહબી મામલાના બખેડાઓ ઉભા થવા ન પામે, એ નકકી વાત છે. પ્રજાકીય શાન્તિને ભંગ કરવામાં ધાર્મિક સંકુચિતતાને આવેશ બહુ જબરદસ્ત ભાગ લે છે એ વાત જેટલી ખુન્ની છે તેટલી જ ખેદજનક પણ છે. એ વાત જ્યારે જયારે યાદ આવે છે ત્યારે હદય દ્રવે છે. ધર્મના મૂળ સિદ્ધાને આત્મજીવન સાથે સંબંધ ધરાવે છે એટલે ધર્મને મળ મગ દુનિયાભરને સારુ એક જ છે એ વસ્તુ સમજી જવાય તે જગતુભરમાં મૈત્રી ફેલાય અને જીવનમાં શાન્તિ પથરાય એમાં શક નથી. સત્ય એ ધર્મ છે, ધમ એ પ્રકાશ છે અને પ્રકાશ એ સુખ છે; અસત્ય એ અધમ છે, અધમ એ અધિકાર છે અને અન્ધકાર એ દુઃખ છે. આત્મજીવન સાથે સંબંધ ધરાવનારા અને આત્મજીવનને પવિત્ર બનાવનારા મૂળ સિદ્ધાન્ત અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ અને સેવાભાવ છે. આ મૂળ ધર્મ છે. ધર્મને આ મૂળ માગે છે. આ વિશ્વધર્મ (Universal truth ) છે. જગતને કઈ પણ માનવી આ મહાનું પથ પર ચાલી પિતાના જીવનનો વિકાસ કરી શકે છે. એ પવિત્ર સિદ્ધાન્ત જીવનના આન્તર પ્રદેશમાં જેમ જેમ ખિલે છે તેમ તેમ આત્માને વધારે વિકાસ થાય છે. આત્મજીવનને આ અભ્યાસ જયારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે પરમ મંગલમય, પરમ શાતિમય, પરમ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. અ નું નામ પરમાત્મજીવન. મુંબઈ સમાચાર” દીપોત્સવી અંક તા. ૯-૧૧-૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy