SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વળી, પ્રતિક્રમણની ક્રિયા જુઓ ! તેમાં સમયે સમયે કેટલે ન ઉમેરે થતે રૉ છે! હેમચન્દ્રનું “સલાહંતુ તેમના પહેલાં પાક્ષિકદિ પ્રતિક્રમણમાં નહોતું. તેમનાથી કે તેમના પછી તે દાખલ થયું. “સંસારદાવાનલ' હરિભદ્રસૂરિ પહેલાં નહોતું. ‘સંતિકર” મુનિસુન્દરસૂરિ પહેલાં હતું. ન્હાની “શાન્તિ” “માનદેવ પહેલાં નહોતી. મહેટી શાન્તિ ” શાન્તિસૂરિ પહેલાં નહેતી. આમ “સ્નાતસ્યાપ્રતિમય’ વગેરે પણ તેમના કર્તા “બાલચન્દ્ર' વગેરે પહેલાં હતાં, જે પછીથી પ્રતિક્રમણમાં દાખલ થયાં. આ વસ્તુ સમજાય તે ક્રિયાની વિધિ, જે જુદા જુદા ગચ્છની જુદી જુદી છે તે માટે તકરાર થાય જ નહીં. બધા પિતાપિતાની ક્રિયા સમભાવથી કરે અને સમ્પથી રહે અને આત્મકલ્યાણ સાધે. આજે ‘છઠું ભત્ત”, “અઠુ ભત્ત’ વગેરે તપસ્યાનાં પચ્ચકખાણ અપાય છે તેમાં શું તે પચ્ચકખાણ પ્રમાણે વર્તાય છે? છ ટંકનું ભોજન ત્યજાય ત્યારે “છડુ” કહેવાય. એટલે ચાર ટકનાં ભેજનના ત્યાગ રૂપે બે ઉપવાસ કરાય અને એની આગળ-પાછળ એક ટંકના ભેજનના ત્યાગ રૂપ (એક વખત ભેજન લેવા રૂ૫) એકાસણું” કરાય ત્યારે “છઠ્ઠ” થાય. એ પ્રમાણે આઠ ટકનાં ભજનનો ત્યાગ કરાય ત્યારે અરૃમ” થાય. એટલે છ ટકનાં ભજનના ત્યાગ રૂપ ત્રણ ઉપવાસ કરાય અને એની આગળ-પાછળ એક ટેકના ભેજનના ત્યાગ રૂપ “એકાસણું કરાય ત્યારે અમ” થાય. આ રીત છે. પણ આજે, એ પચ્ચકખાણના નિયમ પ્રમાણે આગળ-પાછળ એકાસણાં જે કરવાં જોઈએ તે વગર એ પચ્ચકખાણ ચલાવાય છે. કિયાકાંડમાં, વિધિ-વિધાનમાં અને વ્યવહારમાં સમયે સમયે કેટલા ફેરફાર થતા રહ્યા છે એને હિસાબ લગાવવા હું અહીં બેઠો નથી. આ તે એક દિશા માત્ર છે. પણ આ ઉપરથી વિચારકની દૃષ્ટિ વિશાળ બની શકે છે. શિયાભેદ કે વિધિભેદમાં કંઈ વજૂદ નથી એ જે સમજાય તે “વાડાબન્દીની દિવાલે ટતાં વાર ન લાગે. અને અવાન્તર ફિરકાઓની તે કોણ કહે, પણ શ્વેતામ્બરે અને દિગમ્બરે, જેઓ ઘણા કાળથી રીસાઈ જુદા બડા છે, તેમાં પણ પરસ્પર મેળ સધાય. એને માટે સમયધર્મનું અનેકાન્તશાસ્ત્ર સમજવું જોઈએ, જે જગતને સમન્વય-દષ્ટિનો પાઠ શિખવે છે, જે જૈન જીવનની વસ્તુતઃ પ્રાણુશક્તિ છે, જેમાંથી જગભરની સાથે સમભાવ, મિત્રીભાવને મહાન આત્મપ્રકાશ પ્રકટ થાય છે. થતામ્બર સાધુ એટલે શ્વેતવસ્ત્રધારી. છતાં શ્વેત વસ્ત્રને બદલે રંગીન વસ્ત્રની પ્રથા ઉભી થઈ તે કેમ? “શ્વેતામ્બર' નામના મૂળ લક્ષણમાં આમ ફેરફાર થાય અને મૂળ નામ તે એનું એજ ચાલુ રહે એ કેવું પરિવત્તન! સમયબળે કે પલટે ખવરાવ્યા ? પાંચમા આરાના આટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy