SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શ્રીપાળ રાજાનો રાસ. બીજા પ્રકારનું સત્ય. મનને અકુટિલતા પ્રમાણે પ્રવર્તાવવું તે ત્રીજા પ્રકારનું સત્ય અને વચનને અકુટિલતાપણે પ્રવર્તાવવું તે ચોથા પ્રકારનું સત્ય. આ ચારે પ્રકારના સત્યને અંગિકાર કરવામાં આવે. તથા ચોવીશ તીર્થકર આદિ નામ સત્ય. તેઓની લાકડા, પત્થર ધાતુ વગેરેના બિંબની સ્થાપના કરવી, અથવા તો ચિત્ર અક્ષર આલેખવા તે સ્થાપનાસત્ય. શ્રેણિક વગેરે ભાવિ કાળમાં થનારા જિન તે દ્રવ્યસત્ય, અને શ્રી સીમંધર પ્રભુ વગેરે વિચરતા તીર્થકર તે ભાવસત્ય. આ પ્રમાણે ચાર નિપા સહિત સત્ય શ્રીજિને જ ભવ્ય જીના ઉપકારાર્થે ઠાણાંગસૂત્રમાં કથેલ છે, તે સત્ય ધર્મને ગ્રહણ કરે. જૈનદર્શન સિવાય બીજાં પાંચે દર્શનમાં આ વાર્તા કથન કરેલ છે જ નહીં. યતિ ધર્માને આઠમ ગુણ તપ છે. તેમાં પણ જઘન્યપણે નોકારશી તપ અને ઉત્કૃષ્ટપણે જાવજજીવ સુધી અનશન વ્રત-એમ બે તપનો સમાવેશ થાય છે. બાકી રહેલ તે મધ્યમ. તે તપના બાર ભેદ છે. તે પૈકી છ બાહ્ય તપભેદ છે તે એ કે–જેની અંદર ખાવાપીવાનું બિલકુલ બંધ તે અનશનતા. જે આહારના પ્રમાણમાંથી એક બે ચાર કોળિયા ઓછું ખાવું તે ઉદરી તપ. દ્રવ્યનો સંક્ષેપ કરે તે વૃતિસંક્ષેપ તપ. રસોનો ત્યાગ કરે તે રસત્યાગ તપ. લોચ વગેરે પરિસહ સહવા તે કાયકલેશ તપ. અને પાંચે ઈદ્રિયોને કબજે કરવી તે સંલીનતા તપ કહેવાય છે. છ અત્યંતર તપ એ કહેવાય છે કે–ગુરુએ આપેલું પ્રાયશ્ચિત લેવું તે પ્રાયશ્ચિત તપ. વિનય સાચવવો તે વિનય તપ. ગુરુને વૈયાવચ્ચ કરે તે વૈયાવચ્ચે તપ. સ્વાધ્યાય ધ્યાન કરવું તે સઝાયતપ. ધ્યાન ધરવું તે ધ્યાનતપ અને ઉપસર્ગ સહન કરવા શરીર છાંડવું તે ઉપસર્ગ તપ કહેવાય છે. આ છે અત્યંતર અને છ બાહ્ય તપ મળી બાર ભેદ થયા. તે તપ દ્રવ્ય અને ભાવથી કરવો. એ તપ કર્મને બાળી ભસ્મ કરનાર હોવાથી નિચેથી પ્રતિશૌચવૃત્તિથી એટલે કે ઇન્દ્રિયોને ન ગમે તેવી પ્રતિકૂળ વૃત્તિ વડે જ કરવો યોગ્ય છે. યતિ ધર્મનો નવમે ભેદ બ્રહ્મચર્ય છે. તે વૈકિય શરીર તથા દારિક શરીર સંબંધી કામભિગ એ બંનેનું કરવું, કરાવવું ને અનુમોદવું એમ ગણતાં છ ભેદ થાય. તે એક એક ભેદને મન, વચન ને કાયા એ ત્રણ યુગ વડે ત્યાગ કરવાથી અઢાર ભેદ થાય છે. તે અઢાર ભેદવાળું સર્વ દુઃખહારક બ્રહ્મચર્યના ૧૮૦૦૦ ભાંગી પણ થાય છે. તે એવી રીતે કે–પૃથિવીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરદ્રિય, પંચંદ્રિય, અને અજીવ એ દશ ભેદને દશ યતિધર્મ વડે ગુણતાં ૧૦૦ થાય, તે એક શ્રોતેંદ્રિયે થયા. તે પાંચ ઈદ્રિયોની સાથે ગુણતાં ૫૦૦ ભેદ થયા તે એ આહારસંશા થયા. તેવી ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચારે ભેદથી ગુણતાં ૨૦૦૦ ભેટ થયા. તેને મન વચન કાયા એ ત્રણેથી ગુણતાં ૬૦૦૦ ભેદ થયા, તેને કરવું, કરાવવું, અનુદવું એ ત્રણેથી ગુણતાં ૧૮૦૦૦ ભેદ થયા. તે અઢાર હજાર શીલાંગરથ કહેવાય છે. તે રથના ઘેરી થઈ યતિધર્મનો નવમો ભેદ અજુવાળ. યતિધનો દશમો ગુણ અકિંચન–પરિગ્રહત્યાગ છે. આત્માને–અધિકરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy