SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) એષણ સમિતિ ઉપર નંદિષણમુનિ-કથા [ ૩૮૯ આ પ્રમાણે એક વાર, બીજી વાર શાસ્ત્રાનુસાર પાણી ગ્રહણ કરવા માટે ફર્યા, પરંતુ તે સ્થાનમાં પાણીની પ્રાપ્તિ ન થઈ. ત્રીજી વખત પાણું મળી ગયું. હવે નંદિષેણ મુનિ શ્વાનસાધુની અનુકંપા-ભક્તિથી ઉતાવળા ઉતાવળા માંદા સાધુ પાસે ગયા. ત્યાં જતાં જ તે ગ્લાન સાધુ અતિશય આક્રોશ કરી કઠોર, આકરા, નિષ્ફર વચને વડે જેમ-તેમ બોલવા લાગ્યા. વળી ભવાં ઉપર ચડાવી, ચહેરો કોધવાળે કરીને આક્રોશવાળાં વચનો કહેવા લાગ્યા કે, “હે મદભાગ્યવાળા ! અ૯પપુણ્યસ્કંધવાળા! ફેંકથી ફોતરાં ઉડી જાય, તેવા અસાર તુચ્છ પુણ્યવાળા ! હું વૈયાવૃત્ય કરનાર છું.-એવા નામમાત્રથી તું તુષ્ટ થાય છે ?–સંતોષ પામે છે? “હું સાધુઓને ઉપકાર કરનારે છું.” એવા નામથી પ્રસિદ્ધિ પામવાની અભિલાષાવાળો છો, પણ તેવા ગુણોને તે ધરાવતું નથી. ભેજન કરીને પછી અહિં આવ્યું. મારી આ માંદગીની અવસ્થા દેખ્યા પછી પણ તું હજુ ભજન કરવાના લોભવાળે છે.” (૬૩૧) આવા પ્રકારનાં અતિ આકરાં વચનોને પણ તે અમૃતસમાન માનતો હતો. ગામના દુર્જન પુરુષોનાં આક્રોશ વચનો સાંભળવામાં આવે, પદાર્થ ખૂંચવી લે, તર્જના કરે, ભય પમાડે, ભયાનક શબ્દોથી હાસ્ય કરે, તે પણ શાન્તભાવથી સહન કરે, સુખ-દુઃખમાં સમાનભાવ રાખે. તે ભિક્ષુક-સાધુ કહેવાય.” આ સર્વે સૂત્રવાસિત અંતઃકરણ હોવાથી તે નંદિણમુનિ આદર સહિત તેમના પગમાં પડ્યા અને ખમાવવા લાગ્યા કે, “મારો અપરાધ માફ કરો, ફરી આમ નહિં કરીશ.” એમ કહીને પોતાનાં મલ-મૂત્રથી તે સાધુની કાયા ખરડાયેલી હતી, તેને ધોઈને સાફ કરવા લાગ્યા. વળી કહ્યું કે, “આપ ઉભા થાવ, આપણે આ સ્થાનથી જઈએ, વસતિવાળા સ્થાનમાં જઈને હું તે પ્રમાણે કરીશ, જેથી અતિ શીધ્ર કાળમાં તમે નિરોગી થઈ જશે. ત્યારે ગ્લાનમુનિએ કહ્યું કે, “હું આ સ્થાનેથી કયાંય પણ જવા શક્તિમાન નથી.” નદિષેણે કહ્યું કે, “તમે મારી પીઠ પર ચડી જાવ” એટલે તે ખભે ચડી ગયા. ત્યાર પછી તે દેવસાધુએ દૈવીમાયાથી અતિશય અશુચિ દુધમય મૂત્ર અને વિષ્ટા એવાં છેડ્યાં કે, જેથી અતિશય દુધ ઉછાળતા, મરેલા કેહાએલા શિયાળ, બિલાડી, ઉંદર વગેરેનાં કલેવરોથી પણ અધિક દુર્ગધ ફેલાવતા એવા અત્યન્ત કલેશ કરાવનાર અશુભ સ્પર્શ હવાથી પીઠપ્રદેશને અપકાર કરનાર હતા. વળી તેને તિરસ્કાર કરતા બોલવા લાગ્યા કે, “હે મુંડિયા ! તને ધિક્કાર થાઓ, તે મારા ઝાડા-પેશાબના વેગનો નાશ કર્યો, તેથી હું વધારે દુઃખ પામું છું.”—એમ ડગલે-પગલે આક્રોશ કરવા લાગ્યા. આ સાંભળીને નદિષેણ મુનિભગવંત જે સમતા રાખતા હતા, તે કહે છે. (૬૩૫) તેનાં કઠેર અરુચિકર વચનોને ગણકારતા કે મન ઉપર લાવતા નથી. તેવાં કઠોર વચને બોલનાર પ્રત્યે ગર્તા કરતા નથી, અતિદુઃસહ્ય અશુભ ગંધ આવવા છતાં નાક મચકોડતા નથી. ત્યારે શું કરતા-વિચારતા હતા ? તે કહે છે– તેની દુર્ગધને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy