SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ] ઉપદેશપદ- અનુવાદ અને ઘરકામમાં આળસ કરવા લાગ્યો. એટલે વળી મામાએ તેને સમજાવ્યો કે, આ પુત્રીએ તને ભલે ન ઈચ્છો, તો હવે બીજી પુત્રી તને આપીશ તે પુત્રી પણ પ્રથમની જેમ ઈચ્છતી ન હતી, એટલે ત્રીજી આપવાનું જણાવ્યું, પરંતુ છેલ્લી પણ પ્રથમ પુત્રીની જેમ તેની અભિલાષા કરતી નથી. ત્યાર પછી તે વૈરાગ્ય પામ્યો, ઘરેથી નીકળી નંદિવર્ધન નામના આચાર્યની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. હવે પોતે પૂર્વ ભવમાં આકરાં પાપકર્મો કરેલાં છે, તે તપ કર્યા વગર નાશ પામવાનાં નથી-એમ માનતા તેણે છરૃને પારણે છ કરવા રૂપ તપ આદર્યો તે છઠ્ઠ તપમાં પાંચ વખતના ભોજનને પરિહાર કરે અને છઠ્ઠા ભજનને ગ્રહણ કરવા રૂપ જે તપમાં વિધિ છે, એવા અન્તર્થ પ્રધાનતાવાળા અથવા તો બે ઉપવાસ લાગલાગટ કરવા રૂપ છડું, તે જે ખમે છે–સહન કરે છે, એ તે છડું ક્ષપક–પિતાના સામર્થ્ય-અનુસાર વિચાર કરીને આગળ કહીશું, તે પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરે છે, તે અભિગ્રહ આ પ્રમાણે જાણ બાળ સાધુ, રોગી સાધુ, વૃદ્ધ, પોણું, આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, નવદીક્ષિત વગેરે ભેદવાળા સાધુઓની અન્ન-પાન આપીને તેમની સાધનામાં મદદગાર બનવા રૂપ વિયાવૃત્ય મારે જ દરરોજ કરવું, પરંતુ મારે કોઈ દિવસ બીજાના ઈચ્છાકારના વિષયભૂત ન બનવું–અર્થાત્ મારું કાર્ય મારે બીજા પાસે ન કરાવવું.” આ પ્રમાણે ગ્રહણ કરેલા અભિગ્રહવાળો તે નિધિલાભથી પણ અધિક સંતોષને વહન કરતો તે અભિગ્રહમાં અતિતીવ્ર અભિલાષ કરવા લાગ્યો. ચારે વર્ણવાળા શ્રમણસંઘની અંદર વેયાવચ્ચ કરનાર તરીકે પ્રસિદ્ધિ પામે. તે વખતે સૌધર્મના ઈન્દ્ર નંદિષેણ મુનિના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરી. ત્યારે શક્રની પ્રશંસામાં અશ્રદ્ધા કરનાર એક દેવ અહિં આવ્યું. તે દેવે બે સાધુનાં રૂપે વિદુર્થી. તેમાંથી એક સાધુ પ્લાન બન્યો અને જંગલમાં રહ્યો. બીજો જ્યાં નંદિષેણ સાધુ હતા, ત્યાં ઉપાશ્રયે ગયે. (૬૨૫) ત્યાં જઈને નંદિપેણ સાધુને કહ્યું કે-“અટવીમાં એક બિમાર સાધુ પડેલા છે. જે કઈ વેયાવચ્ચ કરવાની અભિલાષાવાળા તે જલદી ઉભા થાવ, તેમાં ઢીલ ન કરો. તે વચન નંદિષેણ મુનિએ સાંભળ્યું. આ સમયે પિતે છડુતપના પારણા માટે સર્વ સંપન્કરી નામની પ્રથમ ભિક્ષા વિશેષ લઈને આવ્યા હતા. પારણું કરવા બેઠા હતા. પ્રથમ કળિયે હાથમાં લીધેલો હતો. જેવું દેવનું વચન કાને પડયું કે, તરત જ ઉતાવળા ઉભા થઈને પૂછવા લાગ્યા કે, “બેલે, ત્યાં કઈ વસ્તુનું પ્રયોજન છે?” “ત્યાં સન્નિવેશમાં પાણી નથી, એટલે પાણીની જરૂર છે. એટલે નંદિ મુનિ ઉપાશ્રયેથી નીકળીને પાણીની ગવેષણ કરવા નીકળ્યા. ત્યાં બે ઉપવાસવાળા હેવાથી, તરશ-ભૂખથી દુર્બલ કુક્ષિવાળા પાણી માટે ભ્રમણ કરતા હતા, પરંતુ આ દેવ દરેક જગે પર પાણી ન કપે તેવું અશુદ્ધ કરી નાખે છે. આ સાધુ તે અશુદ્ધ પાણી ગ્રહણ કરતા નથી, તેમ તેને કહેતા નથી કે, કેમ આમ કરે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy