SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ જ્ઞાનને પચાવવું ઘણું જ અઘરું કામ છે, પરંતુ આ મહાપુરુષ શાસ્ત્રોના પદાર્થોના બોધને પોતાના જીવનમાં પચાવી ખૂબ જ ગંભીર બન્યા હતા. સૌ પ્રત્યે વાત્સલ્યભાવને કારણે એ સ્વપર બધા સમુદાયોમાં પ્રિયપાત્ર બની ગયા. એ મહાપુરુષમાં બીજાને સંયમમાં સ્થિર કરવાની અદ્ભુત કલા હતી. કર્મના ઉદયથી અસ્થિર બનેલા અનેક આત્માઓને એમણે સ્થિર બનાવ્યા છે. ગંભીરતાના તો દરિયા હતા અને એ કારણે જ એમની પાસે અનેક આરાધક આત્માઓ આવીને નિખાલસપણે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતા હતા. વાત્સલ્ય અને પ્રશમભાવનાના તો સાગર હતા. એક નાનામાં નાની વ્યક્તિ સાથે વાતચીત કરવામાં એમને સંકોચ ન હતો. કષાયો તો એઓશ્રીના જીવનમાં ભાગ્યે જ જોવા મળે. એમણે પોતાના જીવનમાં નમસ્કારમહામંત્રની અપૂર્વ આરાધના કરી અને બીજાને કરાવી છે. અનેક ગામો અને તીર્થભૂમિઓમાં વિધિપૂર્વક લાખ નવકાર જાપના અનુષ્ઠાન કરાવી સકલ સંઘમાં મહામંત્રના જાપ અને ધ્યાનનો ફેલાવો કર્યો છે. જાપ અને ધ્યાનની સાથે આધ્યાત્મિક ભૂમિકામાં પણ એ મહાપુરુષ ખૂબ જ આગળ વધેલા હતા. નમસ્કારમહામંત્ર અને નવપદ ઉપર ખૂબ જ ચિંતન અને અનુપ્રેક્ષા કરી શાસ્ત્રોના રહસ્યને પ્ર ગટ કરનારા અનેકવિધ ગ્રંથરત્નોની તેઓશ્રીએ શાસનને ભેટ ધરી છે. આયંબીલ તપના તેઓશ્રી ખૂબ જ પ્રેમી હતા. ગૃહાવસ્થામાં પણ એમને લાગટ છ મહિના સુધી આયંબીલ કર્યાં હતાં અને દીક્ષા પછી પણ પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ વર્ધમાનતપની બાવન ઓળીઓ પૂર્ણ કરી છે. મુંબઈ, મહારાષ્ટ્ર, જામનગર, હાલાર પ્રદેશના ગામડામાં, ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને રાજસ્થાનના અનેક ગામોમાં વિચરીને શાસન પ્રભાવનાનાં અનેક અનુષ્ઠાનો કરાવ્યાં છે. તેઓ નિઃસ્પૃહશિરોમણિ હતા. ભયંકર માંદગી અને શારીરિક રોગોમાં પણ એમની સમતા અને સમાધિ આ પંચમકાલમાં એક મહાન આદર્શભૂત હતી. સંયમ જીવનની ખૂબ કાળજી રાખતા હતા. ક્રિયા-પાલનમાં પણ શુદ્ધિ જાળવવા ખૂબ જ સજાગ રહેતા. જીવમાત્રની હિતચિંતારૂપ મૈત્રી આદિ ભાવો તો એમના જીવનના પ્રાણ હતા. એ કારણે જ તો સ્વ-પર સમુદાયના અનેક મહાત્માઓ કહેતા હતા કે આ મહાપુરુષ તો Jain Education Intemational વિશ્વ અજાયબી : મૈત્ર્યાદિભાવોની સાક્ષાત્ મૂર્તિ છે. અગણિત ગુણોથી ઓતપ્રોત તેઓશ્રી જૈન શાસનના એક મહાન તેજસ્વી રત્ન હતા. છેલ્લાં ૧૫ વર્ષોથી એ મહાપુરુષ મારવાડની ભૂમિને પાવન કરી રહ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષોથી તેઓશ્રીની તબિયત અસ્વસ્થ રહેતી છતાં પોતે ખૂબ જ સજાગ અને સમાધિમાં તલ્લીન હતા. ૨૦૩૫માં પૂજ્યપાદ ગચ્છાધિંપતિ આચાર્યદેવશ્રીની આજ્ઞાથી પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ પાટણ મુકામે ચાતુર્માસાર્થે પધાર્યા હતા અને ચાતુર્માસ દરમિયાન પોતાના ગુરુદેવશ્રી આચાર્યદેવશ્રીની શુભ નિશ્રામાં ખૂબ જ સુંદર આરાધના કરી હતી. વૈશાખ સુદ ૧૨થી તબિયતમાં વધારે વળાંક આવ્યો. કફની સાથે હેડકીની પણ તકલીફ ચાલુ થઈ. મુંબઈના ડૉ. શરદભાઈ અને અહીંના ડૉ. જીવણભાઈ આદિ ખૂબ જ કાળજી અને ભક્તિપૂર્વક યોગ્ય ઉપચાર કરતા હતા. પૂજ્યપાદશ્રીની સમાધિ માટે પ. પૂ. શ્રી પ્રદ્યોતન વિ. મ., પૂ. મુ. શ્રી કુંદકુંદ વિ. મ., પૂ. મુ. શ્રી વજ્રસેન વિ. મ., પૂ. મુ. શ્રી જિનસેન વિ. મ. આદિ બધા મહાત્માઓ ક્રમશઃ નમસ્કાર મહામંત્રાદિ સંભળાવતા જ હતા. એવી તબિયતમાં પણ પોતે ખૂબ જ સજાગ અને સમાધિમાં હતા. વૈશાખ સુદ ૧૩ના રોજ મુમુક્ષુ શ્રી વેલજીભાઈની દીક્ષા હતી. તે નિમિત્તે વેલજીભાઈ ઉપર વાસક્ષેપ નાખી આશીર્વાદ પણ આપ્યા હતા. વૈશાખ સુદ ૧૪ની બપોરે અશક્તિ હોવા છતાં પણ મોઢેથી નવકાર પણ બોલ્યા હતા. યોગ્ય ઉપચાર ચાલુ જ હતા. સમય વહેવા માંડ્યો.....! અને સાંજે છ વાગે પૂ. શ્રી કુંદકુંદ વિ. મ., પૂ. મુનિશ્રી વજ્રસેન વિ. મ., પૂ. મુ. શ્રી જિનસેન વિ. મ., પૂ. મુ. શ્રી ચારિત્રભૂષણ વિ. મ. અને પૂ. મુ. શ્રી રત્નસેન વિ. આદિ મુનિરાજો તથા ચંદ્રકાંત (હાલ મુનિશ્રી દિવ્યસેનવિજય) તથા અશોક (હાલ મુનિશ્રી હેમપ્રભવિજયજી)એ પૂજ્યશ્રી સાથે પક્ષી પ્રતિક્રમણ ચાલુ કર્યું. પ્રતિક્રમણની બધી ક્રિયાઓ કરી, બધા કાઉસ્સગ્ગો કર્યા. પછી માત્રાની શંકા થઈ હોવાથી પાટ ઉપરથી બે મુનિવર્યોએ નીચે ઉતારી માત્રુ કરાવ્યું. માત્રુ કર્યા પછી પાટ ઉપર સૂતી વખતે “હવે આ છેલ્લો સમય છે.” એટલું બોલી પૂજ્યપાદશ્રી ખૂબ જ સજાગ અને સાવધાન બની ગયા. બધાની સાથે ક્ષમાપના કરી. અને પક્ષી પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી શ્વાસની ગતિમાં મંદતા જણાતાં જ સૌએ નવકાર મહામંત્રની ધૂન ચાલુ મ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy