SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ વિશ્વ અજાયબી : આ લેખની રજૂઆત કરનાર પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદીનું વતન ગલસાણા, તા. ધંધુકા (જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૭૩માં એમ.એ. થયા પછી કવિશ્રી બોટાદકર કોલેજ–બોટાદ, પછી સી.એન. કોમર્સ કૉલેજવિસનગરમાં અને ૧૯૮૧થી જે. એમ. શાહ આર્ટ્સ-કોમર્સ કૉલેજ, જંબુસરમાં અધ્યાપક તથા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ. સને ૨૦૦૯થી સ્પે. નિવૃત્તિ લીધી. અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વ.માં કલમ ચલાવે છે. હિંદીમાં ‘વેદવાણી’, ‘પરોપકારી” જેવા ઉચ્ચકક્ષાનાં સામયિકોમાં લેખ પ્રકાશિત થયા, જેના ફળસ્વરૂપે ડૉ. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના “આર્યલેખક કોશ'માં સ્થાન મળ્યું. - પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વગેરે પર સંખ્યાબંધ વ્યાખ્યાનો તથા ૬ જેટલાં રેડિયો પ્રવચનો આપ્યાં છે. આ વિસ્તારમાં ઉદ્ઘોષક તરીકે સેવાઓ આપેલી છે. સ્તંભેશ્વરતીર્થ (કાવી-કંબોઈ) અંગે ઓડિયો-વિડિયો સી.ડી. બનાવવામાં યોગદાન આપ્યું. ‘આકાશવાણી’ના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના (૧૯૯૦ થી ૯૩) સભ્ય હતા. ગુજરાત રાજય અભિલેખાગાર (આકઈઝ)માં ભરૂચ જિ.ના સભ્ય તરીકે લેવાયા છે. સમાજસેવા અને લેખનપ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદીના નાનાં-મોટાં પચીસેક પુસ્તકો સંપાદિત/પ્રકાશિત થયેલ છે. તેમની પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. સને ૨૦૦૭માં ના. માહિતી નિયામકશ્રીની કચેરી–ભરૂચ દ્વારા “મળવા જેવા માણસ'માં તેમનો પરિચય વિસ્તૃત રીતે લેવાયો છે, ભરૂચ જિલ્લા “હેરિટેજ કમિટી'માં સ્થાન પામનાર પ્રા. ત્રિવેદીએ મુંબઈ સ્થિત શ્રી હર્ષદભાઈ શેઠની વી.સી.ડી. જન્મભૂમિ જંબુસર : એક ઝલક'નું આલેખન કર્યું છે. ભરૂચ જિલ્લાના ગૌરવવંતા સાહિત્યકારોની સંપાદનસંકલન સમિતિના સક્રિય સભ્ય એવા પ્રા. બી. આર. ત્રિવેદીએ ત્રીસેક પુસ્તકોમાં પ્રકરણો લખ્યાં છે. માતૃભાષા પ્રત્યેની મમતાથી પ્રેરાઈને તેમણે ગુજરાતી ભાષામાં સીમાચિહ્નરૂપ પગલાં પાડનારાંઓ’ લેખમાં વિશિષ્ટ કેડી કંડારી જનારાઓને યાદ કરીને તેમની મહત્તાને અંજલિ આપી છે. ગુજરાતી ભાષાના ઇતિહાસપ્રેમીઓને તો આ લેખ “જનરલ નૉલેજના એક ભાગરૂપે ખાસ ઉપયોગી થશે એવું અમારું નમ્ર માનવું છે. ધન્યવાદ. –સંપાદક સરનામું : પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી ૨૫-જયમહાદેવનગર, જંબુસર-જિ. ભરૂચ ૩૯૨ ૧૫૦. અનંત લબ્ધિ નિધાન : પૂ. શ્રી ગૌતમ સ્વામી (ભરતક્ષેત્રે કેવલી પરંપરામાં) આખરી | તીર્થકર ભગવાન શ્રી વર્ધમાન સ્વામી (મહાવીર કેવલજ્ઞાની' : પૂ. જંબુસ્વામી સ્વામી)ના ૧૧ ગણધરો પૈકી તેઓ પ્રથમ હતા. ભગવાન ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવાનના શાસનમાં મહાવીર અને ગૌતમ સ્વામી વચ્ચેનો સંવાદ સમગ્ર સંઘનાયકની બીજી પાટે આચાર્ય જંબૂસ્વામી થયા. ભગવાન જિનાગમશાસ્ત્રમાં અગત્યનો છે. તેમની વચ્ચેના સૌથી વધુ મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામી જંબૂસ્વામીના પ્રશ્નોત્તરો આશરે ૩૬,૦૦૦ ભગવતી સૂત્રમાં છે. પોતાના અતિ દીક્ષાગુરુ અને વિદ્યાગુરુ હતા. ઉગ્ર તપ, ઉત્તમોત્તમ ભાવ અને ધ્યાનના કારણે તેઓ જંબુકુમારનો જન્મ વીર નિર્માણ પૂર્વે ૧૬મા વર્ષે લબ્લિનિધાન પણ છે. દીપોત્સવીએ ચોપડાપૂજનમાં “શ્રી ગૌતમ રાજગૃહીનગરમાં થયો. પિતાનું નામ ઋષભદત્ત, માતા ધારિણી. સ્વામીની લબ્ધિ હોજો' અને નૂતનવર્ષના મંગલ પ્રભાતે “શ્રી તેમને ૮ રૂપવતી પત્નીઓ હતી. આર્ય સુધર્માસ્વામીએ ગૌતમ સ્વામીના રાસ'ના માંગલિક શ્રવણની પરંપરા વર્ષોથી ચાલતી આવેલી છે. જંબૂકુમાર સહિત ૫૨૭ મુમુક્ષુઓને રાજગૃહના ગુણશીલ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy