SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ સ્વાનુભૂત પ્રસંગો જે જે મહાનુભાવ સંતોના અનુભૂતિ પ્રસંગો એક યા બીજા માધ્યમ દ્વારા અમને મળ્યા છે તે સૌનો અમે ભાવથી અને શ્રદ્ધાથી આદર કરીએ છીએ. સમયકાળ ઝડપથી બદલાઈ રહ્યો છે. એકવીસમી સદીમાં પ્રવેશવાની તૈયારીમાં છીએ, જીવનના રંગઢંગ નવી જ દિશા પકડી રહ્યા છે. જમાનાની દૂષિત હવાએ સમગ્ર માનવજીવન ઉપર ઝેરી ભરડો લીધો છે ત્યારે પણ માનવીની ધર્મશ્રદ્ધાનો દીવડો વધુ વધુ પ્રકાશ પાથરી રહ્યો છે. 783 હૈયાના સાચા ભાવથી અને શ્રદ્ધાથી ઇષ્ટ દૈવી તત્ત્વોની ભક્તિ-ઉપાસનામાં માનવીનું મન જો લગાતાર લાગી જાય તો એવા જીવોને દૈવી કૃપાનો અવશ્ય સાક્ષાત્કાર થાય છે જ... અને એવા સાધકોના અનુભૂતિ–પ્રસંગોનું આલેખન એમના પોતાના જ શબ્દોમાં અત્રે રજૂ કરીએ છીએ. –સંપાદક પ્રગટ પ્રભાવ માણિભદ્રવીરનો.. -પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ સોરઠની ધરતી તો સ્વાભાવિક રીતે જ મહિમાવંતી. તેમાં ગોંડલ સ્ટેટના ધોરાજી ગામથી ૧૦ કિ.મી. દૂર મોટી મારડ ગામ આવેલ છે. ત્યાંથી મજેવડી થઈને જૂનાગઢ જઈ શકાય છે. એવા આ મોટી મારડ ગામમાં વિ. સં. ૧૯૫૨ના ફા.વ.૨ ના રોજ શિખરબંધી દહેરાસરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ જિનેશ્વર ભગવંતોની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ, તેની સાથે જ ત્યાં શ્રી માણિભદ્ર વીરની પણ સ્થાપના કરવામાં આવી હતી. તે વખતે ત્યાં જૈનોની વસ્તી સારી અને ગામની જાહોજલાલી પણ સારી હતી. અત્યારે પણ આ ગામની જાહોજહાલી ખૂબ જ છે. Jain Education International તે પ્રતિષ્ઠા થયા બાદ લગભગ ૨૫ થી ૩૦ વર્ષના સમયગાળામાં એક મધ્યરાત્રિએ ચોરોએ દહેરાસરનાં તાળાં તોડ્યા અને મૂલ્યવાન મુગટ-આંગી-વગેરેનાં પોટલાં બાંધ્યાં. તે લઈને તેઓ બહાર પણ નીકળ્યા. જેવા તેઓ દહેરાસરથી નીકળીને બસો--અઢીસો ગલાં આગળ વધ્યો ? તુરત જ તેઓ ત્રણેય આંધળા થઈ ગયા. કંઈ જ દેખાય નહિ. પછી આગળ તો વધે જ શી રીતે ક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy