SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ 590 મંજાવી લેવરાવવાં. ૭. પૂજનની તૈયારી કરવા આવનાર ભાઈને તમામ સામગ્રી સુપ્રત કરી કામકાજ માટે બે ભાઈઓએ સાથે રહેવું. તપાગચ્છાધિષ્ઠાયક ૮. પૂજનકાર્ય એક લિંક સ્વરૂપ ચાલે, વચ્ચે વચ્ચે અવરોધ ન થાય તે અનુસાર સર્વ સામગ્રી અગાઉથી થાળમાં યથાયોગ્ય સ્થાને ગોઠવી દેવી. ૯. કુંભસ્થાન–દીપકસ્થાપનની જગ્યાએ કરવાની તૈયારી અગાઉથી કરી દેવી. ૧૦. શ્રીફળસ્થાપન માટે એક સારું મોટું પાણીવાળું શ્રીફળ આંખ ન દેખાય તે રીતે ચોટલી રાખી છોલાવવું. તેને લિસ્સું કરી તે પર સુખડનું તેલ લગાવી ચાંદીના વરખ છાપી તે ઉપર સોનાના વરખ છાપી સોનેરી બનાવવું. તે શ્રીફળ પર અષ્ટગંધયુક્ત કેસરથી ગુલાબની સળીથી આ મંત્ર લખવો. ॐ ह्रीं क्लीं ब्लूं ऐं श्री माणिभद्राय नमोस्तु ते ठः ठः ठः स्वाहा ॥ ત્યારબાદ એક પાનબીડું (પાનમાં સોપારી, સાકરની કણી, ઇલાયચી, લવિંગ, અક્ષત, વાસચૂર્ણ, ચાંદીની લગડી) એક જર્મન સિલ્વરના વાટકામાં મૂકી તે ઉપર આલેખેલ શ્રીફળ ઊભું રહે તે રીતે ગોઠવી આ વાટકો તૈયાર કરવો. ૧૧. શ્રીફળસ્થાપન સમયે આ વાટકો જ નિશ્ચિત સ્થાને સ્થાપન કરાવવો. પૂજન પૂર્ણ થયા બાદ આ શ્રીફળ પૂજનકારક સ્વગૃહે માંગલિક સ્વરૂપે, ગુરુભગવંત પાસે વાસક્ષેપ કરાવી, ઇષ્ટદેવના સ્થાનમાં પધરાવી શકે છે. ન રાખવાનું હોય તો વિધિકારે શ્રીફળ પર વિસર્જનમંત્ર પૂર્વક વિસર્જિત કરવું. ૧૨. પરનાળિયો બાજોઠ શુદ્ધ કરી તે ઉપર રેશમી લાલ સિલ્કનું કાપડ નાડાછડીથી બાંધી દેવું. વચ્ચેમધ્યમાંઅષ્ટગંધયુક્ત કેસરથી ષટ્કોણ આલેખી, ષટ્કોણ મધ્યે કાર લખીને ૧૫ રૂપિયો—સોપારી મૂકી તે પર દેવમૂર્તિ પધરાવવી. ૧૩. બાજોઠની નીચે મધ્યભાગમાં અગાઉથી કેસરથી ૐ કાર લખી રાખવો તથા બાજોઠના ચાર પાયા નજદીક દરેક પાયા પાસે કેસરના—અક્ષતના સ્વસ્તિક કરાવી તે પર ૧૫ રૂપિયો ને સોપારી મુકાવવાં. ૧૪. બાજોઠ નીચે મધ્યભાગમાં જે ૐ કાર આલેખેલ છે તે પર શ્રીફળસ્થાપન સમયે મંત્ર બોલવાપૂર્વક શ્રીફળયુક્ત જર્મન સિલ્વરનો વાટકો કુંવારિકા દ્વારા સ્થાપન કરાવવો. ૧૫. જો કોઈ પ્રાચીન દેવકુલિકા જ હોય, મૂર્તિ સ્થાપિત જ હોય અને આ પૂજનકાર્ય કરવાનું હોય તો દેવમૂર્તિની ડાબી બાજુ (આપણી જમણી બાજુ)ના ખૂણામાં આ શ્રીફળસ્થાપન વિધિ કરાવવી. ૧૬. જો કોઈ પ્રાચીન દેવકુલિકા કે ગોખ હોય તો બાજોઠ સ્થાપિત કરવાનો રહેતો ન હોવાથી અષ્ટગંધયુક્ત કેસરથી ષટ્કોણ આલેખન મૂર્તિની પાછળની ભીંતે ઉપરની બાજુ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy