SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] મંત્ર, તંત્ર તંત્ર અને અને યંત્ર * પ્રા. સી. વી. રાવળ મંત્ર, તંત્ર અને યંત્રોના સંશોધનો અને રહસ્યોની ખોજમાં શ્રી સી. વી. રાવળ સાહેબે જીવનભર ઘણો મોટો પુરુષાર્થ કર્યો છે. તેના પરિપાકરૂપે લેખકશ્રીએ આ વિસ્તૃત લેખમાં મંત્ર, તંત્ર અને યંત્રની વ્યાખ્યા તેમજ એના ઉપયોગ સંબંધે અનેક નિર્દેશનો આપ્યાં છે; અને તેમાં તત્ત્વજ્ઞાનનું સુંદર નિરુપણ પણ કરવામાં આવ્યું છે. મંત્ર, તંત્ર અને યંત્રની આ વિસ્તૃત અને રોચક માહિતી જિજ્ઞાસુઓને અત્યંત રસપ્રદ અને ઉપયોગી બની રહે તેવી છે. મંત્ર અંગે તેમનો પોતાનો અભિગમ ખરેખર નોંધપાત્ર છે. સંપાદક મંત્ર મંત્રની વ્યાખ્યા આપતાં આમ્નાય કહેછેઃ મનનત્રાળ ધર્માોમન્ત્રાઃ। 'મનન' એ પરમેશ્વરની પરસ્ફુરણા કે મહાશકિતનો પરામર્શ છે.આ પરામર્શ તે શકિતના વૈભવની અને ઐશ્વર્યની ઝાંખી કરાવે છે. 'ત્રાણ ' એ સંસારની અપૂર્ણતાનું પ્રશમન કે રક્ષા છે. આ પ્રમાણે શકિતના વૈભવનું 'મનન' અને સાંસારિક અવસ્થામાં રક્ષણની અનુભૂતિ એ મંત્ર છે. વળી, મન અતિશય ચંચળ હોઈને તેની વૃત્તિઓને કાબૂમાં લઈ એકાગ્ર કરવાનું કામ મંત્ર કરે છે. આમ, અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ) સાથે મંત્રશકિતનો સીધો સંપર્ક છે. જે ગુપ્તપણે કહેવાય છે તે મંત્ર છે; અને જે શબ્દરચના દેવાધિષ્ઠિત હોય તેને પણ મંત્ર કહેવામાં આવે છે. [ ૧૪૭ મંત્ર અંગે પૂર્વાચાર્યો અને મંત્રવિદોએ કરેલાં કેટલાંક વિધાનો અને અર્થો સંબંધમાં જોઈએ ઃ (૧) પુરુષદેવતાથી અધિષ્ઠિત તે મંત્ર અને સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત તે વિદ્યા. વિદ્યા અનુષ્ઠાન કરવાથી સિદ્ધ થાય, જ્યારે મંત્ર અનુષ્ઠાન વિના પણ સિદ્ધ થાય છે. (૨) પાઠસિદ્ધ હોય તે મંત્ર. (૩) દેવથી અધિષ્ઠિત વિશિષ્ટ અક્ષરોની રચના-વિશેષ તે મંત્ર. (૪) જેનું મનન કરવાથી રક્ષણ થાય તે મંત્ર. મનનાત્ ત્રાયતે કૃતિ મંત્ર (૫) જેમાં ઉત્કૃષ્ટ સ્થાને રહેલી વ્યકિતઓનો અથવા દેવદેવીઓ આદિનો આદરસત્કાર કરવામાં આવ્યો હોય તે મંત્ર. વેદો પર નિરુકિતની રચના કરતાં યાસ્કાચાર્યે મંત્રની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે, 'જે સૂત્ર વારંવાર મનન કરવા યોગ્ય હોય તે મંત્ર કહેવાય.’ Jain Education International મંત્ર એવું વિજ્ઞાન છે, જેનાથી શિતનો ઉદ્ભવ થાય છે, જેનાથી મનનો અંધકાર દૂર થાય છે; અને તે એવી મનોભૂમિ તૈયાર કરે છે જેમાં ઈશ્વરીય સત્તા કેન્દ્રીભૂત થાય છે. સત્, ચિત્, આનંદ સ્વરૂપ ઈશ્વરનો સાક્ષાત્કાર મંત્રશકિત કરાવે છે. ચોક્કસ ધ્વનિઓનો સમૂહ એ મંત્રનું સ્વરૂપ છે. એના સ્વરો પર યથાર્થ ધ્યાન આપવામાં ન આવે તો મંત્રની વિકૃતિ થાય છે. વિધિપૂર્વક અને શુદ્ધ સ્વરયુકત મંત્રપ્રયોગ કરાય તો શકિતનો પ્રાદુર્ભાવ થાય છે, અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. મંત્રસાધના દ્વારા દેવદેવીઓ આપોઆપ સાનુકૂળ થાય છે. આમ, મંત્રયોગીને સંસારનો સર્વ વૈભવ સુલભ થાય છે. પ્રાયશ્ચિત માટે પણ મંત્રનો ઉપયોગ થાય છે. પ્રાયશ્ચિતનો અર્થ તપશ્ચર્યા વડે આપણા તન-મનને શુદ્ધ કરવું એ છે. આપણા તન-મનને તથા ચિત્તવૃત્તિને તપાવી તપાવીને તેમાં રહેલી અશુદ્ધતાને બાળી મૂકવી અને તેમને સોનાં જેવાં શુદ્ધ કરવાં એ તેની પાછળનો આશય છે. ‘પ્રાયો નામ તપ પ્રોક્તમ્, ચિત્ત માનસમુચ્યતે ।' આવા પ્રાયશ્ચિત માટે જે વચનો કામમાં આવે છે તે પણ મંત્ર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy