SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ દેવમન્દિરામાં ભેગાસનાનાં શિલ્પ છે કે બંગાળી વૈષ્ણવાના લાકડાના અને ધાતુના બનાવેલા રથે। ઉપર સુશે।ભન માટે આવી કાતરણી હજી પણ કરવામાં આવે છે. મુર્શિદાબાદ જિલ્લામાં કુંજઘાટના જમીનદારેાના રથા ઉપર નાનપણમાં આવુ શિલ્પ જોયાનું તેએ જણાવે છે. અત્યારે પણ કેટલાક જૂની પતિના કારીગરા મકાનના રક્ષણ માટે કાઇ ખૂણાપડતા સ્થળે આવી એકાદ મૂર્તિ ગેાાવી દેવાનુ ઇષ્ટ માને છે. (૪) જે મન્દિરામાં અશ્લીલ શિલ્પાકૃતિઓ મળે છે તે મૂળ શાક્ત સંપ્રદાયનાં હોવાની માન્યતા એક જાણીતા વિદ્વાને વાતચીતમાં જણાવેલી.૮ પરન્તુ આ લેખના ત્રીજા પેરેગ્રાફમાં જે મન્દિરાની નોંધ છે તે સર્વ અગાઉ શાક્ત સંપ્રદાયનાં હતાં એમ કા પણ કહી શકે તેમ નથી, એટલે આ મતની અશાસ્ત્રીયતા સ્વતઃસિદ્ધ છે. ( ૫ ) બીજી એક લૌકિક માન્યતા વિષે એક મિત્રે પત્રદ્રારા જાણ કરેલી. તે માન્યતા એવી છે કે જ્યારે લેાકા જૈન અને બૌદ્ધ ધર્માંના વસ્ત્ર નીચે આવીને સંસારવિરકત બનતા હતા ત્યારે તેમને પાછા સંસાર તરફ ખેંચવા માટે ચૈત્ર અને વૈષ્ણવ આચાર્યોએ મન્દિરમાં ભેગાસનેનાં શિલ્પાને સ્થાન આપવાના ઉપદેશ કરેલે હશે. આ માન્યતા પણ અજ્ઞાન છતાં ફળદ્રુપ એવા બહુજનસમાજના માનસની પેદાશ છે, એટલે એ વિષે વિશેષ કંઇ લખવાની જરૂર રહેતી નથી. એ માન્યતાને વાસ્તવિક ગણીએ તેાયે જૈન મન્દિરામાં પણ ભાગાસનેાનાં શિલ્પ મળે છે તેને ખુલાસા કયી રીતે મેળવી શકાય ? ( ૬ ) આવાં શિલ્પાની અશ્લીલતાથી ચાંકીને કેટલા એવુ ૭. History of Orissa, Vol. II, pp. 401. ૮. આ મતના લિખિત ઉલ્લેખ માટે ટિ. ૬ માં આપેલા અવતરણને પહેલા પેરેગ્રાફ જીએ. Jain Education International a For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy