SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો બેઠા. એ સમયે પંજાબમાં ઢુંઢક મતનું પ્રાબલ્ય હતું. ધર્મવૃત્તિવાળા કૃપારામ પણ તે મતની ક્રિયાઓ કરવા લાગ્યા. દરમિયાન કૃપારામનું વેવિશાળ કરવામાં આવ્યું હતું પણ કોઈ કારણસર તે તૂટ્યું. બીજે ઠેકાણે વાત ચાલતી હતી, પણ તે મુલતવી રહી. આ વખતે સં. ૧૯૦૩માં પૂ. બૂટેરાયજી મહારાજે મુનિ મૂળચંદજી તથા શ્રી પ્રેમચંદજી સાથે ઢુંઢક મતનો ત્યાગ કર્યો. કૃપારામમાં વૈરાગ્યભાવના જાગી. સં. ૧૯૦૫માં દીક્ષા લેવાનો વિચાર કર્યો, પણ તે પાર પડ્યો નહીં, પરંતુ બૂટેરાયજી મહારાજે સં. ૧૯૦૮માં અષાઢ સુદ ૧૩ને દિવસે દિલ્હીમાં દીક્ષા આપી તેમને શ્રી વૃદ્ધિચંદજી નામે ઘોષિત કર્યા. શ્રી વૃદ્ધિચંદજી મહારાજે દીક્ષા ગ્રહણ કરીને અભ્યાસ અને ભક્તિમાં ખૂબ ધ્યાન આપ્યું. પછી તેઓ ગુજરાતમાં આવ્યા. અહીં તેઓશ્રીની પુણ્યપ્રતિભા ખૂબ વિસ્તરી. સં. ૧૯૧૨માં અમદાવાદમાં શ્રી બૂટેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજની વડીદીક્ષા પં. શ્રી મણિવિજયજી દાદા પાસે થઈ. શ્રી વૃદ્ધિચંદજીનું નામ મુનિશ્રી વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રીએ ગ્રામાનુગ્રામ વિહાર કરીને ધર્મોપદેશ આપવા માંડ્યો, તેમ જ શાસનહિત માટે અનેક કાર્યો કરવા માંડ્યા. તેમની વાણી અતીવ મધુર અને પ્રભાવી હતી. વળી તેઓશ્રી એટલા નમ્ર હતા કે કોઈની સામે સહેજ પણ કડક વલણ દાખવતા નહીં. શ્રી બૂટેરાયજી મહારાજના સ્વર્ગવાસ પછી શ્રી મૂળચંદજી મહારાજ, કે જેઓ તેમના ગુરુભાઈ હતા તેમને વડીલ માન્યા અને તેમના ભક્તિવિનયમાં પોતાની મહત્તા સમજી. શત્રુંજય અંગેની લડતમાં તેઓશ્રીએ આગવું કાર્ય કર્યું. ભાવનગરમાં સંઘ વચ્ચે ચાલતા ઝગડા મિટાવ્યા. જૈનધર્મ પ્રસારક સભા' તથા ‘જૈન ધર્મપ્રકાશ’ માસિક પણ તેઓશ્રીની સદ્ભાવનાનું ફળ છે. પૂજ્યશ્રી દીક્ષા લીધા પછી પંજાબમાં ત્રણ વર્ષ રહ્યા. સં. ૧૯૧૧માં ગુજરાતમાં આવ્યા. પછી પંજાબ ગયા જ નહીં. ગુજરાતમાં ૩૮ ચોમાસાંમાં અડધોઅડધ તો ભાવનગરમાં જ કર્યાં. બાકીનાં વલ્લભીપુર, પાલિતાણા, અમદાવાદ વગેરે સ્થાને કર્યાં. જીવનની છેલ્લી ઘડી સુધી જૈન વિદ્યાશાળા તેમ જ પાઠશાળા માટે ચિંતા સેવ્યા કરી. સં. ૧૯૪૯માં વ્યાધિએ જોર કર્યું. ‘અરિહંત સિદ્ધ સાહુ'ના ધ્યાનમાં વૈશાખ સુદ ૭ની રાતના ૯-૩૦ કલાકે ભાવનગરમાં દેહોત્સર્ગ કર્યો. તેમનાથી દીક્ષિત થયેલા પં. શ્રી ગંભીરવિજયજી, શ્રી ધર્મસૂરિજી (કાશીવાળા), શ્રી વિજયનેમિસૂરિજી આદિ સાધુઓ હતા. Jain Education International 904 ન્યાયાભોનિધિ, કુવાદિતિમિરતરણી પૂ. આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજ પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક જૈનાચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. પૂ. આત્મારામજી મહારાજ જન્મે કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને મંગળવારે પંજાબમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયો હતો. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને પિતાનું નામ ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચંદ્ર મહારાજા રણજીતસિંહના સૈનિક હતા. લહેરાના જાગીરદાર અત્તરસિંહ શીખ ધર્મગુરુ હતા. એમની ઇચ્છા દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવાની હતી, પરંતુ ગણેશચંદ્ર એકના એક પુત્રને સાધુ બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. તેથી અત્તરસિંહે તેમને જેલમાં પૂર્યા. જેલમાંથી ભાગીને તે અત્તરસિંહ સામે બહારવટે ચડ્યા અને એક વખત ઉપરીઓની સાથે ઝપાઝપીમાં ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા, પરંતુ દિત્તારામના લલાટે સંસારત્યાગની રેખા લખાયેલી હતી તે તેઓ ભૂંસી શક્યા નહીં. પિતાના મિત્ર જોધમલ ઓસવાલને ત્યાં ઊછરતા દિત્તાને જૈન સાધુઓનો સંપર્ક થતો રહ્યો. સામાયિક-પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓમાં રસ પડવા માંડ્યો. આગળ જતાં, લહેરામાં આવેલા બે સ્થાનકવાસી જૈન સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવણરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર અમીટ પડી. એમણે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. જોધમલ ઓસવાલની નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે સંમતિ આપવી પડી. વિ. સં. ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે માલેરકોટમાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને આત્મારામજી નામ રાખવામાં આવ્યું. પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી યુવાન સાધુ હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર લાગણી હતી. તેમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ૩૦૦ ગાથાઓ કંઠસ્થ કરી શકતા. અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કરીને આગમોના કેટલાક પાઠોના ખોટા અર્થો સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, શાંકરભાષ્ય આદિ હિન્દુ ધર્મના, તેમ જ કુરાન અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy