SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો જાહેર પ્રવૃત્તિઓનું સંચાલન કરતા. હરકે જ્ઞાતિના નાના-મેટા ઝગડાઓમાં તેમની લવાદી હોય જ. સમાધાન કરાવી સૌને સંતોષ આપવામાં તેમની આગવી સૂઝ હતી. ધાર્મિક અને સામાજિક ફંડફાળામાં તેમને હિસે મોખરે હતો. સમાજસેવાના આ દિવ્ય વારસાને સ્વ. શ્રી કેશુભાઈ એ પણ બરાબર દીપાવી જાણ્યું હતું. શ્રી કેશવલાલભાઈ ચોટીલાની મ્યુનિસિપાલિટીમાં ૧૫ વર્ષ સુધી ઉપપ્રમુખ તરીકે રહ્યા. પાંજરાપોળ, દેરાસર, પ્રજામંડળ અને કાપડિયા ચેરીટેબલ ટ્રસ્ટના વહીવટમાં તેમણે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી હતી. શ્રી કેશુભાઈને પુત્ર શ્રી નવીનચંદ્રભાઈએ રાજકેટમાં લેથ તથા બીજી મશીનરી બનાવવાનું તથા કાસ્ટિંગના ધંધામાં સારી પ્રગતિ સાધી છે. શ્રી નવીનચંદ્રભાઈને સુપુત્ર શ્રી મુકેશકુમાર તથા શૈલેષકુમાર રાજકેટમાં ઓઈલ એજિન એકસપર્ટનું કામકાજ કરે છે. ચોટીલામાં પણ ઔદ્યોગિક એકમની સ્થાપના કરી છે. શ્રી નરેન્દ્રભાઈ રાજકેટમાં કલરની ફેકટરી ચલાવે છે. શ્રી રાજેન્દ્રકુમારભાઈ ચોટીલામાં ઘીને વેપાર કરે છે. આખું યે કુટુંબ ધર્મભાવનાથી રંગાયેલું છે. معهد શ્રી કેશવલાલ બુલાખીદાસ સ્થંભન પાર્શ્વનાથની અલૌકિક પ્રતિમાના નાવણ જળથી પ. પૂ. આગમ ટીકાકાર અભયદેવસૂરિના કેઢ રેગ નાશ પામ્યા હતા, જે આજે પણ જ્યાં મજૂદ છે, તે ખંભાત શહેર ભૂતકાલીન અને વર્તમાનકાલીન તીર્થસ્વરૂપ છે. જે પાવનભૂમિમાં શેઠશ્રી બુખાલીદાસ પિતા અને શ્રી ભટ્ટીબાઈ માતાની કુક્ષિમાં શેઠશ્રી કેશવલાલભાઈએ છીપમાં મેતી પાકે તેમ જન્મ ધારણ કર્યો. માતા-પિતાના સૌથી નાના, ચેથા નંબરના પુત્ર હતા. તેમણે તેમના જીવનમાં અનેક તડકા-છાયા વેઠી શૂન્યમાંથી સર્જન કર્યું હોય તેમ મુંબઈ ખાતે કાપડના ધંધામાં આગળ વધ્યા અને દિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy