SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૯૭ ખૂબ જ પૃદયના પ્રતાપે તેઓશ્રીના સુપુત્ર શ્રી ચન્દ્રકાંતભાઈ શ્રી સૂર્યકાંતભાઈ શ્રી નવનીતભાઈ સી પિતાશ્રીને પગલે ચાલી સેવાસમાજ-કલ્યાણનાં કામને હંમેશાં અમેદન આપતા રહ્યા છે. શ્રી કેશવલાલભાઈનાં સહધર્મચારિણી સે. શ્રીમતી અનપબહેન પણ સરળ, ધર્મભાવનાવાળાં કુટુંબવત્સલ અને સેવાપ્રિય છે. તેઓ શાસનસેવાના ક્ષેત્રે વધુ યશકીતિ પ્રાપ્ત કરે અને સેવાને દીપ ઝળહળતો રહે એ જ અભ્યર્થના. સ્વ. શ્રી કેશવલાલ પીતામ્બરદાસ શાહ વિવિધલક્ષી વ્યાપાર-વાણિજ્ય અને ઉદ્યોગના નિષ્ણાત અને ધર્મનિષ્ઠ મહામાનવ શ્રી કેશવલાલભાઈ હજુ હમણાં જ ૧૯૮૬ના ઓગસ્ટ માસમાં ૭૮ વર્ષની ઉંમરે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં કરતાં પૂર્ણ સમાધિમાં બહોળા કુટુંબ વચ્ચેથી પક સિધાવી ગયા. શ્રી કેશવલાલભાઈની ધર્મભાવના અજોડ હતી. ઔદ્યોગિક ક્ષેત્રે પુત્રની કારકિર્દી ઘડવામાં શ્રી કેશુભાઈએ ભારે પુરુષાર્થ કર્યો હતો. તેમની આયેાજનશક્તિ, દીર્ધદષ્ટિ ખરેખર દાદ માગી લે તેવાં છે. તેમના પિતાશ્રી પીતામ્બરદાસભાઈ ચેટીલાના મહાજનના અગ્રેસર હતા. જૈન શાસનની અપૂર્વ સેવા બજાવનાર આ પિતા-પુત્ર નરરત્ન હતાં. તેમના પિતાએ નાની વયમાં સાધેલી પ્રગતિ અને સિદ્ધિ નવી પેઢીને ખરેખર પ્રેરણા આપે તેવી હતી. તેમને જાહેર સેવાને પણ બચપણથી શેખ અને ઉમંગ હતા. અગ્રણી તરીકેનું તેમનું વ્યક્તિત્વ નાની વયમાં જ સમાજમાં ઊપસી આવ્યું. ચોટીલા પાંજરાપોળ અને જૈન દેરાસરના વહીવટમાં તેમનું યશસ્વી પ્રદાન હતું. દુષ્કાળના કપરા દિવસમાં રાહતની કામગીરીમાં જાતે રસ લેતા. સ્વરાજ્ય માટેની વખતે વખતની લડાઈમાં કેંગ્રેસના આદેશ મુજબ ચેટીલાથી છે. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy