SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧ 271 પ્રમાણે નિશે હે ગૌતમ! કાલકુમાર યાવતુ ચેટકરાજાએ જીવિતથી દૂર કર્યો તે કાળ સમયે કાળ કરીને ચોથી પંકપ્રભા નામની પૃથ્વીમાં હેમાભ નામના નરકાવાસાને વિષે દશ સાગરોપમની સ્થિતિવાળા નારકીપણે ઉત્પન્ન થયો છે. [9] હે ભગવાન્ ! કાલકુમાર કેવા. આરંભ વડે, કેવા સમારંભવડે, કેવા આરંભ સમારંભ વડે,કેવા ભોગવટે,કેવા સંભોગવડે,કેવા ભોગસંભોગ વડે, અથવા કેવા અશુભ કરેલા કર્મના સમૂહવડે કાળ સમયે કાળ કરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં યાવતુ. નારકી પણે. ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે ઋદ્ધિવાળુ, ભય રહિત અને સમૃદ્ધિવાળું હતું. તે રાજ ગૃહનગરમાં શ્રેણિક નામે રાજા હતો. તે મોટા હિમવંત પર્વત જેવો સારવાળો વિગેરે વિશેષણવાળો હતો. તે શ્રેણિકરાજાને નંદા નામની દેવી (રાણી) હતી. તે કોમળ હાથ પગવાળી યાવતુ રહેલી હતી. તે શ્રેણિક રાજાનો પુત્ર અને નંદાદેવીની આત્મજ અભય નામનો કુમાર હતો. તે કોમળ હાથપગવાળો યાવતુ સારા રૂપવાળો, સામ, દામ, ભેદ અને દેડએ ચાર પ્રકારની રાજનીતિમાં ચિત્ર પ્રધાનની જેવો કુશળ હતો, પાવતું રાજ્યની ધુરાનો ચિંતક હતો. તે શ્રેણિકરાજાને ચેલણા નામની દેવી (રાણી હતી. તે સુકુમાર હાથપગવાળી વાવતુ સુખમાં રહેલી હતી. ત્યારપછી તે ચેલણા દેવી અન્યદા તે તેવા પ્રકારના વાસગૃહને વિષે સુતી હતી, યાવત્ સિંહને સ્વપ્રમાં જઈને જાગી ગઈ. અહીં પ્રભાવતીની જેમ સર્વ વૃત્તાંત કહેવો, યાવતુ ચેલણા (શ્રેણિક રાજા પાસે ગઈ અને તેનું વચન અંગીકાર કરી જ્યાં પોતાનું ભવન-વાસગૃહ હતું ત્યાં ગઈ. [1] ત્યારપછી તે ચેલાદેવીને એકદા કદાચિતુ ગર્ભના ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે આવા પ્રકારનો દોહલો ઉત્પન્ન થયો કે ધન્ય છે તે માતાઓને યાવતુ તેણીના જન્મ અને જીવિત સફળ છે કે જેઓ શ્રેણિકરાજાના ઉદરનું માંસ પકવીને, તેલમાં તળીને તથા મુંજીને તથા મદિરાને અને પ્રસન્ન એટલે દ્રાક્ષ વિગેરે વસ્તુથી ઉત્પન્ન થયેલી મનને પ્રસન્ન કરે તેવી મદિરા વિશેષને આસ્વાદ કરતી યાવતુ પરસ્પર એક બીજીને આપતી દોહલાને પૂર્ણ કરે છે. ત્યાર પછી તે ચેલણાદેવી તે દોહલો પૂર્ણ નહીં થવાથી ધિરના ક્ષયને લીધે શુષ્ક જેવી થઈ, ભોજન નહીં કરવાથી ભૂખી જેવી થઈ, માંસની વૃદ્ધિ નહીં થવાથી માંસ રહિત થઈ, તેણીના મનની વૃત્તિ ભગ્ન થઈ, તેણીનું શરીર ભાંગવા લાગ્યું, કાંતિ રહિત થઈ, દીન અને કરમાઈ ગયેલા મુખવાળી થઈ, તેણીનું મુખ પાંડુર થયું, તેણીએ નેત્ર અને મુખકમલ નીચું કર્યું. યથાયોગ્ય પુષ્પ, વસ્ત્ર, ગંધ માળા અને અલંકાર વિગેરેના ઉપભોગનો. ત્યાગ કર્યો, હસ્તતલવડે મસળેલી કમળની માળા ની જેમ તેણીના મનનો સંકલ્પ હણાઈ ગયો એટલે યુક્તાયુક્તના વિચાર રહિત થઈ. યાવતું (આર) ધ્યાન કરવા લાગી. ત્યાર પછી તે ચેલણાદેવીની અંગપરિચારિકા, એ ચલણાદેવીને સુકી, ભૂખી પાવતુ ધ્યાન કરતી જોઈને ક્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવી. આવીને બન્ને કરતલ ભેગા કરવાવડે દશ નખોને એકઠા કરી પોતાના મસ્તક પર ફેરવી પછી બન્ને હાથની અંજલી મસ્તકે રાખી શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું “આ પ્રમાણે નિશે હે સ્વામી! અમે જાણતી નથી કે ચલણાદેવી ક્યા કારણે સુકી, ભૂખી થઈ થકી યાવતું ધ્યાન કરે છે.” ત્યારપછી તે શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓની પાસેથી આ અર્થ સાંભળીને મનમાં ધારી ને તે જ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy