SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 270 નિયાવલિયાણું- 17 ધાર્મિક યાનને ત્યાં સ્થાપન કર્યું. નીચે ઉતરીને વળી કુજા વિગેરે યાવતુ દાસીના સમૂહવડે પરિવરેલી તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવી, આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા આપી, વંદના કરી અને પ્રણામ કર્યા. વંદના અને પ્રણામ કરી પરિવાર સહિત ઉભી રહીને જ ધર્મ સાંભળવાની ઈચ્છાથી નમસ્કાર કરતી સન્મુખ વિનયવડે બે હાથ જોડી સેવા કરવા લાગી. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ યાવતુ કાલીદેવી અને તે મોટી પાર્ષદાની આગળ ધર્મકથા કહી. યાવતુ શ્રાવક અથવા શ્રાવિકા તે પ્રમાણે વિચરતા જિનેશ્વરની આજ્ઞાના આરાધક થાય છે. ત્યારપછી તે કાલીદેવી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની પાસે ધર્મ સાંભળીને હૃદયમાં ધારીને યાવત હર્ષિત થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર વાંદીને થાવતું આ પ્રમાણે બોલી કે- “નિશે હે ભગવાન ! મારો પુત્ર કાલકુમાર હે રથમુશલ સંગ્રામમાં ઉતર્યો છે. તો ભગવાન ! શું ય પામશે ? કે નહીં જય પામે ? યાવતું કાલ કુમારને હું જીવતો જઈશ? હે કાલી! એમ કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કાલીદેવીને આ પ્રમાણે કહ્યું “નિશે હે કાલી! તારો પુત્ર કાલકુમાર ત્રણ હજાર હાથીવડે થાવતું ભૂણિક રાજ સહિત રથમુશલ નામના સંગ્રામમાં ઉતર્યો ત્યારે તે હત થયો, મતિ, થયો, તેના વીર-સુભટો હણાયા, તેના ચિતવાળી ધ્વજાપતાકા પડી ગઈ, એટલે તે આલોક રહિત દિશાઓને કરતો ચેટકરાજાનો પ્રતિપક્ષ થઈ તેની સન્મુખ આવ્યો તેના રથની સન્મુખ રથને કરી તેની પાસે જલ્દી આવ્યો. તે વખતે તે ચેટકરાજાએ કાલકુમારને . આવતો જોયો. કાલકુમારને આવતો જોઈને તત્કાલ ક્રોધ પામ્યો, કાવત્ ક્રોધની જ્વાલા વડે જાજ્વલ્યમાન થયો. પછી તેણે ધનુષ ગ્રહણ કર્યું, બાણ લીધું, વૈશાખસ્થાને રહી બાણને કર્ણ સુધી આકર્ષણ કર્યું, આકર્ષણ કરીને કાલકુમારને એક જ પ્રહારથી કૂટના પ્રહારની જેમ હણીને જીવીતથી રહીત કર્યો. તેથી હે કાલી! કાલકુમાર કાલધર્મને પામ્યો છે. તેથી તુ તે કાલકુમારને જીવતો જોઈશ નહીં. ત્યારપછી તે કાલી દેવી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આ અર્થને સાંભળીને હૃદયમાં ધારીને પુત્રના મોટા શોકે કરીને વ્યાપ્ત થઈ કુહાડાથી કાપેલી ચંપકલતાની જેમ ધસ દઈને પૃથ્વીતલને વિષે સર્વ અંગોએ કરીને પડી ગઈ. એક મુહૂર્ત પછી તે સ્વસ્થ થઈ ઉભી થઈ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી, નમસ્કાર કર્યા. આ પ્રમાણે તે બોલી- “હે ભગવાન! આ તમે કહ્યું તે એમ જ છે, હે ભગવાન! તે જ પ્રકારે છે, હે ભગવાન! તમારું કહેવું સત્ય છે, હે ભગવાન! તમારા વચનમાં કાંઈ પણ સંદેહ નથી, આ અર્થ સત્ય છે, કે જે તમે કહ્યો છે.“આ પ્રકારે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી, નમસ્કાર કર્યો.ધર્મસંબંધી વાહનપર આરુઢ થઈ, જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ. [8] હે ભગવાન ! એમ કહીને ભગવાને ગૌતમસ્વામીએ વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું - "હે ભગવાન કાલકુમાર, યાવતું રથમુશળ નામના સંગ્રામમાં યુદ્ધ કરવા ઉતર્યા, ત્યારે ચેટકરાજાએ કુટના પ્રહારની જેમ એક પ્રહારથી હણીને જીવિતથી દૂર કર્યા તે કાળ સમયે કાળ કરીને ક્યાં ગયો? શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું કે “આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy