SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૩૩૩ [૧૦૮૩-૧૦૮૪] ધગધગતા અગ્નિને દેખીને તેમાં પ્રવેશ નિશંકપણે કરવો અને પોતાને બળી મરવું સારું છે. પરન્તુ કદાપિ કુસલના સમાગમનાં ન જવું. કે તેનું શરણ ન સ્વીકારવું લાખ વર્ષ સુધી શૂળીમાં વિંધાઈને સુખેથી રહેવું સારું છે. પરન્તુ અગીતાર્થની સાથે એક ક્ષણ પણ વાસ ન કરવો. | [૧૦૮૫-૧૦૮૭] મંત્રતંત્ર વગરનો હોય અને ભયંકર દૃષ્ટિવિષ સર્પ કરડતો હોય, તેનો આશ્રય ભલે કરજે પણ અગીતાર્થ અને કુશીલ અધર્મનો સહવાસ ન કરીશ. હળાહળ ઝેર ખાઈ જજે, કારણકે તે તેજ કાળે એક વખત મારી નાખશે પરંતુ ભૂલેચૂકે પણ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ, કારણકે તેના સંસર્ગથી લાખો મરણો ઉપાર્જન કરીશ. ઘોરરૂપવાળા ભયંકર એવા સિંહ વાઘ કે પિશાચ ગળી જાયતો નાશ પામવું પરંતું કુશીલ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ. [૧૦૮૮-૧૦૮૯] સાત જન્માંતરના શત્રુને સગો ભાઈ માનજે, પરંતુ વ્રત નિયમોની વિડંબના કરાવનાર પિતા હોયતો પણ તેને શત્રુ સમાન માનજે. ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરવો સારો છે પરન્તુ સૂક્ષ્મ પણ નિયમની વિરાધના કરવી સારી નથી. સુવિશુદ્ધ નિયમ યુક્ત કર્મવાળાનું મૃત્યુ સુંદર છે પણ નિયમ ભાંગીને જીવવું સારું નથી. [૧૦૯૦-૧૦૯૧] હે ગૌતમ ! અગીતાર્થ પણાના દોષથી ઈશ્વરે જે પ્રાપ્ત કર્યું તે સાંભળીને તરત ગીતાર્થ મુનિ બનવું, હે ભગવંત! ઈશ્વર કોણ મુનિવર હતા તે હું જાણતો નથી. તેમજ અગીતાર્થના દોષથી તેણે શું પ્રાપ્ત કર્યું તે મને કહો. [૧૦૯૨-૧૦૯૪] હે ગૌતમ! કોઈક બીજી ચોવીશના પ્રથમ તીર્થંકર ભગવંત જ્યારે વિધિપૂર્વક નિવણ પામ્યા ત્યારે મનોહર નિવણ મહોત્સવ પ્રવર્તતો હતો, અને સુંદરરૂપવાળા દેવો અને અસુરો નીચે ઉતરતા હતા અને ઉપર ચડતા હતાં. ત્યારે નજીકમાં રહેનાર લોકો આ દેખીને વિચારવા લાગ્યા કે અરે આજે મનુષ્યલોકમાં આશ્ચર્ય દેખીએ છીએ. કોઈ વખત પણ ક્યાંય આવી ઈન્દ્રજાલો-સ્વપ્ન જોવામાં આવ્યું નથી. [૧૦૯પ-૧૧૦૨] આવા પ્રકારની વિચારણા કરતા કરતા એક મનુષ્યને પૂર્વ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે ક્ષણવાર મૂચ્છ પામ્યો પરન્તુ ફરી વાયરાથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવ્યા પછી થરથર ધ્રુજવા લાગ્યો અને લાંબા કાળ સુધી પોતાના આત્માની ખુબ નિન્દા કરવા લાગ્યો. તરત જ મુનિપણું અંગીકાર કરવા ઉદ્યત થયો. ત્યાર પછી તે મહાયશવાળો પંચમુષ્ટિક લોચ કરવાનો જેટલામાં શરુ કરે છે. તેટલામાં દેવતાએ વિનય પૂર્વક તેને રજોહરણ અર્પણ કર્યું. તેના કષ્ટકારી ઉગ્રતપ અને ચારિત્ર દેખીને તથા લોકોને તેની પૂજા કરતા જોઈને ઈશ્વર જેટલામાં ત્યાં આવીને તેને પૂછવા લાગ્યો કે તમોને દીક્ષા કોણે આપી? ક્યાં જગ્યા છો! તમારું કુળ કયું છે ? કોના ચરણકમળમાં અતિશયવાળા સૂત્ર અને અર્થનું તમે અધ્યયન કર્યું? તે પ્રત્યેક બુદ્ધ તેને જેટલામાં સર્વ-જાતિ-કુલ-દીક્ષા-સૂત્ર-અર્થ વગેરે જે પ્રમાણે પ્રાપ્ત કર્યા તે કહેતા હતા તેટલામાં તે સર્વ હકીકત સાંભળીને નિભંગી તે આ પ્રમાણે ચીંતવવા લાગ્યો કે - આ જુદો છે, આ અનાર્ય લોકો દંભથી ઠગે છે તો કેવા પ્રકારનું આ બોલે છે તેવાજ પ્રકારના તે જિનવર પણ હશે. આ વિષયમાં કાંઈ વિચારવાનું નથી. એમ માનીને લાંબાકાળ સુધી મૌન પણે ઊભો રહ્યો. [૧૧૦૩-૧૧૦૪] અથવા તો નાના-એમ નહિં દેવ અને દાનવોથી પ્રણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy