SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયનપ પાસે શ્રામણ્યનું અનુપાલન કરતી હતી. હે ગૌતમ ! તે સાધુઓ હતા તે તેવા મનોહર ન હતા હે ગૌતમ ! કોઈક સમયે તે સાધુઓ આચાર્યને કહેવા લાગ્યા કે હે ભગવંત ! જો આપ આજ્ઞા આપો તો અમે તીર્થયાત્રા કરીને ચંદ્રપ્રભ સ્વામીના ધર્મચક્રને વંદન કરીને પાછા આવીએ. ત્યારે હે ગૌતમ ! મનમાં દિનતા લાવ્યા સિવાય, ઉતાવળા થયા વગર ગંભીર મધુર વાણીથી તે આચાર્યો તેમને પ્રત્યુત્તર આપ્યો કે શિષ્યોને ઈચ્છાકારેણ' (સ્વકીય ઇચ્છા) એવા સુંદર શબ્દનો પ્રયોગ કરીને ‘સુવિહિતોને તીર્થયાત્રા માટે જવું કલ્પતું નથી.' તો જ્યારે પાછા ફરવાનું થશે ત્યારે હું તમોને યાત્રા અને ચંદ્રપ્રભ સ્વામીને વંદન કરાવીશ. બીજી વાત એ છે કેયાત્રા કરવામાં અસંયમ કરવાનું મન થાય છે. આ કારણે તીર્થયાત્રાનો નિષેધ કરાય છે. ત્યારે શિષ્યોએ પૂછ્યું કે તીર્થયાત્રા જતા સાધુઓને કેવી રીતે અસંયમ થાય છે ? ત્યારે ફરી પણ ઈચ્છાકારેણ-એમ બીજી વખત બોલાવરાવીને ઘણા લોકોની વચ્ચે વ્યાકુલ બનીને આક્રોશથી ઉત્તર આપશે, પરન્તુ હે ગૌતમ ! તે સમયે આચાર્યે ચિંતવ્યું કે મારું વચન ઉલ્લંઘન કરીને પણ નક્કી આ શિષ્યો જશે જ. તે કારણથી જ મીઠાં મીઠાં વચનો બોલે છે. હવે કોઈક દિવસે મનથી અતિશય વિચાર કરીને તે આચાર્યો કહ્યું કે તમો લગાર પણ સૂત્ર અર્થ જાણો છો ખરા ? જો જાણતા હો તો જે પ્રકારનો અસંયમ તીર્થ યાત્રામાં થાય છે, તે પ્રકારનો અસંયમ સ્વયં જાણી શકાય છે. આ વિષયમાં વધારે કહેવાથી શો લાભ ? બીજું તમોએ સંસારનું સ્વરૂપ, જીવાદિક પદાર્થો તેનું યથાયોગ્ય તત્ત્વ જાણેલું છે. હવે કોઈ વખત ઘણા ઉપાયોથી સમજાવ્યા. યાત્રા જતાં નિવાર્યા તો પણ તેઓ આચાર્યને છોડીને ક્રોધ-રૂપી યમ સાથે તીર્થ-યાત્રા માટે નીકળી પડ્યા. તેઓ જતાં જતાં ક્યાંક આહાર ગવેષણાનો દોષ, કોઈક જગાએ લીલી વનસ્પતિકાયનો સંઘટ્ટ કરતા, બીજ કાય ચાંપતા હતા. કાંઈક કીડી વગેરે વિકલેન્દ્રિય જીવો, ત્રસકાયના સંઘટ્ટન, પરિતાપન, ઉપદ્રવથી થવાવાળા અસંયમ દોષો લગાડતા હતા. બેઠાં બેઠાં (પણ) પ્રતિક્રમણ કરતા ન હતા. કાંઈક મોટા પાત્ર નાના પાત્ર ઉપકરણ વગેરે બન્ને કાલ વિધિપૂર્વક પ્રેક્ષણ પ્રમાર્જન કરી શકતા ન હતા. પડિલેહણ કરતા વાયુ કાયના જીવોની વિરાધના થાય તેમ વસ્ત્રો ઝાટકતા હતા કેટલું કહેવું ? હે ગૌતમ ! તેનું વર્ણન કેટલું કરવું? અઢાર હજાર શીલાંગો, સત્તર પ્રકારના સંયમ, બાહ્ય અને અત્યંતર બાર પ્રકારના તપ, ક્ષમા, આદિ અને અહિંસા લક્ષણ યુક્ત દશ પ્રકારના શ્રમણધર્મને વગેરેના એક એક પદને અનેક વખત લાંબા કાળ સુધી ભણીને ગોખીને બંને અંગોરૂપ મહાશ્રુતસ્કંધ જેમણે સ્થિર-પરિચિત કરેલા છે. અનેક ભાંગાઓ અને સેંકડો જોડાણો દુઃખે કરીને જેઓ શીખેલા છે, નિરતિચાર ચારિત્રધર્મનું પાલન કરેલું છે. આ સર્વ જે પ્રમાણે કહેલું છે તે નિરતિચાર પણે પાલન કરતા હતા. એ સર્વે સંભારીને તે ગચ્છાધિપતિએ વિચાર્યુ કે મારા, પરોક્ષમાં ગેરહાજરીમાં તે દુષ્ટ શીલવાળા શિષ્યો અજ્ઞાનપણાનાં કારણે અતિશય અસંયમ સેવશે તે સર્વ અસંયમ મને લાગુ પડશે, કારણ કે હું તેઓનો ગુરૂ છું. માટે હું તેઓની પાછળ જઈને તેઓને પ્રેરણા આપું કે જેથી આ અસંયમના વિષયમાં હું પ્રાયશ્ચિતનો અધિકારી ન બનું. - એમ વિકલ્પ કરીને તે આચાર્ય તેની પાછળ જેટલામાં ગયા તેટલામાં તો તેઓને અસંયમથી અને ખરાબ રીતે Jain Education International ૩૦૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy