SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ જીયકખો– (૭૩) પ્રાયશ્ચિત્ જણાવેલું છે. હવે “પડિસેવણા” જણાવે છે.) [૭૪]હિંસા, દોડવું-કૂદવું આદિ ક્રિયા, પ્રમાદ, કે કલ્પને સેવનારા, અથવા દ્રવ્ય- ક્ષેત્ર-કાળ ભાવ અનુસાર પ્રતિસેવન કરનારા પુરુષો (એ પ્રમાણે પડિસેવણઅથતુિં નિષિદ્ધ વસ્તુને સેવન કરનારા કહયા.) [૭૨]જે પ્રમાણે મેં જીત વ્યવહાર મુજબ પ્રાયશ્ચિતું દાન કહ્યું. તે શું પ્રમાદ સહિત સેવનારને અથતું નિષિદ્ધ વસ્તુ સેવનારને પણ આપવું ? આ પ્રાયશ્ચિતુમાં પ્રમાદ-સ્થાનસેવીને એકસ્થાન વૃદ્ધિ કરવી અથતુ સામાન્યથી જે પ્રાયશ્ચિતુ નિવિથી અઠ્ઠમ પર્યન્ત કહયું તેને બદલે પ્રમાદથી સેવનારને પુરીમઢ થી ચાર ઉપવાસ પર્યન્ત (ક્રમશઃ એક એક વધુ તપ) આપવો. ૭િ૬]હિંસા કરનારને એકાસણા થી પાંચ ઉપવાસ આપવું અથવા છ સ્થાન કે મૂલ પ્રાયશ્ચિતું આપવું. કલ્પ પડિલેવી અથતું યતના પૂર્વક સેવન કર્યું હોય તો પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ અથવા તદુભય- આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત આપવું. [૭૭] આલોચનાકાળે પણ જો ગોપવે કે કપટ કરે તો તે સંકિલષ્ટ પરિણામી ને પુનઃ અધિક પ્રાયશ્ચિતુ દેવું. જો સંવેગ પરિણામથી નિંદા-ગહિિદ કરેતો તે વિશુદ્ધ ભાવ જાણી ઓછું પ્રાયશ્ચિતું આપવું મધ્યમપરિણામીને તેટલું જ પ્રાયશ્ચિત્ આપવું. [૩૮]એ પ્રમાણે વધારે ગુણવાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવવાળા જણાય તો ગુરુ સેવાર્થે વધારે પ્રાયશ્ચિત્ આપવું. જો દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ હીન જણાય તો ઓછું પ્રાયશ્ચિત્ આપવું અને અત્યંત અલ્પ જણાયતો પ્રાયશ્ચિતુ ન આપવું. [૩૯]જીત વ્યવહાર કરતા અન્ય તપ સારી રીતે વહન કરનારને અન્ય પ્રાયશ્ચિત્ આપી જીત વ્યવહાર પ્રાયશ્ચિતું. ન આપવું. વૈયાવચ્ચકારી વૈયાવચ્ચે કરતો હોય ત્યારે થોડું પ્રાયશ્ચિત્ આપવું. (હવે છેદ પ્રાયશ્ચિત કહે છે.) [૮] તપ ગર્વિત કે તપમાં અસમર્થ તપની અશ્રદ્ધા કરતા, તપથી પણ જે નિગ્રહ ન કરી શકતા, અતિપરિણામી- અપવાદ સેવી, અલ્પસંગી આ બધાંને છેદ પ્રાયશ્ચિત્ આપવું. [૮૧-૮૨]વધારે પડતા ઉત્તરગુણ ભંજક, વારંવાર છેયાવત્તિ અથતુ. છેદઆવૃત્તિ કરે, જે પાસસ્થા, ઓસન, કુશીલ આદિ હોય, તો પણ જેઓ વારંવાર સંવિગ્ન સાધુની વૈયાવચ્ચ કરે, ઉત્કૃષ્ટ તપભૂમિ અર્થાત્ વીરપ્રભુના શાસનમાં છમાસી તપ કરે જે અવશેષ ચારિત્રવાળા હોય તેને પાંચ-દશ-પંદર વર્ષથી છ માસ પર્યન્ત અથવા જેટલા પયય ને ધારણ કરે તે રીતે છેદ પ્રાયશ્ચિતુ આપવું. (હવે મૂલ-પ્રાયશ્ચિત્ ને જણાવે છે.) , [૩] પ્રાણાતિપાત, પંચેન્દ્રિયનો ઘાત, અરુચિકે ગર્વથી મૈથુનસેવન, ઉત્કૃષ્ટથી મૃષાવાદ-અદત્તાદાન કે પરિગ્રહનું સેવન કરે આ રીતે વારંવાર કરનારને મૂલપ્રાયશ્ચિત્. [૮૪]તપગર્વિષ્ઠ, તપસેવનમાં અસમર્થ તપની અશ્રદ્ધા કરતા, મૂળ-ઉત્તર ગુણમાં દોષ લગાડનાર કે ભંજક, દર્શન અને ચારિત્રથી પતીત દર્શનાદિ કર્તવ્યને છોડતો, એવો શૈક્ષને પણ (શૈક્ષ આદિ સર્વે ને) મૂળ પ્રાયશ્ચિત્ આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy