SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ વવહાર – ૩/૭૫ [૭૨] નિરુદ્ધ વાસ પર્યાયિ- પહેલા દીક્ષા લીધી હોય તે છોડી ને પુનઃ દીક્ષા લીધે થોડા વર્ષ થયા હોય તેવા શ્રમણ-નિગ્રન્થ ને આચાર્ય-ઉપાધ્યાય કાળધર્મ પામે ત્યારે તે પદવી આપવી કહ્યું. જો કે તે બહુસૂત્રી ન હોય તો પણ સમુચયપણે તે આચારપ્રકલ્પ- નિસીહના કેટલાંક અધ્યયન ભણ્યો છે અને બાકીના ભણીશ એમ ચિંતવે છે તે જો ભણે તો તેને આચાર્ય ઉપાધ્યાય ની પદવી દેવી કહ્યું પણ ભણીશ એમ કહી ન ભણે તો તેને પદવી આપવી ને કહ્યું. ૭૬-૭૭] તે સાધુ જે દક્ષામાં નાના છે. તરણ છે. તેવા સાધુને આચાર્ય ઉપાધ્યાય કાળ કરી ગયા હોય તો તેમના વિના રહેવું ન કહ્યું. પહેલાં આચાર્ય અને પછી ઉપાધ્યાયને સ્થાપીને રહેવું કહ્યું. એમ કેમ કહયું? તે સાધુ નવા છે- તરુણ છે તેથી તેને આચાર્ય- ઉપાધ્યાય બંનેના સંગ વિના રહેવું ન કલ્પે જો સાધ્વી નવ દીક્ષિત અને તરુણ હોય તો તેને આચાર્ય-ઊપાધ્યાય- પ્રવત્તિની કાળધર્મ પામે ત્યારે તેમના વિના રહેવું ન કલ્પે પણ પહેલા આચાર્ય- પછી ઉપાધ્યાય- પછી, પ્રવત્તિની એમ સ્થાપના કરી ત્રણેના સંગે રહેવું કલ્પ [૭૮-૮૦]જે સાધુ ગચ્છને છોડીને જાય, પછી મૈથુન સેવે, સેવીને ફરી દીક્ષા લે તેને દીક્ષા લીધી પછી ત્રણ વર્ષ સુધી આચાર્યથી ગણાવચ્છેદક સુધીની પદવી આપવી કે ધારવી ને કહ્યું. ત્રણ વર્ષ વીત્યા બાદ ચોથા વર્ષે તે સ્થિર થાય, ઉપશાંત થાય. કલેષથી નિવર્તે, વિષય થી નિવર્સે તેવા સાધુને આચાર્ય થી ગણાવચ્છેદક સુધીની છ પદવી આપવી કે ધારવી કહ્યું, .. પણ જો ગણાવચ્છેદક ગણાવચ્છેદકની પદવી મુક્યા વિના મથુનધર્મ સેવે તો જાવજીવન માટે તેને આચાર્ય થી ગણાવચ્છેદકમાંની એક પણ પદવી દેવી કે ધારવી કહ્યું, . . પણ જો તે ગણાવચ્છેદક ની પદવી મુકીને મૈથુન સેવે તો ત્રણ વર્ષે તેને પદવી આપવી ન કલ્પે ત્રણ વર્ષ વિત્યા બાદ ચોથા વર્ષે તે સ્થિર- ઉપશાંત- વિષય, કષાયથી નિવર્સેલ હોય તો આચાર્ય થાવત્ ગણાવચ્છેદક ની પદવી આપવી કે ધારવી કહ્યું. [૮૧-૮૨) આચાર્ય- ઉપાધ્યાય તેમની પદવી છોડ્યા સિવાય મૈથુન સેવે તો જાવજીવન માટે તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદની છ પદવી આપવી કે ધારવી ન કહ્યું, . . પણ જો તે પદવી છોડીને જાય, પછી મૈથુન ધર્મ સેવે તો તેને ત્રણ વર્ષ પર્યન્ત આચાર્ય પદવી આપવી કે ધારવી ને કહ્યું પણ ચોથું વર્ષ બેસે ત્યારે જો તે સ્થિર, ઉપશાંત, કષાય-વિષયથી રહિત થયેલ હોય તો તેને આચાર્ય-આદિ પદવી " આપવી કે ધારવી કલ્પ. [૮૩-૮૭] જે કોઈ સાધુ ગચ્છમાંથી નીકળીને વિષય સેવન અર્થે દ્રવ્ય લિંગ છોડવા દેશાંતર જાય, મૈથુન સેવી ફરી દીક્ષા લે. ત્રણ વર્ષ પર્યન્ત તેને આચાર્ય આદિ છ પદવી આપવી કે ધારવી ને કહ્યું, ત્રણ વર્ષ પુરા થયે ચોથું વર્ષ બેસે ત્યારે જે તે સાધુ સ્થિર-ઉપશાંત- વિષય કષાયથી નિવર્સેલ હોય તો તે- તે પદવી આપવી-ધારવી કહ્યું, . . ને ગણાવચ્છેદક, . . આચાર્ય કે ઉપાધ્યાય પોતાની પદવી મુક્યા વિના દ્રવ્યલિંગ છોડી અસંયમ આદરે તો જાવજીવ આચાર્ય-ઉપાધ્યાય પદવી આપવી કે ધારવી ન કહ્યું, . જો પદવી મૂકીને જાય અને પુનઃ દીક્ષા ગ્રહણ કરે તો ત્રણ વર્ષ પદવી આપવી ન કલ્પ આદિ સર્વે પૂર્વવત્ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org હો
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy