SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ વવહાર – ૨/૬૦ ત્યારે તેણે અસંયમ સેવ્યો કે નથી સેવ્યો એવો વિવાદ સ્થવિરોમાં થાય ત્યારે સાથે ગયેલ સાધુને પૂછે. હે આર્ય! તે દોષનો પ્રતિસવી છે કે અપ્રતિસવી? જો તે કહે કે તેણે દોષ સેવ્યો નથી તો પ્રાયશ્ચિતુ ન આપે. જો તે કહે કે દોષ સેવ્યો છે તો પ્રાયશ્ચિતું આપે. તે સાધુ જે પ્રમાણે બોલે તે પ્રમાણે નિશ્ચય કરી ગ્રહણ કરવો. શિષ્ય પૂછે છે કે હે ભગવાન્ ! એમ શા માટે કહયું? ત્યારે ગુરુ ઉત્તર આપે કે “સચ્ચાઈણા વવહારા’ સાચી પ્રતિજ્ઞા વ્યવહાર તે પ્રમાણે છે. [૬૧] એકપક્ષી એટલે કે એક ગચ્છવર્તી સાધુઓને આચાર્ય. ઉપાધ્યાય કાળધર્મ પામે ત્યારે ગણની પ્રતીતિ માટે જો પદવી યોગ્ય કોઈ ન મળે તો ત્વર એટલે કે અલ્પકાળ માટે બીજાને તે પદવીએ સ્થાપન કરવા. [૨]ઘણા પડિહારી પ્રાયશ્ચિત સેવતા) અને ઘણા અપડિહારી એટલે કે દોષ વગરના સાધુ એકઠા વસવા ઈચ્છે તો વૈયાવચ્યાદિ કારણે એક બે-ત્રણ-ચાર પાંચ કે છ માસ સાથે રહે તેઓ સાથે આહાર કરે અથવા ન કરે, ત્યાર પછી એક માસ સાથે આહાર કરે. (વૃત્તિગત વિશેષ) સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે જેઓ પડિહારી ની વૈયાવચ્ચ કરે છે તેવા અપડિહારી સાથે આહાર કરે પણ જેઓ વૈયાવચ્ચ નથી કરતા તેઓ સાથે આહાર ન કરે. વૈયાવચ્ચ વાળા પણ તપ પુરો થાય ત્યાં સુધી જ સહભોજી રહે, કે વધારે માં એક માસ સાથે રહે. [૩]પરિવાર કલ્પસ્થિતિમાં રહેલ (અથતું પ્રાયશ્ચિતુ વહન કરનાર) સાધુ ને (આપમેળે) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવા કે અપાવવા ન કલ્પે. જો સ્થવિર આજ્ઞા આપે. કે હું આ ! તમે આ આહાર તે પરિહારીને આપજે કે અપાવજો તો આપવો કલ્પે જો વિરની આજ્ઞા હોય તો પરિહારી સાધુને વિગઈ લેવી કહ્યું. []પરિવાર કલ્યસ્થિત સાધુ સ્થવિરની વૈયાવચ્ચ કરતા હોય ત્યારે (પોતાના આહાર પોતાના પાત્રમાં અને સ્થવિર નો આહાર સ્થવિરના પાત્રમાં એમ અલગ-અલગ લાવે ) પડિહારી પોતાનો આહાર લાવી બહાર સ્થવિરની વૈયાવચ્ચ અર્થે ફરી જતા હોય ત્યારે જો) સ્થવિર કહે કે હે આર્ય ! તમારા પાત્રમાં અમારા આહારપાણી પણ સાથે લાવજો. અમે તે આહાર કરીશું પાણી પીશું તો પડિહારીને સાથે આહાર-પાણી લાવવા કહ્યું. અપડિહારીને પડિહારીના પાત્રમાં લવાયેલ અશન-આદિ ખાવા કે પીવા ન કલ્પે પણ પોતાના પાત્રમાં, પોતાના ભાજન કે કમઢગ-એક પાત્ર વિશેષ કે ખોબો કે હાથ ઉપર લઈને લઈને ખાવું કે પીવું કહ્યું. એ પ્રમાણેનો કલ્પ અપરિહારીનો પરિહારી વિશે જાણવો. [૬૫]પરિવાર કલ્પ સ્થિત સાધુ સ્થવિરના પાત્ર લઈને બહાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જતા જોઈને સ્થવિર તે સાધુને એમ કહે કે હે આર્ય! તમારો આહાર પણ સાથે એ જ પાત્રમાં લાવજો, અને તમે પણ તે ભોગવજો તથા પાણી પીજો તો એ પ્રમાણે લાવવા કહ્યું પણ ત્યાં પરિહારીને અપરિહારી સ્થવિર ના પાત્રમાં અશનાદિ આહાર ખાવો કે પીવો ન કહ્યું પણ તે પરિહારી સાધુ પોતાના પાત્ર કે ભાજન કે કમંડલ (એક પાત્ર વિશેષ) કે ખોબો કે હાથમાં લઈ-લઈને ખાવું કે પીવું કહ્યું. એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy