SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪૯] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ બૃહત્ કપ્પો ૩૫ Jain Education International બીજુ છેદ સૂત્ર-ગુર્જરછાયા ઉદ્દેસો-૧ 7 આ આગમ સૂત્રમાં કુલ છ ઉદ્દેસા અને ૨૧૫ સૂત્રો છે. પદ્ય કોઈ નથી. આ સૂત્રમાં અનેક વખત નિર્પ્રન્થ અને નિગ્રન્થી શબ્દ વપરાયો છે. જેનો લોકપ્રસિદ્ધ અર્થ સાધુ-સાધ્વી થાય છે. અમે પહેલાથી છેલ્લા સૂત્ર પર્યની પ્રત્યેક સ્થાને સાધુસાધ્વી અર્થ સ્વીકારીને અનુવાદ કરેલ છે. [૧] સાધુ-સાધ્વીને કેરી અને કેળા ભેદાયેલ કે કપાયેલ ન હોયતો લેવા કલ્પે નહીં. (અહીં અભિન્ન શબ્દનો અર્થ શસ્ત્ર થી અપરિણત એવો પણ થાય છે. અર્થાત્ કોઈપણ શસ્ત્ર દ્વારા તે અચિત્ત કરાયેલ હોવું જોઈએ. ફકત છેદન-ભેદનથી કેરી અચિત થયેલી ન પણ હોય, તાલ પ્રલમ્બ શબ્દથી તાળાને બદલે કેળા એવો અર્થ ચૂણી-વૃત્તિ આધારે કરેલ છે, જો કે ત્યાં અભિન્ન શબ્દનો અર્થ અપ એવો લાગું પડે છે, .. ઉપલક્ષણથી તો બધાં જ ફળ નું અહીં ગ્રહણ કરવાનું સમજવું) [૨]સાધુ-સાધ્વીને શસ્ત્ર પરિણત કે ભેદાયેલ કેરી અને કેળા લેવા કલ્પે. [૩-૪] સાધુને અખંડ કે ટુકડા કરેલ કેળું લેવું કલ્પે પણ,.. સાધ્વીને ન કલ્પે,... સાધ્વીને ટુકડા ટુકડા કરેલ કેળું જ ગ્રહણ કરવું કલ્પે.-(અખંડ કેળાનો આકાર લાંબો હોય તે જોઈને સાધ્વીને મનમાં વિકાર ભાવ જાગૃત થઈ શકે છે. અને તે કેળા વડે તેણી અનંગક્રિડા પણ કરી શકે છે. વૃત્તિકા૨ જણાવે છે કે નાના-નાના ટુકડા કરાયેલા હોવા જોઈએ. મોટા ટુકડા પણ ન ચાલે.) [૬-૯] ગામ, નગર, ખેડા, કસબો, પાટણ, ખાણ, દોણમુખ, નિગમ, આશ્રમ, સંનિવેશ એટલે પડાવ, પર્વતીય સ્થાનો, ભરવાડની પલ્લી, પરા, પુટભેદન અને રાજધાની આટલા સ્થાનો માં ફરતી વાડ-કિલ્લો આદિ હોય બહાર ઘરો ન હોયતો પણ સાધુઓને શીયાળા-ઉનાળામાં એક મહિનો રહેવું કલ્પે, .. બહાર વસ્તિ હોયતો એક મહિનો ગામમાં અને એકમહિનો ગામ બહાર એમ બે માસ પણ રહેવું કલ્પે, પણ ગામઆદિમાં રહે ત્યારે ગામની ભિક્ષા કલ્લે અને ગામ આદિની બહાર રહે ત્યારે બહા૨ના ઘરોની ભિક્ષા કલ્લે,....સાધ્વીઓને ગામ આદિ બહાર વસતિ ન હોયતો શીયાળા- ઉનાળામાં બે મહિના રહેવું કલ્પે, ..વસતિ હોય તો બે મહિના ગામમાં અને બે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy