SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્સો-૧૮, સૂત્ર-૧૨૭૩ ૧૪૯ ચલાવવા કહે કે બીજા દ્વારા ચલાવાતી નાવને દોરડા કે લાકડા દ્વારા પાણીની બહાર કઢાવે આવું પોતે કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૭૩] જે સાધુ-સાધ્વી નાવને હલેસા, વાંસની લાકડી કે વળી દ્વારા પોતે ચલાવે, બીજા દ્વારા ચલાવે કે ચલાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૭૪-૧૨૭પ જે સાધુ-સાધ્વી નાવમાં ભરાયેલ પાણી ને નૌકા સંબંધિ પાણી કાઢવાના પાત્રથી, આહારપાત્રથી કે માત્રક-પાત્રથી બહાર કાઢે-કઢાવેઅનુમોદે, - - નાવમાં પડેલ છિદ્રમાંથી આવતા પાણીને, ઉપર-ઉપર ચઢતા પાણીથી બૂડતી નાવને બચાવવા માટે હાથ, પગ, પિપળાના પાન, ઘાસ, માટી, વસ્ત્ર કે વસ્ત્રખંડ વડે છિદ્રને બંધ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ [૧૨૭૬-૧૨૧] જે સાધુ-સાધ્વી નૌકાવિહાર કરતી વેળાએ નાવમાં હોય- - પાણીમાં હોય, - - કાદવમાં હોય કે કિનારે હોય તે અવસરે નાવમાં રહેલ- પાણીમાં રહેલ- કાદવમાં રહેલ કે કિનારે રહેલો કોઈ પણ દાતા અસનાદિ વહોરાવે અને જો કોઈ સાધુ-સાધ્વી તે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ગ્રહણ કરે- કરાવે-કે અનુમોદે. (અહીં કુલ ૧૬ સૂત્ર થકી ૧૦- ભેદ કહેવાયા છે. જેમકે નાવમાં રહેલ સાધુને નાવમાં જળમાં- કાદવમાં કે કિનારે રહેલો દાતા અશનાદિ આપે ત્યારે ગ્રહણ કરવું એ રીતે પાણીમાં રહેલ, - - કાદવમાં રહેલ, - - કિનારે રહેલ સાધુ-સાધ્વી ને પહેલા કહેવાયા તે ચારે ભેદ દાતા આપે અને સાધુ-સાધ્વી ગ્રહણ કરે) [૧૨૯૨-૧૩૩૨] જે સાધુ-સાધ્વી વસ્ત્ર ખરીદે, ખરીદાવે કે ખરીદીને આવેલા વસ્ત્રને ગ્રહણ કરે- કરાવે અનુમોદે (આ સૂત્ર થી આરંભીને) જે સાધુ-સાધ્વી અહીં મને વસ્ત્ર પ્રાપ્ત થશે તેવી બદ્ધિ થી વષવાસ-ચાતુમસ રહે, બીજાને રહેવા કહે કે રહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. નોંધ:- ઉદ્દેસા-૧૪ માં કુલ-૪૧ સુત્રો છે ત્યાં પાત્ર ના સંબંધે જે વિવરણ કરાયેલું છે તે મુજબ આ ૪૧ સૂત્ર માટે જાણી-સમજી લેવું તફાવત માત્ર એટલો કે અહીં પાત્ર ના સ્થાને વસ્ત્ર સમજવું. -એ પ્રમાણે ઉદેસા-૧૮ માં જણાવેલા કોઈપણ દોષનું જેને સાધુ-સાધ્વી પોતે સેવન કરે-બીજા પાસે સેવન કરાવે છે તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુમસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે, જે “લઘુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ પણ કહેવાય છે. અઢારમાં ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર-છાયા” પૂર્ણ (ઉદ્દેસો-૧૯) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં ૧૩૩૩ થી ૧૩૬૯ એટલે કે કુલ ૩૭ સૂત્રો છે. તેમાં કહેલાયેલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાડાસિયાં રહાર ૩પતિ નામક પ્રાયશ્ચિત્ આવે. ૧૩૩૩-૧૩૩૬] જે સાધુ-સાધ્વી ખરીદી, - - ઉધારલઈ - - વિનિમય કરી કે છિનવીને લાવેલ પ્રાસુક કે નિદૉષ એવા બહુમૂલ્ય ઔષધને ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy