SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ નિસીહ – ૧૧/૬૬૧ [૬૬૧-૬૬૨]જે સાધુ-સાધ્વી અર્થ યોજન (બે ગાઉ) કરતા વધુ દૂર પાત્ર ગ્રહણ કરવાની ઈચ્છાથી જાય, · કે વિઘ્ન વાળો માર્ગ કે અન્ય કોઈ કારણે તેટલે દૂર થી લાવીને પાત્ર આપે ત્યારે ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્ ૧૩૦ તો પ્રાયશ્ચિત્ [૬૬૩-૬૬૪] જે સાધુ- સાધ્વી ધર્મની નિન્દા (અવર્ણવાદ) કે, અધર્મની પ્રશંસા (ગુણગાન) કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૬૬૫-૭૧૭] જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થના પગ ને એક કે અનેક વખત પ્રમાર્જન કરે-કરાવે- અનુમોદે (આ સૂત્રથી આરંભીને) એક ગામથી બીજે ગામ જતા એટલે કે વિચરણ કરતા જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થના મસ્તકને આવરણ કરે-કરાવે-અનુમોદેતો પ્રાયશ્ચિત્ [નોંધ :- અહીં ૬૬૫ થી ૭૧૭ એમ કુલ- ૫૩ સૂત્રો છે, જે ઉદ્દેસાઃ ૩ ના સૂત્ર ૧૩૩ થી ૧૮૫ મુજબ જાણી- સમજી લેવા તફાવત માત્ર એટલો જ કે આ ૫૩ દોષનું સેવન અન્ય તીર્થિક કે ગૃહસ્થને આશ્રીને કર્યું. કરાવ્યુ કે અનુમોદ્યુ હોય] [ ૭૧૮-૭૨૩] જે સાધુ-સાધ્વી પોતાને કે, બીજાને ડરાવે, - - વિસ્મીત કરાવે અર્થાત્ આશ્ચર્ય પમાડે, વિપરીત રૂપે દેખાડે અથવા કહે જેમકે જીવને અજીવ કે અજીવ ને જીવ કહે, સાંજ ને સવા૨કે સવારને સાંજ કહે આ દોષ પોતે સેવે, બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૭૨૪] જે સાધુ-સાધ્વી જિનપ્રણિત વસ્તુથી વિપરીત વસ્તુની પ્રશંસા કરેકરાવે અનુમોદે. જેમકે સામે કોઈ અન્ય ધર્મી હોય તો તેના ધર્મની પ્રશંસા કરે વગેરે. -- -- Jain Education International -- ---- [૭૨૫] જે સાધુ-સાધ્વી બે વિરુદ્ધ રાજ્યો ની વચ્ચે પુનઃપુનઃ ગમનાગમન કરે-કરાવે-કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ રાત્રિ [૭૨૬-૩૩૩] જે સાધુ-સાધ્વી દિવસે ભોજન કરવાની નિંદા કરે, ભોજનની પ્રશંસા કરે, - - દિવસે લાવેલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર બીજે દિવસે કરે, દિવસે લાવેલ અશન- આદિ રાત્રે ખાય, - - રાત્રે (સૂર્યોદય પૂર્વે) લાવેલ અશન-આદિ દિવસે ખાય રાત્રે લાવેલ અશન-આદિ રાત્રે ખાય, આગાઢ કારણ સિવાય અશન-આદિ આહાર રાત્રે સંસ્થાપિત કરે એટલે રાખી મુકે, આ રીતે રાખેલ અશનાદિ-આહાર માંથી ત્વચા પ્રમાણ, ભસ્મ પ્રમાણ કે બિંદુ પ્રમાણ આહાર પણ તે ખાય- આમાંનો કોઈ દોષ સ્વયંકરે, અન્ય પાસે કરાવે કે કરનારને અનુમોદે [૭૩૪] જે સાધુ-સાધ્વી, જ્યાં ભોજનમાં પહેલા માંસ કે મચ્છી અપાતી હોય પછી બીજુ ભોજન અપાતું હોય, જ્યાં માંસકે મચ્છી પકાવાતા હોય તે સ્થાન, ભોજન ગૃહમાંથી જે લવાતું હોય કે બીજે લઈ જવાતું હોય, વિવાહઆદિ માટે જે ભોજન તૈયાર થતું હોય, મૃત ભોજન, કે તેવા પ્રકારનું અન્ય ભોજન એક થી બીજે સ્થળે લઈ જવાતું જોઈને તેવા ભોજનની ઈચ્છાથી કે તૃષાથી અર્થાત્ ભોજનની અભિલાષાથી તે રાત્રિએ અન્યત્ર નિવાસ કરે એટલે કે શય્યાતરને બદલે બીજે સ્થાને રાત્રિ પસાર કરે- કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy