SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ શ્રીમહાવીરસ્વામીએ નિરયાવલિકા ઉપાંગના પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યાં છે, તો હે ભગવાન ! નિરયાવલિકાના પહેલા અધ્યયનનો કર્યો અર્થ કહ્યો છે ? આ પ્રમાણે નિશ્ચે હે જંબૂ ! તે કાલે તે સમયે આ જ જંબુદ્રીપ નામના દ્વીપને વિશે ભરત ક્ષેત્રમાં ચંપા નામની નગરી હતી. તે ઋદ્ધિવાળી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું.તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલ્લણા દેવીનો આત્મજ કોણીક નામનો રાજા હતો. તે મોટો વિગેરે વિશેષણવાળો હતો. તે કોણીક રાજાને પદ્માવતી નામની દેવી (રાણી) હતી. તે સુકુમાલ હતી ઈત્યાદિ કહેવું. તે સુખે સુખે વિચરતી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીક રાજા ની ભાર્યા અને કોણીક રાજાની નાની માતા કાલી નામની દેવી હતી. તેના હાથ પગ કોમલ હતા યાવત્ તે સુંદર રુપવાળી હતી. [૬]તે કાલીદેવીનો પુત્ર કાલ નામનો કુમાર હતો, તે કોમલ હાથપગવાળો યાવત્ સારા રુપવાળો હતો. ત્યારપછી તે કાલકુમાર એકદા કદાચિત્ ત્રણ હજાર હાથી, ત્રણ હજાર રથ, ત્રણ હજાર અશ્વ અને ત્રણ કરોડ મનુષ્ય વડે ગરુડવ્યૂહ રચીને પોતાના અગ્યારમા ભાગના સૈન્યવડે કૂણિક રાજાની સાથે રથમુશલ સંગ્રામમાં ઉતર્યો. [9] અહીં ચંપાનગરીમાં રહેલી કાલકુમારની માતા કાલીદેવી એકદા કદાચિત્ કુટુંબજાગરણવડે જાગતી હતી તે વખતે તેણીને આ આવા પ્રકારનો આધ્યાત્મિક (વિચાર) યાવત્ ઉત્પન્ન થયો કે-આ પ્રમાણે નિશ્ચે મારો પુત્ર કાલ કુમાર યાવત્ યુદ્ધમાં ઉતર્યો છે, તો હું માનું છું કે-શું તે જીતશે એટલે જયની શ્લાધા પામશે કે નહીં જીતે ? જીવશે કે નહીં જીવે ? પ૨સૈન્યનો પરાભવ કરશે કે નહીં કરે ? કાલ નામના કુમારને હું જીવતો જોઈશ કે નહીં જોઉં ? આ પ્રમાણે વિચરતાં તેણીના મનનો સંકલ્પ એટલે યુક્ત અયુક્તનો વિવેક હણાઈ ગયો, યાવત્ તે ધ્યાન કરવા લાગી.તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી ત્યાં સમવસર્યા. તેમને વાંદવા માટે નગરીમાંથી પર્ષદા નીકલી. તે વખતે કાલીદેવીએઆવાતજાણી ત્યારે આ આવા પ્રકારનો આધ્યાત્મિક એટલે આત્મા ના વિષયવાળો યાવત્ વિચાર ઉત્પન્ન થયો- નિશ્ચે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પૂર્વાનુપૂર્વીએ- વિહાર કરતા અહીં પધાર્યા છે યાવત્ નગર બહાર રહેલા છે. તો તેવા પ્રકારના ભગ વાનનું નામ શ્રવણ કરવાથી પણ મહાફલ છે તો પછી યાવતુ તેમની પાસેથી વિપુલ અર્થને ગ્રહણ કરવાથી મહાલ થાય તેમાં શું કહેવું ? તેથી કરીને હું તે શ્રમણ ભગવાન પાસે જઈ તેમને વાંદી યાવત્ તેમની પર્યાપાસના કરું, અને આ આવા પ્રકારના મારા પ્રશ્નને હું પૂછું.' એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને તેણે કૌટુંબિક પુરુષોને, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! અશ્વ જોડેલું શ્રેષ્ઠ ધર્મ સંબંધી વાહન શીધ્ર પણે લાવો. લાવીને યાવત્ મારી આજ્ઞા પાછી આપો. તેઓએ પણ તેમ કર્યું. ત્યારપછી તે કાલી દેવીએ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી બલિકર્મ કર્યું. યાવત્ થોડા અને મોટા મૂલ્યવાળા અલંકરો વડે શરીરને અલંકૃત કર્યું. પછી ઘણી કુબડી દાસીઓ વડે યાવત્ મહત્તરાના સમૂહવડે પરિવરી અંતઃપુરથી બહાર નીકળી; જ્યાં બહારની ઉપસ્થાનશાલા હતી અને જ્યાં શ્રેષ્ઠ ધાર્મિક યાન હતું ત્યાં આવી; આવીને તે શ્રેષ્ઠ ધાર્મિક યાન ઉપર આરુઢ થઈ, આરુઢ થઈને પોતાના પરિવાર વડે પરિવરેલી તે ચંપાનગરીના મધ્યભાગે થઈને નીકલી જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવીને ભગવાનના છત્રાદિક યાવત્ અતિશયો દેખીને તે શ્રેષ્ઠ અધ્યયન-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy