SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ જબુતીવપનત્તિ- ૭ર૯૯ બાલવકરણ, કૌલવકરણ ગરકરણ સ્ત્રીવિલોચનકરણ, વણિજકરણ અને વિષ્ટીકરણ આ સાત કરણો ચર છે અને તથા આ સિવાયના ચાર કરણ છે તે સ્થિરકરણ છે. શકુનિ કરણ, ચતુષ્પદકરણ, નાગકરણ અને કિંતુગ્ધનકરણ હે ભદત ! આ ત્રણ કયા કાળમાં ચર અને કયા કાળમાં સ્થિર થાય છે ? હે ગૌતમ! શુકલપક્ષના પડવાની રાત્રિએ બવ દ્વિતીયતિથિમાં બાલવકરણ દ્વિતીયાતિથિની રાત્રિમાં કૌલવ તૃતીયાતિથિના દિવસ માં સ્ત્રી વિલોચનકરણ તૃતીયાતિથિની રાત્રિમાં ગરાદિકરણ ચતુથીતિથિના દિવસમાં વણિજ અને રાત્રિમાં વિષ્ટિ પંચમીતિથિના દિવસમાં બવ છે અને બાલવ રાત્રિએ ષષ્ઠીના દિવસે કૌલવ રાત્રિએ સ્ત્રીવિલોચન સાતમના દિવસે ગરાદિકરણ અને રાત્રે વણિજકરણ આઠમતિથિએ દિવસે વિષ્ટિકરણ અને રાત્રે બવ નોમના દિવસે બાલવ રાત્રિએ કોલવ દશમના રોજ દિવસમાં સ્ત્રીવિલોચન અને રાત્રિમાં ગર એકાદશીએ દિવસમાં રાત્રિમાં વિષ્ટિકરણ બારશતિથિએ દિવસમાં બવ અને રાત્રે બાલવ તેરશ તિથિએ દિવસમાં કૌલવ અને રાત્રે સ્ત્રીવિલોચન ચૌદશની તિથિએ દિવસમાં ગરાઈ અને રાત્રે વણિજ પૂર્ણિમાના દિવસે વિષ્ટિ રાત્રે બવ કરણ થાય છે. કૃષ્ણ પક્ષની એકમે દિવસમાં બાલવ રાત્રે કૌલવ બીજની તિથિએ દિવસમાં સ્ત્રીવિલોચન રાત્રે ગરાઇ ત્રીજની તિથિએ દિવસમાં વણિજ અને રાત્રે વિષ્ટિ ચોથની તિથિએ દિવસમાં બવ અને રાત્રે બાલવ પાંચમની તિથિએ દિવસમાં કૌલવ અને રાત્રે સ્ત્રીવિલોચન છઠની તિથિએ દિવસમાં ગરાઈ અને રાત્રે વણિજ સાતમની તિથિએ દિવસમાં વિષ્ટિ અને રાત્રે બવ આઠમની તિથિએ દિવસમાં બાલવ અને રાત્રે કૌલવ નવમી તિથિએ દિવસમાં સ્ત્રીવિ લોચન રાત્રે ગરાઈ દશમની તિથિએ દિવસમાં વણિજ અને રાત્રે વિષ્ટિ અગ્યારશની તિથિએ દિવસમાં બવ અને રાત્રે બાલવ બારશની. તિથિએ દિવસમાં કૌલવ અને રાત્રે સ્ત્રીવીલોચન તેરસના રોજ દિવસમાં ગર અને રાત્રિમાં વણિજ ચૌદશના રોજ દિવસમાં વિષ્ટિ અને રાત્રિ શકુનિ અમાવસ્યાતિથિએ દિવસમાં ચતુષ્પદ અને રાત્રિમાં નાગ નામનું કરણ થાય છે. શુકલપક્ષની પ્રતિપદાતિથિમાં દિવસમાં કિંતુગ્ધન નામનું કરણ થાય છે. કૃષ્ણપક્ષની ચૌદશના રોજ રાત્રિમાં શકુનિકરણ અને અમાવસ્યામાં દિવસમાં ચતુષ્પદકરણ રાત્રે નાગ નામનું કરણ, શુકલ પક્ષના પડવાના દિવસે દિવસમાં કિંતુગ્ધનકરણ આ ચાર કરણ સ્થિર આ તિથિઓ માં જ થાય છે. [૩૦૦-૩૦૧] હે ભદત ! સંવત્સર શું આદિવાળા છે? આદિવાળા છે? માસ શું આદિવાળા છે ? સમસ્ત સંવત્સરોમાં સહુથી પ્રથમ સંવત્સર ચન્દ્ર સંવત્સર છે. અયનોમાં સૌથી પ્રથમ અયન દક્ષિણાયન હોય છે. પ્રાવૃત્ આદિ છ ઋતુઓ કહેવામાં આવી છે એમાં અષાઢ શ્રાવણ બે માસ રૂપ પ્રવૃત્ ઋતુ હોય છે. બધાં માસોમાં યુગારમ્ભમાં શ્રાવણ માસ જ હોય છે. યુગના આર્મમાં સર્વ પ્રથમ કૃષ્ણપક્ષ જ પ્રવૃત્ત થાય છે રાતદિવસમાં યુગના આરમ્ભમાં દતિવસ જ સર્વ પ્રથમ પ્રવૃત્ત થાય ૩૦ મુહૂર્તોમાં સર્વ પ્રથમ મુહૂર્ત યુગની આદિમાં રદ્ર હોય છે કારણોમાં સર્વ પ્રથમ કારણ બાલવ જ હોય છે. નક્ષત્રોમાં સર્વ પ્રથમ કરણ બાલવ જ હોય છે. નક્ષત્રોમાં સર્વ પ્રથમ નક્ષત્ર અભિજિતું. હોય છે. હે ગૌતમ! પાંચ સંવત્સરીવાળા એક યુગમાં દશ અયન હોય છે ઋતુઓ ૩૦ હોય છે એક યુગમાં ૬૦ માસ હોય છે એક યુગમાં ૧૨૦ પક્ષ હોય છે. એક યુગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy