SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ જંબુદ્વિવપનતિ- ૭૨૫૮ કથિત પદ્ધતિ મુજબ પ્રવેશ કરતો સૂર્ય તદનંતર મંડળથી તદનંતર મંડળ પર જતો-જતો પાંચ-પાંચ યોજન અને એકએક યોજનના ૬૧ ભાગોમાંથી ૩પ ભાગ પ્રમાણ એકએક મંડલમાં વિખંભ બુદ્ધિનો પરિત્યાગ કરતો-કરતો તેમજ ૧૮-૧૮ યોજનની પરિક્ષેપ બુદ્ધિનો પરિત્યાગ કરતો કરતો સવભ્યિતર મંડલ પર પહોંચીને પોતાની ગતિ કરે છે. [૨પ૯-૨૬૨] હે ભદેત! જ્યારે સૂર્ય સવભ્યિન્તર સર્વ મંડળની અપેક્ષા આભ્યતર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, એ સમયે એક-એક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ગતિ કરે છે? હે ગૌતમ! પ૨પ૧ યોજન દરેક મુહૂર્તમાં જાય છે. એક યોજનાની ૨૯/૦ભાગ એક એક મુહૂર્તમાં જાય છે. માટે હવે નિષ્ક્રમણ કરતો સૂર્ય અત્યંતર મંડળમાંથી નીકળીને જબૂદ્વીપની અંદર પ્રવેશ કરવામાં એક લાખ એંસી યોજન પ્રમાણવાળા ક્ષેત્રમાં અન્તિમ આકાશ પ્રદેશનો સ્પર્શ કરવાથી સૂર્ય નવા આગામી કાળ સંબંધી સંવત્સર ને કરતો સૂર્ય સૌથી પહેલા અહોરાત્રમાં સવવ્યંતર મંડળથી બીજા મંડળને પ્રાપ્ત થઈને ગતિ કરે છે. આ અહોરાત્ર દક્ષિણાયન સંવત્સરનો પહેલો દિવસ છે. હે ગૌતમ ! પ૨પ૧-૪૭/૬૦ યોજન એક મુહૂર્તમાં ગમન કરે છે. જ્યારે સભ્યન્તરના બીજા મંડળમાં સૂર્ય ગતિ કરે છે. એ સમયમાં આ મનુષ્યલોકમાં રહેનારા મનુષ્યોને સુડતાલીસ હજાર યોજન ઓગણાએ સીસો યોજન અર્થાતુ એકસો ઓગણ યાસી યોજન એક યોજનનો સાઠિયા સત્તાવનમો ભાગ એક યોજનના સાઠમાં ભાગને એકસઠથી છેદીને અથતુ એકસઠ ભાગ કરીને આ એકસઠમાં ભાગને ઓગણીસ ચૂર્ણિકા ભાગથી અથતિ એક યોજનાનો જે સાઠમો ભાગ તેના એક ભાગનો જે ઓગણી સમો ભાગ તે ભાગથી સૂર્ય નેત્રના વિષયને શીધ્ર પ્રાપ્ત થાય છે. બીજા મંડળની ગતિ સમાપ્ત થઈ ગયા પછી ગમન કરતો સૂર્ય બીજા અહોરાત્ર માં અર્થાતું પ્રસ્તુત અયનની અપેક્ષાથી બીજા મંડળમાં આભ્યન્તરના ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે. હે ગૌતમ ! પાંચ પાંચ હજાર યોજન બસો બાવન યોજન યોજનાનો પાંસઠમો ભાગ એક મુહૂર્તમાં જાય છે. ઉપરોક્ત સંખ્યાથી એક એક મુહૂર્તમાં ગમન કરે ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેવા વાળા મનુષ્યોને સુડતાલીસ હજાર યોજનથી છનું યોજનથી યોજનનો સાઠિયા તેત્રી સમો ભાગ સાઈઠ ભાગને એકસાઈઠથી છેદીને બે ચૂર્ણિકા ભાગથી સૂર્ય શીઘ્ર ચક્ષુ ગોચર થાય છે. આ ઉપાયથી ધીરે ધીરે તેને બહારના મંડલની સન્મુખ ગમનરૂપ ગતિ કરતો સૂર્ય ત્રીજા ચોથા આદિમંડળથી પછીના જે મંડળથી ગતિ કરે છે, તેનાથી બીજા મંડળમાં જતાં જતાં એક યોજનના સાઠિયા પૂરા અઢાર ભાગ વ્યવ હારનયની અપેક્ષાથી અને નિશ્ચયનયની અપેક્ષાથી કંઈક ઓછા એક એક મંડળમાં મુહૂર્ત ગતિને વધતા વધતા ક્રમથી અધિકાધિક કરતાં કરતાં ચોરાસીસો યોજનથી કંઈક ઓછા પુરૂષ છાયાને વધારતા વધારતા અને ઓછા કરતાં કરતાં સર્વ બાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. હે ગૌતમ! પ૩૦૫ ૧૫/૬૦એક એક મુહૂર્તમાં જાય છે. પ્રમાણે કેવી રીતે થાય છે? આ સર્વબાહ્ય મડળમાં પરિધિનું પ્રમાણ ૩૧૮૩૧૫ છે. તેમાં પહેલાં કહેલ યુક્તિ પ્રમાણે સાઈઠની સંખ્યાથી ભાગવાથી આ મંડળમાં યથોક્ત મુહૂર્ત પરિમાણ પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને એકત્રીસ હજાર યોજન એક યોજન સાઠિયા ત્રીસ ભાગથી સૂર્ય તુરત જ દૃષ્ટિગોચર થાય છે. આ Jain Education International · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy