SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ વફબારો-૫ મંજુઘોષી નામક હોય છે. એમના પદાત્યનીકાધિપતિ અને વિમાનકારી આભિયોગિક દેવો હોય છે. વ્યંતરોના આ પૂર્વોક્ત કથન મુજબ જ જ્યોતિષ્ક દેવોનું કથન પણ જાણવું જોઈએ. પરંતુ જ્યોતિષ્કોના કથનમાં જે બાબતમાં તફાવત છે તે આ પ્રમાણે છે- સમસ્ત ચન્દ્રોની ઘંટાઓ સસ્વર નામક છે. સમસ્ત સૂર્યોની ઘંટાઓ સુસ્વર નિર્દોષ નામક છે. એ બધા મંદિર પર્વત ઉપર આવ્યાં. ત્યાં આવીને બધા દેવોએ પ્રભુની પર્યાપાસના કરી. ત્યાર બાદ તે પૂર્વ વર્ણિત દેવેન્દ્ર દેવરાજ અય્યત-દ્વાદશ દેવલોકના અધિપતિએ કે જે ૬૪ ઈન્દ્રોમાં મહાનું લબ્ધ પ્રતિષ્ઠિત છે, આભિયોગિક દેવોને બોલાવ્યા. હે દેવાનું પ્રિયો ! તમે લોકો યથા શીઘ્ર તીર્થંકરના અભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. આ સામગ્રી મહાથવાળી હોય, જેમાં મણિ કનક રત્ન વગેરે પદાથો સમ્મિલિત હોય, મહાઈ હોય, વિશિષ્ટ મૂલ્યવાળી હોય. મહાઈ હોય-ઉત્સવ લાયક હોય, વિપુલ હોય-માત્રામાં ખૂબ વધારે હોય આ પ્રમાણે પોતાના સ્વામીની આજ્ઞા સાંભળીને તે આભિયોગિક દેવો હષવેિશમાં ત્યાંથી ઇશાન કોણ તરફ રવાના થયા. ઈશાન કોણ તરફ જઇને ત્યાં તેમણે વૈક્રિય સમુઘાત કર્યો. વૈકિય સમુઘાત કરીને પછી તેમણે ૧૦૦૮ સુવર્ણ કળશોની, ૧૦૦૮ રૂપ્યમય કળશોની ૧૦૦૮ મણિમય કળશોની, ૧૦૦૮ સુવર્ણ રૂપ્યમય કળશોની ૧૦૦૮ સુવર્ણ મણિમય કળશોની, ૧૦૦૮ રૂપ્ય મણિમય કળશો, ૧૦૦૮ સુવર્ણરૂપ્ય મણિમય કળશોની ૧૦૦૮ માટીના કળશોની ૧૦૦૮ ચંદનના કળશોની ૧૦૦૮ ઝારી ઓની. ૧૦૦૮ દર્પણોની. ૧૦૦૮ થાળોની ૧૦૦૮ પાત્રીઓની, ૧૦૦૮ સુપ્રતિષ્ઠકોની, ૧૦૦૮ ચિત્રોની, ૧૦૦૮ રત્ન કરંડકોની ૧૦૦૮ વાત કરંડકોની ૧૦૦૮ પુષ્પ ચંગેરિકા ઓની વિમુર્વણા કરી. જે પ્રમાણે રાજપ્રશ્રીય સૂત્રમાં ઈન્દ્રાભિષેક વખતે સૂર્યાભિ દેવના પ્રકરણમાં સમસ્ત ચંગેરીકાઓની સમસ્ત પુષ્પ પટલોની વિકર્વણા કરવામાં આવી હતી, તે પ્રમાણે જ અહીં પણ એ બધી અભિષેક યોગ્ય સામગ્રીની અતિ વિશિષ્ટ રૂપમાં વિકુણા કરવામાં આવી હતી, એવું સમજવું. આ પ્રમાણે તે દેવોએ ૧૦૦૮ સિંહાસનોની, ૧૦૦૮ છત્રોની, ૧૦૦૮ ચામરોની, ૧૦0૮ તેલ સમુદ્રગકોની યાવતું એટલા જ કોષ્ઠ સમુદ્ગકોની, સર્ષવ સમુગલોની, તાલ વૃત્તોની યાવતુ ૧૦૦૮ ધૂપ કડુચ્છકોની પછી તે દેવલોકમાં, દેવલોકની જેમ સ્વયંસિદ્ધ શાશ્વત કળશોને તેમજ વિક્રિયાથી નિષ્પાદિત કળશોને યાવતું ભંગારથી માંડીને વ્યંજનાન્તની વસ્તુઓને અને ધૂપકડુચ્છકોને લઈને જ્યાં ક્ષીરોદ-સમુદ્ર હતો. ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે તેમાંથી ક્ષીરોદક કળશોમાં ભર્યું. ક્ષીરોદક ભરીને પછી તેમણે ત્યાં જેટલા ઉત્પલો હતાં, પધો હતાં, યાવતુ સહસ્ત્ર પત્રવાળાં કમળો હતાં. તે બધાને લીધાં અહીં પુષ્કરોદક નામક તૃતીય સમુદ્રમાંથી તેમણે ઉદકાધિક લીધાં. પછી મનુષ્ય ક્ષેત્ર સ્થિત પુષ્કરવાર દ્વીપાધના ભરત ઐરાવતના માગધાદિક તીર્થોમાં આવીને તેમણે ત્યાંથી પાણી અને કૃત્તિકા લીધાં. ત્યાંથી પાણી અને મૃત્તિકા લઈને પછી તેમણે ત્યાંની ગંગા વગેરે મહા નદીનું પાણી લાવતુ ઉદક ઉભય તટની મૃત્તિક લીધી. તથા મુદ્ર હિમવાનુ પર્વતથી સમસ્ત આમલક આદિ કષાય દ્રવ્યોને, ભિન્ન-ભિન્ન જાતિના પુષ્પોને, સમસ્ત ગબ્ધ દ્રવ્યોને ગ્રથિતાદિ ભેદવાળી માળાઓને, રાજહંસી વગેરે મહૌષધિઓને અને સર્ષપોને લીધાં. પદ્મદ્રહથી દ્રહોદક અને ઉત્પલાદિ લીધાં. એજ કુલ પર્વતમાંથી, વૃત્ત વૈતાઢ્યોમાંથી તેમજ સર્વ મહા સમુદ્રોમાંથી સમસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy