SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૫ ૨૨૫ થયેલા શિશિર કાળના બાલ સૂર્યનો કે રાત્રિમાં પ્રજ્વલિત ખદિરના અંગારાનો કે ચોમેરથી કુસુમિત થયેલા જપાવાનનો કે કિંશુક વનનો કે કલ્પ દ્રુમોના વનનો વર્ણ હોય છે તેવો જ આનો વર્ણ હતો. વિદુર્વણા કરીને તે પાલક દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક હતો ત્યાં ગયો અને ત્યાં જઈને તેણે બન્ને હાથોને જોડીને વિનયપૂર્વક ચક્રને જયવિજય શબ્દથી વધામણી આપતાં યાનવિમાન પૂર્ણ રૂપમાં નિષ્પન્ન થયું છે, એવી ખબર આપી. [૨૨] પાલક દેવ દ્વારા દિવ્ય યાનવિમાનની આજ્ઞા મુજબ નિષ્પત્તિ થઈ જવાની ખબર સાંભળીને હર્ષિત હદય થઈને દિવ્ય જિનેન્દ્રની સામે જવા યોગ્ય એવાં સર્વ અલંકારોથી વિભૂષિત ઉત્તર વૈક્રિય રૂપની વિકવણા કરી. પછી તે આઠ અગ્રમહિષી ઓની સાથે તેમજ તે અઝમહિષીઓના પરિવાર ભૂત ૧૬-૧૬ હજાર દેવીઓની સાથે નાટ્યાનીક તેમજ ગંધાવનીક સાથે તે દિવ્ય યાન-વિમાનની ત્રણ પ્રદક્ષિણાઓ કરીને પૂર્વ દિગ્દર્તીિ ત્રિ-સોપાન ઉપર થઈને તેની ઉપર આરૂઢ થયો. તે પૂર્વ દિશા તરફ મુક કરીને સિંહાસન ઉપર બેસી ગયો. યાવતુ તેની સામે પ્રત્યેક-પ્રત્યેક આઠ આઠની સંખ્યામાં મંગલ દ્રવ્યો ક્રમશઃ પ્રસ્થિત કરવામાં આવ્યાં. ત્યાર બાદ પૂર્ણ કળશ, ભૂંગારક, ઝારી, દિવ્ય છત્ર, ચામર સહિત પતાકાઓ-આગળ-આગળ ચાલી. ત્યાર બાદ વાયુથી વિકંપિત થતી વિજય વૈજયંતીઓ ચાલી. વિજય વૈજયંતીઓ અતીવ ઊંચી હતી અને તેમનો અગ્રભાગ આકાશ તળીને સ્પર્શી રહ્યો હતો. ત્યાર બાદ છત્ર, ભંગાર એ સર્વના પ્રસ્થાન પછી મહેન્દ્રધ્વજ પ્રસ્થિત થયો. આ મહેન્દ્રધ્વજ રત્નમય હતો, એનો આકાર વૃત્ત ગોળ તેમજ લછ-મનોજ્ઞ હતો. એ સુશ્લિષ્ટ-મસૃણ સુચિક્કણ હતો. ખરી સાણથી ઘસવામાં આવેલી પ્રસ્તર પ્રતિમાની જેમ એ પરિકૃષ્ટ હતો. સુકુમાર શાણ ઉપર ઘસવામાં આવેલી પાષાણ પ્રતિમાની જેમ આ મૃણ હતો, સુપ્રતિષ્ઠિત હતો. એથી જ આ શેષ ધ્વજોની અપેક્ષાએ વિશિષ્ટ હતો. તેમજ અનેક પાંચ રંગો વાળીકુડભિઓના-લઘુ પતાકાઓના સમુહોથી એ અલંકૃત હતો. હવાથી કંપિત વિજયવૈજયંતીથી તેમજ પતાકાતિપાતાકા ઓથી તથા છત્રાતિછત્રોથી એ કલિત હતો. એ તુંગ ઊંચો હતો. એનો અગ્રભાગ આકાશ તલને સ્પર્શી રહ્યો હતો. ત્યાર બાદ જેમણે પોતાના કર્મ અનુરૂપ વેષ પહેરી રાખ્યો છે, એવી પાંચ સેના ઓ તેમજ પૂર્ણ સામગ્રી યુક્ત સુસજ્જિત થઈને જેમણે સમસ્ત અલંકારો ધારણ કર્યા છે એવા પાંચ અનીકાધિ- પતિઓ યથાક્રમથી સંપ્રસ્થિત થયા. ત્યાર બાદ અનેક આભિ યોગિક દેવો અને દેવીઓ સંપ્રસ્થિત થયાં એ બધાં દેવ-દેવીઓ પોત-પોતાના રૂપોથી, પોત-પોતાના કર્તવ્ય મુજબ ઉપસ્થિત વૈક્રિય સ્વરૂપોથી યાવતુ પોત-પોતાના વૈભવથી, પોત-પોતાના નિયોગથી યુક્ત થયેલાં દેવેન્દ્ર દેવરાજ શકની આગળ-પાછળ અને ડાબી જમણી તરફ યથા ક્રમે પ્રસ્થિત થયા. ત્યાર બાદ અનેક સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓ પોતપોતાની સમસ્ત ઋદ્ધિથી સમ્પન થઈનેયાન-વિમાનાદિ રૂપ સંપત્તિથી યુક્ત થઈને પોતપોતાના વિમાનો ઉપર ચઢીને દેવેન્દ્ર દેવરાજ શકની આગળ-પાછળ અને ડાબી અને જમણી તરફ ચાલવા લાગ્યાં. આ પ્રમાણે તે શક્ર તે પાંચ પ્રકારની સેનાથી પરિવેષ્ટિત થયેલો યાવતુ જ્યાં સૌધર્મ કલ્પનો ઉત્તર દિશ્વર્તી નિયણ માર્ગ હતો ત્યાં આવ્યો ત્યાં આવીને તે એક લાખ યોજન પ્રમાણ પગલાઓ ભરતો ભરતો તે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ યાવતુ દેવગતિથી તિર્થગ લોક સંબંધી અસંખ્યાત દ્વીપ સમુદ્રોના ઠીક મધ્ય 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy