SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જંબુલીવપન્નત્તિ -૪/૨૧૧ છે. આ નદી પૂર્વ દિશા તરફ પ્રવાહિત થઈને પૂર્વ લવણ સમુદ્રમાં પ્રવેશે છે. જે પ્રમાણે ગંગા અને સિંધુ એ બે મહાનદીઓનું વર્ણન કરવામાં આવેલું છે. તે પ્રમાણે રક્તા અને રક્તાવતી નદીઓનું વર્ણન પણ સમજી લેવું. એમાં પૂર્વ દિશા તરફ રક્તા નામક મહા નદી વહે છે અને પશ્ચિમ દિશા તરફ રક્તવતી નામની મહાનદી વહે છે, રક્તા નદી પૂર્વ લવણસમુદ્રમાં અનેરક્તાવતી પશ્ચિમલવણ સુમદ્રમાં પ્રવેશે છે. એમ જાણી લેવું જોઈએ. હે ભદન્તાઆ શિખરી નામક વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો કહેવામાં આવ્યાછે? ૧૧ ફૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, શિખરી કૂટ, હૈરણ્યવત કૂટ, સુવર્ણકૂલા કૂટ, સુરાદેવી કૂટ, રક્તાદેવી કૂટ, લક્ષ્મી કૂટ, રક્તાવતી કૂટ, ઈલાદેવી કૂટ, ઐરાવત કૂટ, અને તિગિચ્છ કૂટ એ બધા કૂટો કૂટો પ૦૦, ૫૦૦ યોજન પ્રમાણવાળા છે. એમના દેવોની રાજધાનીઓ પોત-પોતાના કૂટોની ઉત્તર દિશામાં આવેલી છે. આ શિખરી નામક વર્ષધર પર્વત ઉપર સિદ્ધયતન વગેરે સિવાય અન્ય કેટલાક વૃક્ષોના આકાર જેવા કૂટો છે. સવત્મિના રત્નમય છે. એથી એનું નામ “શિખરી’ એવું પડ્યું છે. અથવા શિખરી નામક દેવ અહીં રહે છે. આ દેવ મહદ્ધિક વગેરે વિશેષણો વાળો છે તથા એનું આયુષ્ય એક પલ્યોપમ જેટલું છે. એ બધાં કારણોને લીધે એનું નામ “શિખરી’ એવું કહેવામાં આવેલું છે. હે ભદેત !આ જેબૂદ્વીપ નામક દ્વીપમાં ઐરાવત નામક ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે? હે ગૌતમ ! શિખરી વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તથા ઉત્તર દિશ્વર્તી લવણ સમુદ્રની દક્ષિણ દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબૂઢીપ નામક દ્વીપમાં ઐરાવત નામક ક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્ર સ્થાણુ બહુલ છે. કંટક બહુલ છે. ઇત્યાદિ ભરતક્ષેત્ર મુજબ જાણવું ઐરાવત ક્ષેત્ર પણ ૬ ખંડોથી મંડિત છે. અહીં પણ ઐરાવત નામક ચક્રવર્તી અહીંના ૬ ખંડો ઉપર શાસન કરે છે. ઐરવત ચક્રવર્તી પણ સકલ સંયમ ધારણ કરીને મુક્તિ રમાનું વરણ કરે છે. આ એરવત ચક્રવર્તી તેનો સ્વામી હોવાથી તથા ઐરાવત નામક મહદ્ધિક દેવ આ ક્ષેત્રમાં નિવાસ કરે છે, એથી આ ક્ષેત્રનું નામ ઐરાવત એવું કહેવામાં આવેલું છે. વખ્ખારો-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વક્ષસ્કાર-૫) [૨૧૨-૨૧૪] જ્યારે એક-એક ચક્રવર્તી દ્વારા વિજેતવ્ય ક્ષેત્ર ખંડ રૂ૫ ભગવંત તીર્થકર ઉત્પન્ન થાય તે કાળે. તે સમયે અધોલોકમાં વસનારી આઠ મહત્તરિક દિકુમા રિકાઓમાંથી દરેકે દરેકના આસનો ચલાયમાન થવા લાગ્યા. ત્યારે તેમણે પોતાના અવધિજ્ઞાનનો વ્યાવૃત કર્યું. તેનાથી ભગવાન તીર્થકરને જોયા. અને પછી તેમણે એક બીજાને બોલાવ્યા આ પ્રમાણે વાતચીત કરી. જેબૂદ્વીપ નામક દ્વીપમાં ભગવાન્ તીર્થકર ઉત્પન્ન થયા છે. તો અતીત, વર્તમાન તેમજ અનાગત મહત્તરિકા આઠ દિક્મારિકા ઓનો એ આચાર છે કે તેઓ ભગવાનું તીર્થંકરનો જન્મ મહોત્સવ કરે. એવો નિર્ણય કરીને પછી તેમાંથી દરેકે પોત-પોતાના આભિયોગિક દેવોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો શીઘ હજારો સ્તંભોવાળા તેમજ જેમનામાં લીલા કરતી સ્થિતિમાં અને પુત્તલિકાઓ શોભા માટે બનાવવામાં આવી છે એવા પૂર્વે વિમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy