SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ જંબુલીવપન્નતિ-૩/૧૨૨ નું વર્ણન “જીવાભિગમ ઉપાંગમાં કરવામાં આવેલું છે. ભારત રાજાનો અભિષેક કરીને પછી દરેકેચાવત્ અંજલિ બનાવીને તે-તે ઈ-કાન્ત યાવતુ વચનો વડે તેમનું અભિનંદન તેમજ સ્તવન કરતાં કરતાં આ પ્રમાણે કહ્યું- હે નન્દ! આનંદ સ્વરૂપ મહારાજા ભરત તમારો જય થાઓ, જય થાઓ હે ભદ્ર! કલ્યાણ સ્વરૂપ ભરત ! તમારો વારંવાર જય થાઓ, જય થાઓ હે ભદ્ર! કલ્યાણ સ્વરૂપ ભરત! તમારો વારંવાર જય થાઓ, ત્યારબાદ ભરત રાજા સેનાપતિ રત્ન યાવતુ પુરોહિત રત્નથી માંડીને સાર્થવાહ આદિ જનો એ આ પ્રમાણે જ અભિષેક કર્યો. સંસ્ત વન કર્યું. કે ભરત નરેશના શરીરનું તેમણે પ્રોચ્છન- કર્યું અને મસ્તકની ઉપર મુકુટ મૂક્યો. અહીં શરીર ઉપર ગોશીર્ષ ચંદનનું લેપન કર્યું. લેપન કરીને પછી તેમણે દેવદૂષ્ય યુગલ ધારણ કરાવ્યું. એ સર્વ આભૂષણો વડે ભરતચક્રીના શરીરને સમલંકૃત કરીને પછી તે દેવો એ તેમના શરીર પર ચંદનવૃક્ષ આદિની સુગંધિ જેમાં સમ્મિલિત છે એવા કાશ્મીર કેશર કપૂર અને કસ્તૂરી વગેરે સુગંધિત દ્રવ્યો છાંટ્યા. પછી પુષ્પોની માળાઓ તે રાજાને ધારણ કરાવવામાં આવી જ્યારે ભરત નરેશ પૂર્વોક્ત પ્રકારથી રાજ્યાભિષેકની સર્વ સામગ્રી વડે અભિષિક્ત થઈ ચૂક્યા ત્યારે તેમણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. અને બોલાવીને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે વિનીતા રાજધાનીમાં એવી ઘોષણા કરી સર્વજનો ! મારા ૧૨ વર્ષ સુધી ઉત્સવ કરે. તે ઉત્સવમાં વિકેય વસ્તુ ઉપર જે રાજા તરફથી કર લેવામાં આવે છે. તે માફ કરવામાં આવેલ છે. પશુઓકર સરકારીકર તે પણ માફ કરવામાં આવે છે. જે વસ્તુ બહારથી આવે તે વસ્તુ તેજ કિંમતમાં વેચવામાં આવે. એમાં ક્ષતિ પૂતિ રાજા તરફથી કરવામાં આવશે. યાવતુ આનંદ પૂર્વક ભિન્ન ભિન્ન પ્રકારની ક્રીડાઓથી-એ ઉત્સવને સફળ બનાવે. ઠેક-ઠેકાણે એ ઉત્સવની આરાધનામાં વિજયજયન્તીઓ. લહેરાવવામાં આવે. રાજાને યોગ્ય એવી અભિષેક વિધિથી ભરત રાજાનો રાજ્યા ભિષેક થઈ ગયો ત્યારે તેઓ સિંહાસન ઉપરથી ઊભા થયા અને ઉભા થઈને સ્ત્રી-રત્નની સાથે-સાથે યાવતું હજારો નાટકોની સાથે-સાથે તેઓ તે અભિષેક પીઠ ઉપરથી નીચે ઉતર્યા. અભિષેક મંડપમાંથી બહાર આવ્યા. હસ્તિરત્ન ઊભું હતું ત્યાં આવ્યા. યાવતું આરૂઢ થયા-બેસી ગયા. ભરતના અયોધ્યા પ્રવેશ અંગેનો પાઠ જેવો પાઠ કુબેરની ઉપમા સુધી કહેવામાં આવેલ છે, તેવોજ પાઠ અત્રે પણ સમજવો. પોતાના ભવનાવતંસક સ્વરાજભવનમાં આવ્યા. અને ત્યાં આવીને તેઓ વાગતા મૃદંગાદિકોના તુમુલ ધ્વનિ સાથે સાંસારિક વિવિધ પ્રકારના કામભોગોને, સુખોને ભોગવતાર પોતાનો સમય પસાર કરવાલાગ્યા. જ્યારે ૧૨ વર્ષ સુધી યોજવામાં આવેલ ઉત્સવ સમાપ્ત થઈ ગયો ત્યારે તે ભરત મહારાજા એ સર્વે દેવો, રાજા, સેનાપતિ રત્ન લાવત્ સર્વેનું સત્કાર-સન્માન કરીને વિસર્જિત કર્યા. [૧૨૩-૧૨૬] ભરત ચક્રવર્તીના ચક્રરત્ન દડરત્ન અસ્તિરત્ન અને છત્રરત્ન એ. ચાર રત્નો કે જે એકેન્દ્રિય રત્નો છે, આયુધ ગૃહશાલામાં ઉત્પન્ન થયા છે. ચર્મરત્ન, મણિરત્ન, કાકણિરત્ન તથા નવ મહાનિધિઓ એ સર્વે શ્રીગૃહમાં-ભાડાગાર માં ઉત્પન્ન થયા છે. સેનાપતિરત્ન, ગાથાપતિ રત્ન વધ્રધરિત્ન અને પુરોહિતરત્ન એ ચાર મનુષ્યરત્નો વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયા છે. અશ્વરત્ન અને હસ્તિરત્ન એ બે પંચેન્દ્રિય તિર્યગ્રત્વ વૈતાઢ્ય ગિરિની તળેટીમાં ઉત્પન્ન થયા છે. તથા સુભદ્રા નામક જે Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy