SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વારો-૩ ૧૬૯ ઓમાં તેમણે ત્રણ ત્રિસોપાન પ્રતિરૂપકો વિકૃર્વિત કર્યા. વિજયદેવના સિંહાસનનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે તેમજ ‘દામ’ સુધીનું વર્ણન અહીં પણ ગ્રહણકરવું જોઈએ. શ્રી ભરત મહારાજાએ જ્યારે આભિયોક દેવો પાસેથી એ સમાચાર સાંભળ્યા તો તે અતીવ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળો થયો. અને પૌષધશાળામાંથી બહાર આવ્યો અહીં કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તે પુરુષોને તેણે આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્રાંતિ શીર્ઘ આભિષેક્સ હસ્તિરત્ન ને સુસજ્જિત કરો. સજ્જિત કરીને હય-ગજ તેમજ પ્રવર યોદ્ધાઓથી કલિત ચતુરંગિણી સેનાને પણ સજ્જિત કરો તે ભરત નરેશ સ્નાન ઘર તરફ ગયા. યાવત્ ત્યાં જઈને સ્નાન કર્યું અને પછી તે મજ્જન ગૃહમાંથી બહાર આવ્યા. બહાર આવીને તે નરપતિ અંજગિરિ સદ્દશ ગજપતિ ઉપર આરૂઢ થઈ ગયા. જ્યારે શ્રી ભરતરાજા આભિષેક્સ હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ રહ્યા હતા, તે સમયયે તેમની આગળ સર્વ પ્રથમ આઠ આઠની સંખ્યામાં આઠ મંગલ દ્રવ્યો પ્રસ્થિત થયા આરીતે જેવો પાઠ વિનીતા રાજધાની થી ભરત મહારાજા નીકળ્યા તે પ્રકરણમાં આવેલ છે. આ પ્રમાણે ઠાઠ-માઠથી ભરત નરેશ વિનીતા રાજધાની ના ઠીક મધ્યમાં આવેલા માર્ગમાં થઇને નીકળ્યા. બહાર નીકળીને તેઓ વિનીતા રાજધાની ના ઈશાન કોણમાં કે જ્યાં આભિષેક મંડળ હતો, ત્યાં પહોંચ્યા. અભિષેક્સ હસ્તિરત્નને ઊભુ રાખ્યું. ઊભું રાખીને તે રાજાને આભિષેક્સ હસ્તિરત્ન ઉપર થી નીચે ઉતર્યાં. નીચે ઉતરીને સ્ત્રી રત્ન સુભદ્રા, અને ૩૨ હજાર ઋતુ કલ્યાણિકા રાજ કન્યાઓ ૩૨ હજાર જનપદના મુખી ઓની કલ્યાણકારિણી કન્યાઓ અને ૩૨-૩૨ પાત્રોથી બદ્ધ ૩૨ હજાર નાટકો થી પરિવેષ્ટિત થયેલાતે ભરત રાજા અભિષેક મંડપમાં પ્રવિષ્ટ થયા પછી તેઓ જ્યાં અભિષેક પીઠ હતું ત્યાં પહોંચ્યા. અભિષેક પીઠની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. તેઓ પૂર્વ ભાગાવસ્થિત ત્રિસોપાન પ્રતિરૂપકો ઉપર આરૂઢ થઈ ને તે પીઠ ઉપર ચઢી ગયા. ત્યાં ચઢીને તેઓ જ્યાં સિંહાસન હતું. ત્યાં આવ્યાં. તેઓ પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર સારી રીતે બેસી ગયા. ત્યાર બાદ તે ભરત મહા રાજાના ૩૨ હજાર રાજાઓ જ્યાં આભિષેક મંડપ હતો ત્યાં આવ્યા. યાવત્ સેનાપતિરત્ન સુષેણ સાર્થવાહ વગેરે પૂર્વવત્ અભિષેક મંડપમાં આવ્યા. ત્યાર બાદર ભરત રાજાએ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું દેવાનુપ્રિયો ! તમે લોકો શીઘ્ર મણી રત્નાદિ રૂપ પદાર્થો જેમાં સમ્મિલિત હોય, તથા જેમાં આવેલ સર્વ વસ્તુઓ મૂલ્યવાન્ હોય, તેમજ જેમાં ઉત્સવ યોગ્ય વાઘ વિશેષ હોય એવી મહારાજ્યાભિષેક માટે યોગ્ય સામગ્રીની વ્યવસ્થા કરો. આ પ્રમાણે ભરત મહારાજા વડે આજ્ઞાપ્તથયેલા તે આભિયોગિક દેવો ખૂબ અધિક હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્ત થયા યાવત્ તેઓ ઈશાન કોણ તરફ જતાં રહ્યા. જંબુદ્રીપના વિજયદ્વા૨ના અધિપતિ દેવ-વિજયના પ્રકરણમાં તૃતીય ઉપાંગમાં અભિષેક સૂત્ર કહેવામાં આવેલ છે તે પ્રમાણે જ અહીં પણ અભિષેક સૂત્ર યાવત્ તે સર્વ પંડકંવનમાં એકત્ર થઈ જાય છે. અહીં સુધી પાઠ ગ્રહણ કરવો જોઇએ તેઓ સર્વે દેવો જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ત્રણ પ્રદક્ષિણાઓ કરી. ત્યાર બાદ જ્યાં અભિષેક મંડપ અને તેમાં પણ જ્યાં ભરત રાજા હતા ત્યાં આવ્યાં. ત્યાં આવીને તેમણે તે મહાર્થ, મહાઈ અને મહારાજ્યાભિષેકની સમસ્ત સામગ્રીને રાજાની સામે મૂકી દીધી. જે રીતે જંબુદ્વીપના દ્વારના અધિપતિ વિજય દેવનો થયો. એ અભિષેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy