SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ પન્નવણા-૩૬-૬૦૮ તિર્યંચો તૈજસસમુદ્યાતવાળા હોય છે. તેથી વૈક્રિયસમુદ્દઘાતવાળા અસંખ્યાતગુણા હોય છે. તેથી મારશાન્તિકસમુદ્યાવાળા અસંખ્યાતગુણા હોય છે. તેથી વેદનાસમુદ્ ઘાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાત ગુણા હોય છે. અને તેથી સમુદ્દઘાતરહિત સંખ્યાતગુણા હોય છે. હે ભગવન્! વેદનાસમુદ્યાતવાળા, કષાય, મારણાન્તિક, વૈક્રિય, તૈજસ, આહારક, કેવલિસમુદ્ ઘાતવાળા અને સમુદ્યાત રહિત મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા મનુષ્યો આહારકસમુદુઘાતવાળા છે. તેથી કેવલીસમુદુઘાતવાળા સંખ્યાતગુણા છે. તેથી તૈજસસમુદ્યાતવાળા સંખ્યાતગાણું છે. તેથી વૈક્રિયસમુદ્યાતવાળા સંખ્યાત ગુણા છે. તેથી મારણાન્તિકસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી વેદનામુ ઘાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી કષાય સમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે. તેથી સમુદ્દાતરહિત અસંખ્યાતગુણા છે. વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો અસુર કુમારની પેઠે જાણવા. . [૬૦૯] હે ભગવન્! કેટલા કષાયસમુદ્રઘાતો કહ્યા છે ? હે ગૌતમ ! ચાર. ક્રોધસમુદ્યાત, માનસમુદ્યાત, માયા સમુદ્યાત અને લોભસમુદુઘાત. હે ભગવનું ! નૈરયિકોને કેટલા કષાયસમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ ! ચાર. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! એક એક નૈરયિકને કેટલા ક્રોધસમુદૂઘાતો અતીતકાળે થયેલા છે ? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે ? હે ગૌતમ ! કોઈને થવાના છે અને કોઈને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને જાણવું. એમ યાવતુ લોભસમુદ્યાત સુધી જાણવું. એ પ્રમાણે ચાર દડકો થાય છે. હે ભગવન્! નૈરયિકોને કેટલા ક્રોધ મુદ્દઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે ? હે ગૌતમ ! અનન્તા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. એમ લોભસમુદૂઘાત સુધી કહવું. એ પ્રમાણે એ પણ ચાર દિડકો થાય છે. હે ભગવન્! એક એક નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા ક્રોધસમુદુઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. એ પ્રમાણે જેમ વેદનાસમુદ્દઘાત સંબધે કહ્યું તેમ ક્રોધસમુઘાતુ, સંબધેપણ બધું યાવતુ વૈમાનિકપણામાં કહેવું. માનસમુદૂઘાત અને માયાસમુદ્યાત સંબધે પણ જેમ મારણાન્તિકસમુદ્યાત સંબધે કહ્યું તેમ બંધું કહેવું. લોભસમુદ્યાત કષાયસમુદ્ધાતની જેમ કહેવો. પરન્તુ અસુરાદિ સર્વજીવો નરયિકોમાં લોભકષાયવડે એકથી માંડી અનન્ત મસુધી કહેવા. હે ભગવન! નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા ક્રોધસમુદુઘાતો અતીત કાળે થયેલા છે ? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ ! અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકપણામાં જાણવું. એમ સ્વસ્થાન અને પરસ્થાનમાં બધા કહેવા. સર્વ જીવોને ચારે સમુદ્યાતો લોભસમુદ્યાત સુધી જાણવા. યાવત્ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. [૧૦] હે ભગવનું ! એ ક્રોધસમુદ્દઘાતવાળા, માનસમુદ્દઘાતવાળા, માયા સમુદ્દઘાતવાળા અને લોભસમુદ્યાતવાળા, અકષાયસમુદુઘાતવાળા અને સમુદુઘાત રહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy