SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૨૮, ઉદ્દેસા-૨ ત્રણ ભાંગા જાણવા. સિદ્ધો અનાહારક હોય છે. [૫૯] વેદસહિત જીવને વિશે અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા, સ્ત્રીવેદ અને પુરુષ વેદમાં જીવાદિ સંબન્ધુ ત્રણ ભાંગા અને નપુંસકવેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. વેદરહિત જીવ કેવલજ્ઞાનીની પેઠે જાણવો. ૩૯૫ [૫૭૦] સશરીરીજીવને એકેન્દ્રિય સિવાય ત્રણભાંગા કહેવા. ઔદારિક શરીરી જીવ અને મનુષ્યોમાં ત્રણભાંગા સમજવા. બાકીના જીવો જેઓને ઔદારિક શરીર છે તેઓ આહારક હોય છે, અનાહારક હોતા નથી. વૈક્રિયશરીરી અને આહારક શરીરી જેઓને વૈક્રિય અને આહારક શરીર છે તેઓ આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. તૈજસકાર્યણ શરીરવાળાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અશરીરી-જીવો અને અને સિદ્ધો આહારક નથી પણ અનાહારક છે. [પ૭૧] આહાર પર્યાપ્ત, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાતિ, શ્વોસોચ્છ્વાસ પતિ અને ભાષા મન પર્યાપ્ત એ પાંચે પર્યાપ્તઓમાં જીવ અને મનુષ્ય પદને આશ્રયી ત્રણ ભાંગા જાણવા. બાકીના જીવો આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. ભાષા અને મનઃપતિ પંચેન્દ્રિયોને હોય છે. બીજાને નથી. આહા૨પર્યાપ્ત વડે અપર્યાપ્તો એકવચન અને બહુવચનની અપેક્ષાએ પણ આહારક નથી, પણ શરીરપર્યાપ્ત વડે અપપ્તિ કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહા૨ક હોય. ઉપરની ચારે અપર્યાપ્તિ ઓમાં નાક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા હોય છે. બાકીના પદોમાં જીવ અને એકે ન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. ભાષા મનપર્યાપ્ત વડે પર્યાપ્ત જીવો અને પંચેન્દ્રિય તિર્યંચોમાં ત્રણ ભાંગા,નારક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા કહેવા. સર્વ પદોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ જીવાદિ દંડકો પ્રશ્ન વડે કહેવા. જેને જે હોય છે તેને તેનો પ્રશ્ન કરવો. જેને જે નથી, તેનો પ્રશ્ન ન કરવો. યાવત્ ભાષા મનપર્યાપ્તિ વડે અપર્યાપ્તા દેવ અને મનુષ્યોમાં છ ભાંગા અને બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા જાણવા. પદ-૨૮ ઉદેશોઃ-૨ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ પદ-૨૯ઉપયોગ [૫૭૨] હે ભગવન્ ! કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે ? હે ગૌતમ ! બે પ્રકારનો. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવન્ ! સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનો. આભિનિબોધિકજ્ઞાન સાકારોપયોગ, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભંગજ્ઞાન સાકા૨ોપયોગ. હે ભગવન્ ! અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ચાર પ્રકારનો. ચક્ષુદર્શન અનાકાર ઉપયોગ, અચક્ષુદર્શન, અવધિદર્શન, અને કેવલદર્શન. એ પ્રમાણે જીવોને કહેવું. હે ભગવન્ ! નૈયિકોને કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે?હે ગૌતમ !બે પ્રકારનો. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવન્ ! નૈરિયકોને સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! છ પ્રકારનો. મતિજ્ઞાન સાકારોપયોગ, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન. હે ભગવન્ ! નૈરિયકોને અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. ચક્ષુદર્શન અનાકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy