SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ પન્નવણા - ૨૮/૨/૫૬૨ ભાંગા સમજવા. વેશ્યારહિત જીવો, મનુષ્યો અને સિદ્ધો હોય છે અને તે એકવચન અને બહુવચનની અપેક્ષાએ પણ આહાર નથી, પણ અનાહારક છે. પિ૩] હે ભગવન્! સમ્યગ્દષ્ટિ જીવો આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ! કદાચિત આહારક હોય અને કદાચિત અનાહારક હોય. બેઈન્દ્રિયો, તેઈન્દ્રિયો અને ચઉરિન્દ્રિયોને છ ભાંગા હોય છે. સિદ્ધો અનાહારક હોય છે, બાકીના જીવોને ત્રણ ભાંગા હોય છે. મિથ્યાદષ્ટિ વિશે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. હે ભગવન્! સમશ્મિધ્યાદષ્ટિ જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! આહારક હોય, પણ અનાહારક હોય. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી જાણવું. એમ અપેક્ષાએ પણ જાણવું. [પ૬૪] હે ભગવન્! સંયત જીવ શું આહારક હોય કે અનાહારક હોય? ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય, એ પ્રમાણે મનુષ્ય સબન્ધ પણ કહેવું. બહુવચનની અપેક્ષાએ ત્રણ ભાંગા જાણવા. અસંયત સંબધે પૃચ્છા. હે ગૌતમ ! કદાચિતુ આહારક હોય અને કદાચિ, અનાહારક હોય. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. સંયતાસંત જીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્ય હોય છે અને તે એકવચન અને બહુવચન વડે પણ આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. નોસંયત-નો અસંત-નોસંયતાસંયત જીવ અને સિદ્ધ છે અને તે એકવચન અને બહુવચન વડે પણ આહારક નથી, પણ અનાહારક છે. [૫૫] હે ભગવન્! સકષાયી જીવ આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. ક્રોધ કષાયવાળા જીવાદિને વિશે એમ જ સમજવું, પરન્તુ જેવોમાં છ ભાંગા હોય છે. માન. કષાયવાળા અને માયાકષાયવાળા દેવ અને નારકોને વિશે છ ભાંગા અને બાકીના સ્થાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. લોભકષાયવાળા નારકોને છ ભાંગા અને બાકીના સ્થાનોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અકષાયી નોસંજ્ઞી-નોઅસંજ્ઞી પેઠે કહેવા. [૫૬] જ્ઞાની સમ્યગ્દષ્ટિની જેમ જાણવો. આભિનિબોધિક જ્ઞાની અને શ્રુત જ્ઞાની બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉન્દ્રિયને વિષે છ ભાંગા સમજવા. બાકીના જીવો વિશે જેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે તેઓને જીવાદિ સંબધે ત્રણ ભાંગા જાણવા. અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકો આહારકો હોય છે પણ અનાહારક હોતા નથી. બાકીના જીવોમાં જેઓને અવધિજ્ઞાન છે તેઓને જીવાદિ સંબન્ધએ ત્રણ ભાંગા જાણવા. મન:પર્યવજ્ઞાની જીવો અને મનુષ્યો એકવચન અને બહુવચન વડે પણ આહા રક છે પણ અનાહારક નથી. કેવલજ્ઞાની નોસંજ્ઞી-નોઅસંજ્ઞી પેઠે જાણવા. [૫૭] સયોગીને વિશે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. મનયોગી અને વચનયોગી સમ્યમ્મિગ્લાદષ્ટિની જેમ કહેવા. પરન્તુ વચનયોગ વિકેલેન્દ્રિયોને પણ કહેવો. કાયયોગીને વિશે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા હોય છે. અયોગી જીવ, મનુષ્ય અને સિદ્ધ અનાહારક જાણવા. . [૫૬૮] સાકાર અને અનાકાર ઉપયોગવાળામાં જીવ અને એકેન્દ્રિય સિવાય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy