SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ પદ્મવા - ૬/-/૩૩૨ સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે જાણવું.સંમૂર્ણિમપંચેન્દ્રિય તિર્યંચો,ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંમૂર્ણિમ મનુષ્યો, વ્યત્તર, જ્યોતિષિક, સૌધર્મ,યાવત્ અને સહસ્રાર કલ્પના દેવો નૈરયિકોની પેઠે જાણવા. ગર્ભજ મનુષ્યો, આનત, પ્રાણત, અનુત્તરૌપપાતિક દેવો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃર્ષથી સંખ્યાતા ઉત્પન્ન થાય છે, પણ અસંખ્યાતા ઉત્પન્ન થતા નથી. હે ભગવન્ ! સિદ્ધો એક સમયે કેટલા સિદ્ધ થાય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષથી એકસો આઠ સિદ્ધ થાય છે. [૩૩૩] હે ભગવાન્ ! નૈયિકો એક સમયે કેટલા ઉદ્ધર્તે છે-મરણ પામે છે ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા મરણ પામે છે. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો તેમ ઉદ્ધર્તના પણ સિદ્ધ સિવાય યાવત્ અનુત્તરૌપપાતિક સુધી કહેવી. ૫૨ન્તુ જ્યોતિષિક અને વૈમાનિકોને ચ્યવન વડે પાઠ કહેવો. [૩૩૪] હે ભગવન્ ! નૈયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! નૈરિયકો નરકથી આવી ઉત્પન્ન થતા નથી, તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે, મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે, દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. જો તિર્યંચયોનિ કોથી આવી ઉત્પન્ન થાય તો કયા તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, ? હે ગૌતમ ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે. જો પંચેન્દ્રિય તિર્યંચયોનિ કોથી આવી ઉત્પન્ન થાય તો કયા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, ? હે ગૌતમ ! જલચર, સ્થલચર અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય. જો જલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્ચ્છિમ થી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સંભૂર્ચ્છિમ અને ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય. જો સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત કે અપર્યાપ્ત સંમૂર્છિમથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્ત સંમૂર્છિમ જલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત સંમૂર્ચ્છમ જલ ચરથી આવી ન ઉત્પન્ન થાય. જો ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત કે અપર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ન ઉત્પન્ન થાય. જો સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય કે પરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય અને પરિસર્પ સ્થલચરથી પણ આવી ઉત્પન્ન થાય. જો ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂછમથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બંને થી. જો સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! પર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચથી આવી ઉત્પન્ન થાય તો સંખ્યાતા વરસના અસંખ્યાત વરસના www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy