SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪-૬ ૨૯ અપરાજિત દેવો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ. સર્વાર્થસિદ્ધ દેવો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ. હે ભગવન્ ! સિદ્ઘો કેટલા કાળ સુધી સિદ્ધિ વડે વિરહિત છે-? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ. [૩૨૯] રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉદ્ધર્તના-મરણ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત. એ પ્રમાણે સિદ્ધ સિવાય બાકીના જીવોની ઉદ્ધર્તના યાવત્ અનુત્તરૌપપાતિક સુધી કહેવી. યાવતુજ્યોતિષિક અને વૈમાનિકોને ઉર્ધ્વતનના બદલે ચ્યવન સંબન્ધ પાઠ કહેવો. [૩૩]હે ભગવન્!નૈયિકો સાન્તર ઉત્પન્ન થાયછે કે નિરંતર ઉત્પન્ન થાયછે ? હે ગૌતમ ! બંને રીતે. છે. હે ભગવન્ ! તિર્યંચોનિકો સાન્તર ઉપજે છે કે નિરન્તર ઉપજે છે ? હે ગૌતમ ! બંને રીતે. હે ભગવન્ ! મનુષ્યો સાન્તર ઉપજે છે કે નિરન્તર ઉપજે છે ? હે ગૌતમ ! બંને રીતે. હે ભગવન્ ! દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ગૌતમ !બંને રીતે હે ભગવન્ ! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ? બંને રીતે, એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથિવી સુધી જાણવું. હે ભગવન્ ! અસુરકુમા૨ દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ !બંને રીતે. એ પ્રમાણે યાવત્ નિતકુમારો સુધી જાણવું. હે ભગવન્ ! પૃથિવી કાયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! સાન્તર ઉત્પન્ન થતા નથી, પણ નિરંતર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્-વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્ ! બેઇન્દ્રિયો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! બંને રીતે. એ પ્રમાણે યાવત્-પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી જાણવું.એ પ્રમાણે વ્યન્તર, જ્યોતિષિક, ઈશાન, સનત્કુમાર યાવત્ સર્વસિદ્ધ દેવો સાન્તર પણ ઉપજે અને નિરંતર પણ ઉપજે. હે ભગવન્ સિદ્ધો સાન્તર સિદ્ધ થાય છે કે નિરંતર સિદ્ધ થાય છે ? હે ગૌતમ ! સાન્તર પણ સિદ્ધ થાય છે અને નિરંતર પણ સિદ્ધ થાય છે. [૩૩૧]હે ભગવન્!નૈયિકો સાન્તર ઉદ્ધર્તે છે-મરણ પામે છે કે નિરંતર ઉદ્ધર્વેછે ? હે ગૌતમ ! સાન્તર પણ ઉદ્ધર્તે છે અને નિરંતર પણ ઉદ્ધર્તે છે. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો તેમ ઉદ્ધર્તના પણ સિદ્ધ સિવાય યાવત્ વૈમાનિકો સુધી કહેવી. પરન્તુ જ્યોતિષિક અને વૈમાનિકો વિષે ચ્યવન સંબન્ધ પાઠ કહેવો. [૩૩૨] હે ભગવન્ ! નૈરિયકો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથિવી સુધી જાણવું. હે ભગવન્ ! અસુરકુમારો એક સમય માં કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.એ પ્રમાણે નાગકુમારો યાવત્ સ્તનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્ ! પૃથિવીકાયિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પ્રતિસમય અવિરહિતપણે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્ વાયુકાયિક સુધી જાણવું. હે ભગવન્ ! વનસ્પતિકાયિકો એક કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સ્વસ્થાન સંબંધી ઉપપાતને આશ્રયી પ્રતિસમય નિરંતર અનન્તા ઉત્પન્ન થાય છે પરસ્થાન સંબંધી ઉપપાતને આશ્રયી નિરન્તરઅસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હે ભગવન્ ! બેઇન્દ્રિયો એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy